સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રજનીકાંત મહેતા


ભારતીય લેખકોના અંગ્રેજી પુસ્તકો… – રજનીકાંત મહેતા 7

૧૯૯૨થી ૨૦૦૨ સુધીમાં રજનીકાંતભાઈના ચાર નિબંધસંગ્રહો પ્રકાશિત થયા છે. ડાયસ્પોરા લેખકોમાં તેમનું સ્થાન આગવું અને વિશિષ્ટ છે, તેમના નિબંધ સંગ્રહો ‘થેમ્સ નદીને કાંઠે’, ‘મીઠી સ્મૃતિઓની જુદી જ દુનિયા’, ‘દરિયાપારની દાસ્તાન’ તથા ‘વણખેડ્યો પ્રદેશ દરિયાપારનો’ વાચકોના પ્રેમને પામ્યા છે. આ નિબંધ સંગ્રહોમાં તેમનું ડાયસ્પોરિક વ્યક્તિત્વ અને વિચારધારા ઝળકે છે. આ ચાર નિબંધસંગ્રહોમાંથી પસંદગીના નિબંધોનું આસ્વાદમૂલક મૂલ્યાંકન કરીને તેનુ સંપાદન શ્રી બળવંતભાઈ જાનીએ કર્યું છે. પ્રસ્તુત નિબંધ એ જ સંપાદનમાંથી લેવામાં આવ્યો છે જેમાં લેખક ભારતીય લેખકોના અંગ્રેજી પુસ્તકો વિશે વાત કરે છે, એ લેખકોની ક્ષમતાઓ અને તેમની પ્રસિદ્ધીની વાત તેઓ અહીં જણાવે છે. પ્રસ્તુત નિબંધ અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી રજનીકાંતભાઈ તથા ડૉ. બળવંતભાઈનો આભાર.