સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રાકેશ હાંસલિયા


ક્યારેક ઉત્તર પણ મળે.. – રાકેશ હાંસલિયા 1

પ્રિય કવિમિત્ર રાકેશભાઈ હાંસલિયાની સર્જનયાત્રા સાથે સતત જોડાઈ રહેવાનો અવસર મળ્યો છે, અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા તેમની અદ્રુત ગઝલો સમયાંતરે તેઓ આપે છે. આ સંગ્રહ મળ્યો ત્યારથી હું રાકેશભાઈના પુસ્તકોના નામ વિશેના વિચારમાં ચડ્યો છું.. આ પહેલા તેમના ગઝલસંગ્રહ ‘તત્વ’ ના નામમાં ગઝલયાત્રાની શરૂઆત ઝળકે છે, ‘જે તરફ તું લઈ જશે!’ ના શીર્ષકમાં એક સમર્પણ ભાવ છે, એક સ્વીકાર છે અને આ નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માં એક આશા, એક શ્રદ્ધાનો પડઘો સંભળાય છે.


બાર લઘુકાવ્યો – રાકેશ હાંસલિયા 13

રાકેશભાઈએ આ લઘુકાવ્યો મોકલ્યા ત્યારનો તેમને મમળાવ્યા કરતો હતો, આજે એ આપ સૌની સાથે વહેંચ્યા છે. બાર લઘુકાવ્યો, અને દરેકની એક અલગ વાત, દરેકમાં અનોખો સ્પાર્ક.. આ કાવ્યતત્વ ધરાવતું માઈક્રોફિક્શન છે.. જો ગઝલો રાજાશાહી હોય, જેના શિસ્ત અને નિયમોને અનુસરવા જ પડે, તો આ પ્રકારના લઘુકાવ્યો લોકશાહી જેવા છે. અહીં જવાબદારી વધી જાય છે, કારણ સ્વતંત્રતા પણ વધારે છે. અભિવ્યક્તિની આ અનોખી રીતને આટલી સચોટ રીતે અજમાવી શક્યા એ બદલ રાકેશભાઈને શુભકામનાઓ અને અક્ષરનાદને આ કાવ્યો પાઠવવા બદલ તેમનો આભાર.


ચાર સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 6

નિશ્ચિત સમયાંતરે હું જેની રાહ જોતો હોઉં, અર્થસભર અને છંદારણમાં ગોઠવાયેલી ગઝલરચનાઓ રાકેશભાઈ હાંસલિયાની સર્જનક્ષમતામાં રસતરબોળ થઈને અને તેમના હસ્તાક્ષરમાં ઉતરીને જ્યારે પણ મળે, અત્યંત આનંદ આપે છે. રાકેશભાઈની ચાર સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. વાચકોને પણ તેમની રચનાઓ માણવી ખૂબ ગમે છે એ તેમની ગઝલો પરના પ્રતિભાવો દર વખતે પૂરવાર કરી આપે છે. અક્ષરનાદને આ સુંદર ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 5

રાજકોટના પ્રસિદ્ધ ગઝલકાર મિત્ર રાકેશભાઈ હાંસલિયાની કલમે અવતરેલી ચાર તરોતાઝા ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે વાચકમિત્રોને આ નવી રચનાઓ ગમશે. રાકેશભાઈ સદાય તેમની નવીન રચનાઓ અક્ષરનાદ વાચકો સાથે વહેંચે છે એ બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ચાર તરોતાઝા ગઝલો.. – રાકેશ હાંસલિયા 8

રાકેશભાઈની ચાર તરોતાઝા ગઝલો આજે પ્રસ્તુત કરી છે. ઝૂંપડીને બે વેંત અદ્ધર કરતી, ગારની ભીંતોને ખેતર કરતી, ચરણો વિના જાતરા કરતી, ખેતરોમાં ઉજાસ કરતી અને ફૂલની મ્હેકને શૂળમાં શોધતી તેમની કલ્પના ભાવકને રસતરબોળ કરી મૂકે એવી અદ્રુત છે. અક્ષરનાદના વાચકો સાથે આ સુંદર કૃતિઓ વહેંચવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર.


ત્રણ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 15

ગત મહીને રાજકોટમાં જેટલો આનંદ રાકેશભાઈને મળીને, તેમના પુસ્તક સંગ્રહને જોઈને અને ખાસ તો તેમના સરળ સ્વભાવને લીધે તેમની સાથેની વાતોએ આપ્યો એ અવર્ણનીય છે. આજે પ્રસ્તુત છે તેમની વધુ ત્રણ સુંદર, છંદની પૂર્ણ શિસ્તમાં લખાયેલી, સાદ્યાંત માણવાલાયક ગઝલરચનાઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રાકેશભાઈ હાંસલિયાનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


