સાહિત્યકાર મુજબ સંગ્રહ... : બાબુભાઈ રાણા


સ્મશાનમાંના એક વૃક્ષની વિચારધારા – બાબુભાઈ રાણા 2

સ્મશાનમાં રહેલા એક વૃક્ષની આ આત્મકથા નથી. આત્મકથાઓમાંતો જીવનનો ચિતાર આવે છે, કોઈ પદાર્થના જીવનની મહત્વની ઘટનાઓ અને સર્જનથી તેના વિસર્જન સુધીની અનેક વાતો આવે છે, પરંતુ શ્રી બાબુભાઈ રાણાએ પાઠવેલી આ અનોખી કૃતિ સ્મશાનમાંના એક વૃક્ષની વિચાર સરવાણી છે. સ્મશાનમાં રહેલ વૃક્ષ માનવજાત વિશે, માણસના સમગ્ર જીવનક્રમની – પેઢીઓની વાતો વિચારે છે અને એ વિશે અનોખુ ચિંતન કરે છે. વિશદ અને મુદ્દાસર ચિંતન તથા અનોખી પ્રસ્તુતિ આ કૃતિની આગવી વિશેષતાઓ છે. બાબુભાઈ ભગવતીભાઈ રાણાનો પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.