સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પ્રવીણકાન્ત શાસ્ત્રી


ઍસ્કોર્ટ – પ્રવીણકાન્ત શાસ્ત્રી 7

પ્રવીણકાન્ત શાસ્ત્રીની પ્રસ્તુત વાર્તામાં ટૂંકીવાર્તાના લગભગ બધા તત્વો મોજુદ છે. વિષય, સ્થળ, પાત્રો અને સંવાદ એમ બધી રીતે આ વાર્તા અનોખી બની છે. આજની વાર્તા ‘એસ્કોર્ટ’ શૃંગાર રસથી ભરેલી છે, પણ એમાંની હકીકતો સમાજમાં અસ્તિત્વમાં છે. જુવાનીની નાદાની, ઓછી મહેનતે બધું જ મેળવી લેવાની તમન્ના અને સામાજીક વાતાવરણ એક વ્યક્તિને કેટલી હદે માર્ગમાંથી ભટકાવી દે છે, એનું આ વાર્તામાં નિરૂપણ છે. “મજુરો પોતાનો પરસેવો વેચે છે. બુદ્ધિજન માનવીઓ પોતાનું કૌશલ્ય વેચે છે. તારા જેવા કલાકારો ભણવાના પૈસા માટે સસ્તામાં સંગીત વેચતા હતા. વ્યાપારીઓ અને રાજકારીણીઓ પોતાનો ઈમાન વેચે છે. મેં મારું શરીર વેચ્યું છે.” આવું લખીને પ્રવીણભાઈએ માત્ર હકીકતોનું બયાન આપ્યું છે. જે પરિપેક્ષમાં આ વાર્તા લખાઈ છે, એ પરિપેક્ષમાં મુલવશો તો તમને આમાંનું વાર્તા તત્વ ગમશે. અક્ષરનાદને વાર્તા પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર.