સાહિત્યકાર મુજબ સંગ્રહ... : યોગેશ વૈદ્ય


૬ અનુદિત અસમિયા કવિતાઓ.. – અનુ. યોગેશ વૈદ્ય 3

યોગેશ વૈદ્ય સામે આસામના સાંસ્કૃતિક અને સામાજિક પરિવેશને સમજવાનો આ એક અનોખો અને દુર્લભ મોકો હતો અને તેને બન્ને હાથે વધાવી લેવાનો પ્રયાસ તેમણે કર્યો છે. હકીકતે આ કામે તેમને અંદરથી સમૃદ્ધ થવાની ઘણી તકો પણ આપી છે. કામ આગળ વધતું ગયું તેમ તેમ અનેક અસમિયા કવિઓની સાથે સંપર્ક સ્થપાયો.

અહીં થયેલા અનુવાદ મૂળ કવિતાના હિંદી કે અંગ્રેજી અનુવાદ પરથી થયા છે આથી મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચાયું છે કે કેમ તેની સતત મૂંઝવણ રહ્યા કરી છે. મૂળ કવિતાના હાર્દ સુધી પહોંચવામાં ઘણી વખત અડચણો આવી છે. આ અનુવાદોને ત્રણ-ચાર વખત તપાસવામાં ખાસો સમય પણ વીત્યો છે. દરેક અનુવાદકે માધ્યમ દ્વારા ઊભા થતા આવા પડકારોનો સામનો કરવાનો હોય જ છે. યોગેશ વૈદ્યે પણ સુંદર કોશિશ કરી છે.


ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન – યોગેશ વૈદ્ય 13

ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બરે યોજાઈ ગયું. નિસ્યંદન સામયિકના સંપાદક અને કવિમિત્ર યોગેશભાઈ તેમાં ભાગ લેવા આણંદ પહોંચ્યા હતા. આ અધિવેશનના આયોજન પ્રત્યે ઉદાસીનતા અને પાંખી હાજરી જેવા કારણોને લીધે તેમને મનમાં ખૂંચતી કેફિયત તેઓ અહીં રજૂ કરી રહ્યા છે. શાની છે આ ઉદાસીનતા? આ અભિગમ આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે ? આવા તો અનેક પ્રશ્નો તેમના મનમાં અનુત્તર રહી જવા પામ્યા છે, પ્રયત્ન કરીએ આપણી રીતે તેના ઉત્તર આપણી પોતાની જાતને આપવાનો… નિસ્યંદનના સંપાદકીય તરીકે લખાયેલ પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ યોગેશભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ગુજરાતી કવિતાની સામાજિક નિસ્બત – યોગેશ વૈદ્ય 6

ગુજરાતી પદ્યને પ્રસ્તુત કરતા ઈ-સામયિક નિસ્યંદનના તંત્રી-સંપાદક શ્રી યોગેશભાઈ વૈદ્ય તેમના ઓક્ટોબર ૨૦૧૩ના સંપાદકીયમાં ગુજરાતી કવિતાની સામાજીક નિસ્બત વિશે આછેરો વિચાર વહેતો મૂકે છે. તેઓ આપણી કાવ્યધરોહરના વિવિધ તબક્કાઓ અને તેનો વંશવિસ્તાર પણ પ્રસ્તુત કરે છે અને સૌને આપણી કવિતાઓની મૂળભૂત નિસ્બત વિશે વિચારતા કરે છે. પ્રસ્તુત વિચારવલોણું અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી યોગેશભાઈનો આભાર તથા શુભકામનાઓ.