‘જે તરફ તું લઈ જશે..’ એ તરફ.. – રાકેશભાઈ હાંસલિયાના ગઝલસંગ્રહનો આસ્વાદ 13

બાળપણથી અનેક સર્જકોની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એ ગઝલોને અનેરા આદરથી જોઈ છે – માણી છે. ગઝલ સાંભળ્યા પછી સદાય થતું કે અરે, આ તો મારી પોતાની જ વાત તેમણે કહી.. નવોદિત ગઝલકારોની શ્રેણીમાંથી પ્રસ્થાપિત રચયિતાની શ્રેણીમાં પ્રવેશેલા રાકેશભાઈ હાંસલિયા તેમની રચનાઓ દ્વારા એવી જ વાત અને એ જ પ્રકારનો અનુભવ કરાવી રહ્યા છે. અક્ષરનાદ પર સમયાંતરે પ્રસ્તુત થતી તેમની ગઝલો સદાય તેમના સુંદર હસ્તાક્ષરોમાં અને આનંદિત થઈ જવાય તેવા પત્ર સાથે મળે તેની સદાય રાહ જોતો હોઉં છું, એવામાં તેમનો ગઝલસંગ્રહ ‘જે તરફ તું લઈ જશે..’ મળ્યો. વરસાદી મૌસમમાં એ ગઝલો માણવાની મજા આવી, એક નહીં પણ અનેક વખત એ ગઝલોનો સાથ માણ્યો. આજે એ સંગ્રહ વિશે લખી રહ્યો છું ત્યારે એક સર્જકને તેમના ભાવક દ્વારા અપાયેલું આ એક આભારદર્શન જ ગણી શકાય. પ્રસ્થાપિત કવિમિત્રોની જેમ ‘ગઝલસઁગ્રહનો આસ્વાદ’ એવું શિર્ષક લખવાની ધૃષ્ટતા તો કરી, પણ અંતે તો આ ગઝલસંગ્રહની સફરમાં જે મેળવ્યું એ જ, કે એથી ક્યાંય ઓછું મૂકી શક્યો છું. રાકેશભાઈ આવી વધુ રચનાઓ દ્વારા સતત સર્જનરત રહે અને તેમની કલમે અનેક હ્રદયંગમ કૃતિઓ આપણને મળતી રહે એવી શુભેચ્છા સહ પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ બદલ અનેક શુભેચ્છાઓ.


પાંચ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 9

રાકેશભાઈની વધુ પાંચ ગઝલોનું આ ગુચ્છ અક્ષરનાદ પર પ્રસ્તુત કરતા અત્યંત આનંદ થાય છે. છંદની શિસ્તમાં લખાયેલી ભાવસભર અને ચોટદાર ગઝલો વાચકને ખૂબ ગમશે એવી આશા છે. પ્રસ્તુત ગઝલોની સાથે અક્ષરનાદ પર રાકેશભાઈની ત્રીસ ગઝલો પ્રસિદ્ધ થઈ છે જે અક્ષરનાદ માટે આનંદની વાત થઈ રહે છે. આવી જ સુંદર કૃતિઓની રચના અને ભાવકો સુધી અક્ષરનાદના માધ્યમથી તેને પહોંચાડવા બદલ રાકેશભાઈનો ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ…


પાંચ અદ્રુત ગઝલો… – રાકેશ હાંસલિયા 13

આજે પ્રસ્તુત છે રાકેશભાઈ હાંસલિયાની વધુ પાંચ અદ્રુત ગઝલરચનાઓ. ‘જીવે છે’ ગઝલ બે અંતિમો વચ્ચે જીવાતા જીવનની અને તેના અંતિમોની વાત મૂકે છે, હ્રદયની સંવેદનહીનતા વિશેની વાત તેઓ બીજી ગઝલમાં કહે છે, મનની પ્રાપ્તિ છતાં અતૃપ્તિની ભાવનાનો પડઘો તેમની ત્રીજી ગઝલમાં ઉભરે છે, તો ચોથી ગઝલ આશંકાઓના સાચા થવાનો ભય વ્યક્ત કરે છે. પાંચમી અને અંતિમ ગઝલના એક જ શે’રમાં રાકેશભાઈ બધુંય કહી દે છે,

પાંપણો ચુપચાપ સાંભળતી રહી,
બોલતા’તા અશ્રુઓ સપના ઉપર

ટૂંક સમયમાં રાકેશભાઈનો નવો ગઝલસંગ્રહ ‘જે તરફ તું મને લઈ જશે..’ પ્રકાશિત થઈ રહ્યો છે, એ બદલ અક્ષરનાદના તમામ વાચકો અને અમારા તરફથી શુભકામનાઓ. સર્જનની આ પરંપરા આમ જ સદાય વિસ્તરતી અને વિકસતી રહે એવી શુભકામનાઓ અને અક્ષરનાદને આ ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


