સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મહિમ્ન પંડ્યા


‘બાપુ – યુવાનોની નજરે’ વિષય પર સંગોષ્ઠિ અહેવાલ 2

એસ. એસ. પી. જૈન કોલેજ, ધાંગધ્રામાં શ્રી મહિમ્ન પંડ્યા ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ગાંધી દર્શન કેન્દ્રના સંચાલક તરીકે પણ કાર્ય કરે છે. આ અન્વયે ગાંધીજી વિશે ચિંતન, મનન, અને ગાંધી વિચાર અધ્યયન જેવા વિષયો સાથે ચાર વર્ષથી વિષયાનુગત ચર્ચાઓ અને પરીક્ષાઓનું આયોજન થાય છે. ગત બીજી ઓક્ટોબરે અહીં ગાંધીદર્શન કેન્દ્ર દ્વારા ગાંધીજયંતીની ઉજવણી નિમિત્તે ‘બાપુ – યુવાનોની નજરે ‘ વિષય પર એક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવેલું. સંગોષ્ઠિનો અહેવાલ આજે અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો સામાન્યતઃ આયોજનોનો અહેવાલ અક્ષરનાદ પર મૂકવામાં આવતો નથી, પરંતુ આ એક નવતર પ્રયત્ન છે ગાંધી દર્શન અને તેમની ફિલસૂફીને આજની પેઢી દ્વારા જ તેમની પોતાની પેઢી સુધી પહોંચાડવાનો. આવા આયોજનોને વધુ પ્રોત્સાહન મળે અને આપણા પોતાના મહાનુભાવોના જીવનમાંથી યુવાપેઢી ગ્રહણ કરી શકે એ હેતુથી અક્ષરનાદ પર આજે આ અહેવાલ પ્રસ્તુત થઈ રહ્યો છે.


ગાંધી મૂલ્યો : પ્રવર્તમાન પરિસ્થિતિ માટે દીવાદાંડી – મહિમ્ન પંડ્યા 2

ધાંગધ્રાની એસ પી કોલેજમાં પંદર વર્ષથી ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં અને કોલેજના ભીંતપત્ર ‘સ્પંદન’ નું સંપાદન કરતા શ્રી મહિમ્ન ભાઈ ધાંગધ્રા કોલેજમાં જ ગાંધીદર્શન કેન્દ્ર ચલાવે છે જેના માધ્યમથી તેઓ પ્રશ્નોત્તરી સ્પર્ધા, નિબંધ, વકૃત્વ સ્પર્ધા જેવા આયોજનો કરે છે. ગાંધી નિર્વાણ દિન નિમિતે તેમણે અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવેલો આ સરસ ચિંતન લેખ અમુક કારણોસર થોડોક વિલંબથી આવી રહ્યો છે. પ્રવર્તમાન પરિસ્થિતિઓમાં ગાંધી મૂલ્યો માટેની જરૂરતો તથા તેની મદદથી સમાજના વિભિન્ન વિભાગો અને અંગોને વિકસિત તથા તંદુરસ્ત રાખવા માટેની વિચારસરણી તેમણે પ્રસ્તુત લેખમાં વિગતે આપી છે. આ સુંદર કૃતિ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી મહિમ્નભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.