સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મીનપિયાસી


ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ… – મીનપિયાસી 4

સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોને પ્રાદેશિક વિશિષ્ટતા અને રાજ્યસંસ્થાઓના અસ્તિત્વ વખતનાં અનેરા નામો મળ્યા છે, ગોહિલવાડ હોય કે સોરઠ, હાલાર હોય કે હાલના સુરેન્દ્રનગર જિલ્લાનું નામ ઝાલાવાડ હોય, આ પંથકના વાસીઓ એ વિશેષ નામથી ઓળખાતા અને જ્યાં જાય ત્યાં દેશ પરદેશ સુધી એ પંથકની મહેક નામમાં સાચવીને લઈ જતાં. કવિ શ્રી મીનપિયાસીનું પ્રસ્તુત ગીત પણ ઝાલાવાડની લોકવંદના સમું જ છે. વતન અને તેની ધરતી પ્રત્યેનું વહાલ આ ગીતમાં વહાવ્યું છે. માતૃભૂમી પ્રત્યેનો ગર્વ અને ગૌરવ અહીં અભિવ્યક્ત થાય છે. ઝાલાવાડની ધરતીને કુદરતે આપેલી કુરૂપતાઓ પણ કવિને મન તો મોહિત કરી દે તેવી સુંદરતા જ છે. અને તે જ આ સુંદર ગીતની સાર્થકતા પણ છે.