સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મિહિર શાહ


આશ્વાસન ઈનામ વિજેતા વાર્તાઓ (માઈક્રોફિક્શન સ્પર્ધા) ભાગ ૭ – મિહિર શાહ 13

અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા ૧ માં આશ્વાસન ઈનામ પ્રાપ્ત કરનાર મિહિરભાઈ શાહની ચારેય વાર્તાઓ વિષયવસ્તુ અને વાર્તાપ્રવાહની રીતે અનોખી છે. આ માઈક્રોફિક્શનનો વિસ્તાર વધારવાની વાત હોય કે અંતની, વાચક ધારે તેમ ઉમેરી શકે છે, અને તે વાર્તાને નકારાત્મક કે હકારાત્મક બીબામાં ઢાળી શકે છે. અક્ષરનાદ સ્પર્ધામાં ભાગ લઈ આવી સુંદર કૃતિઓ સ્પર્ધામાં પાઠવવા બદલ નવરંગપુરા, અમદાવાદના મિહિરભાઈનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


અમદાવાદી ટ્રૅફિક – મિહિર શાહ 22

સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા (અમદાવાદ) ખાતે, એસોસિએટ પ્રોફેસર (ઈલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન) તરીકે ફરજ બજાવતા શ્રી મિહિરભાઈ શાહનો અક્ષરનાદ પર આ બીજો લેખ છે. આજે પ્રસ્તુત લેખ અમદાવાદના વાહનવ્યવહાર અને તેને લગતી સમસ્યાઓ વિશેના તેમના વિચારોનો પડઘો અહીં પ્રસ્તુત કરે છે. આ પહેલા અમદાવાદના ઈશ્વરભવન પાસે આવેલા જોગર્સપાર્કની વાત મૂકનાર મિહિરભાઈએ આજે અમદાવાદના ટ્રૅફિકની વાત વિગતો અને અનુભવોક્તિઓ સહિત અહીં મૂકી છે. તેમનો અંદાઝ સરસ છે અને વાંચનારને એ સમસ્યાઓથી બચવા અને બીજાઓને બચાવવાની પ્રેરણા આપે એવો છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી મિહિરભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


જોગર્સની કહાની, જોગર્સ પાર્કની જુબાની – મિહિર શાહ 28

સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા (અમદાવાદ) ખાતે, એસોસિએટ પ્રોફેસર (ઈલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન) તરીકે ફરજ બજાવતા શ્રી મિહિરભાઈ શાહનો આ પ્રથમ લેખ છે. શાળાઓમાઁ આપણે સૌ આત્મકથા લખતા, જીર્ણ થયેલા વડલાની આત્મકથા, સૈનિકની આત્મકથા… વગેરે. પરંતુ આજે પ્રસ્તુત લેખ એ પ્રકારનો આત્મકથાનક હોવા છતાં એ પ્રકારથી અલગ પડે છે. એ આત્મકથાઓ કોઈ વ્યક્તિવિશેષ અથવા સ્થળવિશેષને ધ્યાનમાં રાખીને લખાતી નહીં. જ્યારે આજનો લેખ અમદાવાદના ઈશ્વરભવન પાસે આવેલા જોગર્સપાર્કની વાત આજે મિહિરભાઈએ ફોટાઓ સહિત અહીં મૂકી છે. તેમનો અંદાઝ સરસ છે અને વાંચનારને એ સ્થળે જવા એક વખત તો ચોક્કસ પ્રેરણા આપે જ એવો છે. પ્રસ્તુત કૃતિ અને ફોટોગ્રાફ્સ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી મિહિરભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.