સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રમણભાઈ નીલકંઠ


(મુંબાઈ પ્રતિ) પ્રયાણ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ 7

સપ્ટેમ્બર ૧૯૦૦માં સૌપ્રથમ વખત પ્રકાશિત થયેલી અને હવે ક્લાસિક હાસ્યનવલ ગણાતી ગુજરાતી નવલકથા “ભદ્રંભદ્ર” હાસ્યલેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ લેખક માટે એક સીમાસ્તંભ છે. તેની પ્રસ્તાવનામાં જ ગ્રન્થકર્તાએ લખ્યું છે, “મહાત્માઓના જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી કારણકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે. અને તે ગુણસંપતિ લખનારને પણ પ્રાપ્ત થાય છે પણ વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતા પહેલા ક્ષમા માંગવી એ કર્તવ્ય છે.” તો પ્રસ્તાવનામાં અંતે લખ્યું છે, “જેને આ પુસ્તક સમજાય નહીં અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી, એ વર્ગને માટે બીજા ઘણાં પુસ્તકો છે !” સંસ્કૃતપ્રચૂર શબ્દો અને લાંબા ભાષણો છતાં ભદ્રંભદ્ર રસનું, હાસ્યરસની નિષ્પન્નતાનું જાગતું ઉદાહરણ છે અને આપણી ભાષાની ગૌરવશાળી સર્જનયાત્રાનું તે આવશ્યક દિશાચિહ્ન છે. આજે આ જ પુસ્તકમાંથી એક પ્રકરણ અત્રે ઉદધૃત કર્યું છે.


મોહમયી મુંબાઈ (ભદ્રંભદ્ર) – રમણભાઈ નીલકંઠ 14

સપ્ટેમ્બર ૧૯૦૦માં સૌપ્રથમ વખત પ્રકાશિત થયેલી અને હવે ક્લાસિક હાસ્યનવલ ગણાતી ગુજરાતી નવલકથા “ભદ્રંભદ્ર” હાસ્યલેખનના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર કોઈ પણ લેખક માટે એક સીમાસ્તંભ છે. તેની પ્રસ્તાવનામાં જ ગ્રન્થકર્તાએ લખ્યું છે, “મહાત્માઓના જીવનચરિત્ર લખનારને ક્ષમા માગવી પડતી નથી કારણકે તેવા લેખમાં સકલ ગુણ સંપૂર્ણ હોય છે. અને તે ગુણસંપતિ લખનારને પણ પ્રાપ્ત થાય છે પણ વાંચનારે પોતાની અપૂર્ણતા લક્ષમાં લઈ એવા લેખ હાથમાં લેતા પહેલા ક્ષમા માંગવી એ કર્તવ્ય છે.” તો પ્રસ્તાવનામાં અંતે લખ્યું છે, “જેને આ પુસ્તક સમજાય નહીં અને પુસ્તક વિરુદ્ધ ટીકા કરવી પડે તેને માટે તે રચ્યું નથી, એ વર્ગને માટે બીજા ઘણાં પુસ્તકો છે !” સંસ્કૃતપ્રચૂર શબ્દો અને લાંબા ભાષણો છતાં ભદ્રંભદ્ર રસનું, હાસ્યરસની નિષ્પન્નતાનું જાગતું ઉદાહરણ છે અને આપણી ભાષાની ગૌરવશાળી સર્જનયાત્રાનું તે આવશ્યક દિશાચિહ્ન છે. આજે આ જ પુસ્તકમાંથી એક પ્રકરણ અત્રે ઉદધૃત કર્યું છે.


કાગડાના મંદવાડ વિશે કવિતા – રમણભાઇ નીલકંઠ

હાસ્ય નિબંધકાર જે રીતે ટૂચકા, પ્રસંગો કે સંવાદોનો છૂટથી ઉપયોગ કરી શકે છે તે લલિતનિબંધકાર કરી શક્તા નથી, હાસ્યનિબંધોમાં મોટેભાગે અતિશયોક્તિ કે વિચિત્ર પ્રસંગો કે કલ્પનાઓનો આશરો લેવામાં આવે છે, જેનો એક માત્ર હેતુ વાચકને હસાવવાનો છે, ઉપરાંત હાસ્યકારા આભાસી તર્કનો આશરો પણ લે છે, અને વાચક પણ આ દલિલો હસતાં હસતાં માણે છે. શ્રી રમણભાઈ નીલકંઠની કાગડાના મંદવાડ વિશેની આ કૃતિ આવીજ એક રચના છે, અને તેની અતિશયોક્તિઓજ તેને હાસ્યરસનું જીવંત ઉદાહરણ બનાવે છે. અહીં વાંચકે હાસ્ય શોધવાનો વ્યાયામ કરવાનો નથી, એ તો અહીં ઉડીને વળગ્યા કરે છે.