સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રાજેન્દ્ર શાહ


ચાર કાવ્યો – રાજેન્દ્ર શાહ

તેડું રે આવ્યું આ માઝમ રાતનું,
સહિયર આજથી સજાવ,
વ્હાલું ને વેરણ એવી જાતનું,
હૈયામાં વસમા છે ભાવ.

ઉગમણે આવ્યો રે કાજલનો રેણનો
તેજ નમણો મયડ્ડ;
શીલાંને હૂંફાળ એવાં વૅણનો,
જેમ સોહ્ય રે કલડ્ડ.


બોલીએ ના કંઈ… – રાજેન્દ્ર શાહ 7

પ્રસ્તુત રચનામાં જાણે કવિએ ‘ગાગરમાં સાગર’ ભરી દીધો છે. જીવનમાં આચરવાલાયક શીખ તેમણે થોડા જ શબ્દોમાં આપણી સમક્ષ સચોટ અને અસરકારક રીતે રજૂ કરી છે. પોતાના મારગે એકલા ચાલવાની વાત હોય કે મનની વાતો અથવા વ્યથાને મનમાં જ ભંડારી રાખવાની સલાહ હોય, કવિ પ્રસ્તુત રચનામાં જીવનની કેટલીક મહત્વની શીખ આપે છે. કવિશ્રી રાજેન્દ્ર શાહનું પ્રસ્તુત કાવ્ય એથી જ વિચારપ્રેરક અને પ્રેરણાદાયી બની રહે છે.


શિયાળુ સાંજ – રાજેન્દ્ર શાહ 4

૨૮ જાન્યુઆરી ૧૯૧૩માં કપડવંજમાં જન્મેલા શ્રી રાજેન્દ્ર શાહ ગુજરાતી કવિતાના એક આધારસ્તંભ છે. તેમના અનેક પ્રચલિત કાવ્યસંગ્રહો જેવા કે ધ્વનિ (૧૯૫૧), આંદોલન (૧૯૫૧), શ્રુતિ (૧૯૫૭), મોરપીંછ (૧૯૬૦), શાંત કોલાહલ (૧૯૬૩), ચિત્રણા (૧૯૬૭), ક્ષણ જે ચિરંતન (૧૯૬૮), મધ્યમા (૧૯૭૭), ઉદગીતિ (૧૯૭૮) સત્વશીલ અને છતાંય વિપુલ સંખ્યામાં તેમણે કરેલા કાવ્યસર્જનની સાક્ષી પૂરે છે. કલ્પનાની કલમે સૌઁદર્ય નિહાળતી નજરે તેમણે આલંકારિક રીતે કરેલું શિયાળાની સાંજનું વર્ણન આહ્લાદક અને સૌંદર્યસભર છે. શિયાળાની સાંજે પ્રણયગોષ્ઠી કરતા યુગલની આ સૌંદર્યપ્રચૂર વાત ખૂબ સુંદર રીતે મૂકાઈ છે. પ્રસ્તુત રચના લોકમિલાપ દ્વારા પ્રસિદ્ધ કાવ્યકોડિયા અંતર્ગત શ્રી રાજેન્દ્ર શાહના કાવ્યોના જયન્ત પાઠકે કરેલા સંકલનમાંથી લેવામાં આવ્યું છે.


બે કાવ્યરચનાઓ – રાજેન્દ્ર શાહ 2

લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડિયાં અંતર્ગત ત્રણેક સંપુટમાં વિવિધ કવિઓની ચૂંટેલી રચનાઓનું સંકલન કરીને નાનકડી પુસ્તિકા સ્વરૂપે બહાર પાડવામાં આવ્યા હતાં. આ પ્રકાશન ૧૯૮૦થી શરૂ થયું દસ કવિઓનો એક એવો નાનકડો સંપુટ સંપાદિત કરાયેલો, પ્રથમ સંપુટનું શ્રી નિરંજન ભગતે, દ્વિતિય સંપુટનું શ્રી સુરેશ દલાલે તથા ત્રીજા સંપુટનું જયંત પાઠકે સંપાદન કરેલું. પ્રસ્તુત સંકલન અને સંપાદન શ્રી જયન્ત પાઠક દ્વારા ત્રીજા સંપુટમાં કરાયું છે. બંને કાવ્યરચનાઓ સબળ અને સ્વયઁસ્પષ્ટ છે. પ્રસ્તુત કાવ્યકોડિયાં ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની તક અક્ષરનાદને મળી છે એ બદલ સૌનો આભાર.