સાહિત્યકાર મુજબ સંગ્રહ... : યાકૂબ પરમાર


દસ મુકતકો.. – યાકૂબ પરમાર 8

અક્ષરનાદ પર જેમની પદ્યરચનાઓ સમયાંતરે માણવા મળે છે તેવા યાકૂબભાઈ પરમારનો મુક્તકસંગ્રહ ‘હવાનાં રૂપ’ અમદાવાદના રંગદ્વાર પ્રકાશન તરફથી ૨૦૧૨માં પ્રકાશિત થયો હતો. આજે પ્રસ્તુત છે તેમણે અક્ષરનાદને પાઠવેલાં દસ સુંદર મુક્તક. છંદબદ્ધ અને રચનાની શિસ્ત સાથેની આ કૃતિઓ અક્ષરનાદને મોકલવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


ચાર ગઝલ – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની કૃતિઓ સતત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકોના પ્રેમને પામે છે. આજે પ્રસ્તુત છે તેમની કલમે વધુ ચાર ગઝલરચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ચાર ગઝલ – યાકૂબ પરમાર 8

યાકૂબભાઈ પરમારની ગઝલો આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ ચાર ગઝલ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ચાર ગઝલ – યાકૂબ પરમાર 7

યાકૂબભાઈ પરમારની ગઝલો આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે, આજે તેમની વધુ ચાર ગઝલ પ્રસ્તુત છે. અક્ષરનાદને આ ગઝલો પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ચાર સોનેટ – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર પ્રસ્તુત થતી સબળ અને સુંદર રચનાઓ તેમની કલમનો પરિચય સુપેરે આપી જાય છે. તેમના ગીત, ગઝલના પુસ્તક ‘અરસપરસના મેળમાં’, બાઇબલ કાવ્યોનો સંગ્રહ ‘અજવાળાનો ધોધ’, મુકતક સંગ્રહ ‘હવાનાં રૂપ’ અને દૂહા સંગ્રહ ‘તડકાની છાલક’ છપાયાં છે. સોનેટનો સંગ્રહ તૈયાર છે તેમાંથી ચાર સોનેટ તેમણે આજે અક્ષરનાદના વાચકો સાથે વહેંચ્યા છે. અપેક્ષા છે કે ભાવકોને ગમશે. અક્ષરનાદને આ સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


ચાર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આજે પ્રસ્તુત છે તેમની ચાર તરોતાઝા ગઝલ રચનાઓ, ગઝલની બાંધણીમાં તેમણે ક્યાંક છૂટછાટ લીધી હોય તેવું લાગે તો પણ ગઝલનું હાર્દ અને તેનો ભાવ કૃતિને આસ્વાદ્ય બનાવે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ચાર સુંદર ગઝલરચનાઓ.. – યાકૂબ પરમાર 9

યાકૂબભાઈ પરમારની ગઝલરચનાઓ આપણે અક્ષરનાદ પર સમયાંતરે માણીએ છીએ અને તેમની કૃતિઓને વાચકોનો સુંદર પ્રતિભાવ પણ સાંપડે છે. આ જ શૃંખલામાં આજે પ્રસ્તુત છે તેમની હાર સુંદર ગઝલરચનાઓ. આશા છે આપને ગમશે. રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો ખૂબ ખૂબ આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ચાર અદ્રુત ગઝલો.. – યાકૂબ પરમાર 11

આજે પ્રસ્તુત છે યાકૂબભાઈની ચાર સુંદર, અનેરી અને વિચારપ્રેરક ચાર ગઝલો. પ્રથમ ગઝલ ‘શરણમ્ ગચ્છામી’ વિષયવસ્તુ અને પ્રસ્તુતિ એમ બંને રીતે અદ્વિતિય છે, શબ્દચમત્કૃતિની રીતે બીજી ગઝલ અને બની બેઠેલાઓ વિશેની ત્રીજી ગઝલ આગવી કૃતિઓ છે તો પોતાના વિશ્વના અનેકવિધ વિભાગોને આવરતી સ્વત્વના સ્વીકાર સમી ચોથી ગઝલ સુંદર છે. ચારેય માણવાલાયક ગઝલો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો આભાર તથા શુભકામનાઓ.


ચાર ગીતો.. – યાકૂબ પરમાર 12

આપણે ત્યાં કાવ્યસંગીતનો એક અલગ જ દરજ્જો છે. તદ્દન શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને ગઝલગાયકી ઉપરાંત આપણી કવિતાઓ અને ગીતોના ગાયનનો એક અનોખો પ્રકાર વિકસ્યો છે. કાવ્ય લખાઈ ગયા પછી સ્વરકાર તેને સ્વરનિયોજન અને સંગીત સહ ગેય બનાવે છે. તો ક્યારેક કવિ પોતે જ ગીતોને એવા ઢાળમાં રચે છે કે જેથી તેની ગેયતા આપોઆપ પ્રસ્થાપિત થઈ શકે છે. આવા જ ચાર સુંદર ગીતકાવ્યો યાકૂબભાઈ પરમાર આજે પ્રસ્તુત કરી રહ્યા છે. ચારેય ગીતોના વિષયો ભિન્ન છે, ઝાકળરૂપ ઈશ્વરને પોતાની વાત કહીને, હરીને અક્ષર સાથે સરખાવીને, નસીબની મજાક વિશે વાત કરીને અને શોષિત નારી વિશે – એમ ચાર સુંદર ગીત અક્ષરનાદને પાઠવવા બદલ યાકૂબભાઈનો આભાર તથા તેમના સર્જનને શુભકામનાઓ.


ચાર ગઝલો – યાકૂબ પરમાર 2

યાકૂબભાઈ પરમારની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિઓ છે. ચાર સુંદર ગઝલો આજે તેમણે પ્રસ્તુત કરી છે. આ સુંદર ગઝલો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ યાકૂબભાઈનો આભાર તથા શુભકામનાઓ.