પાંચ સુંદર ગઝલો.. – રાકેશ હાંસલિયા 7

રાકેશભાઈની ગઝલો માણવાનો અને પ્રસ્તુત કરવાનો એક અનોખો આનંદ હોય છે. ગઝલમાં સત્વ અને તત્વને સમાવતા હોવા છતાં ચુસ્ત છંદબંધારણ અને સુંદર વિષયાનુભૂતિ સહિતની કૃતિઓ તેમની વિશેષતા રહી છે. અક્ષરનાદનું સદભાગ્ય છે કે આવા રચનાકારો અક્ષરનાદને તેમની કૃતિઓ પ્રસ્તુત કરવાનું ગૌરવ આપે છે, રાકેશભાઈની પાંચ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. વૃક્ષના છાંયડારૂપી પ્રસાદની વાત હોય કે શબ્દનો નિરાકાર સાદ હોય, આજીવન દળતી ડોશીની વાત હોય કે ઘેરા થતાં સ્મરણની વાત હોય, દરેકે દરેક ભાવને, દરેક લાગણીને શબ્દોમાં મઢીને મૂકાઈ છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


ત્રણ બહુરંગી ગઝલો.. – રાકેશ હાંસલિયા 14

રાકેશભાઈ હાંસલિયાનું નામ અક્ષરનાદી વાચકો માટે નવું નથી, મંજાયેલી કલમનો બહુરંગી સ્વાદ આપણે અહીં આ પહેલા પણ માણ્યો છે. પણ આજે તેમણે પાઠવેલી ગઝલો, તેઓ કહે છે તેમ, ‘નવી નક્કોર’ છે અને છતાંય એ બાળસહજ અનુભૂતિનો એક અનોખો અર્થ લઈને આવે છે. સામાન્ય રીતે ગઝલો મોટેરાંઓ માટે જ લખાતી હોય એવું અનુભવાયું છે, પણ અહીંની પહેલી ગઝલ ‘બાળગઝલ’ છે, બીજી ગઝલનો વિસ્તાર મા સુધી પહોંચે છે અને ત્રીજી ગઝલ માંથી ઠાકોર સુધી લઈ જાય છે. ગઝલોને તેના જ શેરમાંથી શીર્ષક આપવાનો યત્ન મેં કર્યો છે. અક્ષરનાદને તેમની કૃતિઓથી સતત તરબતર કરવા બદલ રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર.


ચાર સુંદર ગઝલો – રાકેશ હાંસલિયા 18

શ્રી રાકેશભાઈ હાંસલિયાની કૃતિઓ અક્ષરનાદને નિયમિત મળે છે અને પ્રસિદ્ધ થતી રહી છે, સાથે સાથે વાચકોનો પણ સુંદર પ્રતિભાવ તેમને સાંપડ્યો છે. આ જ શ્રેણીમાં તેમની વધુ ચાર સુંદર ગઝલો આજે પ્રસ્તુત છે. અગ્રગણ્ય સાહિત્ય સામયિકોમાં તેમની ગઝલો હવે પ્રસ્તુત થઈ રહી છે એ આનંદની વાત છે તો તેમની આ યાત્રામાં અક્ષરનાદ સાથે છે એ વાતનો હર્ષ પણ ખરો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર ગઝલો. આ ગઝલો સર્જકના મનોવિશ્વની વાત વાચક સુધી સરળતાથી પહોંચાડી શકે એવી અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા માટે આભાર તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


ચાર ગઝલરચનાઓ… – રાકેશ હાંસલિયા 11

અક્ષરનાદ પર જેમની સુંદર ગઝલો સતત પ્રસ્તુત થાય છે એવા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી રાકેશભાઈ હાંસલિયાનો સંપર્ક થયો હતો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. આ પહેલા ‘જીવા’ રદીફ ધરાવતી ચાર ગઝલો અક્ષરનાદ પર આપણે માણી હતી, આજે પ્રસ્તુત છે તેમની ત્રણ ગઝલો સાથે એક હસ્તાક્ષર ગઝલ. આ ગઝલો સાંગોપાંગ સુંદર, અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદ પર રાકેશભાઈની આ દ્વિતિય પ્રસ્તુતિ છે, અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા માટે આભાર તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ.


‘જીવા’ રદીફ સાથેની ચાર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 10

અક્ષરનાદ પર જેમની સુંદર ગઝલો સતત પ્રસ્તુત થાય છે એવા મિત્ર શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી રાકેશભાઈ હાંસલિયાનો સંપર્ક થયો. રાકેશભાઈ વ્યવસાયે શિક્ષક છે, સ્વભાવે સર્જક છે અને વિશેષમાં શબ્દબ્રહ્મની ઉપાસનાના એક અનોખા ભાવવિશ્વમાં તેઓ રત રહે છે. ‘જીવા રદીફ ધરાવતી લગભગ સાત રચનાઓમાંથી ચાર અહીં પ્રસ્તુત છે. ‘જીવ’ને અને એ રીતે સ્વને સંબોધીને લખાયેલ આ ગઝલો સાંગોપાંગ સુંદર, અર્થસભર અને માણવાલાયક છે. અક્ષરનાદ પર રાકેશભાઈની આ પહેલી પ્રસ્તુતિ છે એ માટે તેમનું હાર્દિક સ્વાગત તથા તેમની કલમને અનેક શુભેચ્છાઓ. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.