સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ભૂપેશ અધ્વર્યું


દ્વારકાના મહેલ મહીં જાદવરાય – ભૂપેશ અધ્વર્યું 3

ભૂપેશ અધ્વર્યું એટલે અપાર સંભાવનાઓના કવિ. અકાળે મૃત્યુને ભેટેલા એવા આ કવિમાં ઘણી સંભાવનાઓ પડેલી. પ્રસ્તુત રચનામાં અરીસાને સમયના એક જથ્થા તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે, એ અરીસાની એક તરફ મથુરાના મહારાજ કૃષ્ણ છે તો બીજી તરફ ગોકુળનો ગોવાળ, માખણચોર કાનજી, કા’નો છે. ભૂતકાળમાં સરી પડતા કોઈ અદના માણસની જેમ જ કૃષ્ણના મનમંદિરમાં પણ જમનાના નીર, ગાયોના ધણ અને કદંબડાળ ઝૂલી રહે છે. મથુરાના ઝરૂખેથી ગોકુળને જોવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા યાદોના વૃંદાવનમાં ખોવાયેલા કૃષ્ણનું આ સુંદર વ્યક્તિચિત્ર શ્રી ભૂપેશ અધ્વર્યુ રજૂ કરે છે. અને એ જ આ સુંદર રચનાની વિશેષતા પણ છે.