સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પ્રતિમા પંડ્યા


ત્રણ સુંદર કાવ્યરચનાઓ.. – પ્રતિમા પંડ્યા 11

પ્રતિમાબેન પંડ્યાના કાવ્યસંગ્રહ અને લઘુકાવ્યસંગ્રહ એક સાથે માણવાનો અવસર મળ્યો. તેમના લઘુકાવ્યો આ પહેલા આપણે અક્ષરનાદ પર માણ્યા છે, આજે પ્રસ્તુત છે તેમના કાવ્યસંગ્રહ ‘ચૈતરમાં ચોમાસુ’ માંથી ત્રણ સુંદર, ભાવવહી, અર્થસભર અને અદ્રુત કાવ્યરચનાઓ. પ્રતિમાબેનની આ કવિતાઓ એ ભાવક હ્રદયમાં ગીતો રૂપે પડઘાય છે, એમાં કુદરત, જીવન અને માનવ સંવેદના સુંદર રીતે ઉભરીને આવે છે, ભાવક તેની સાથે ઓતપ્રોત થઈ શકે એવી સુંદર રચનાઓ ધરાવતો આ સંગ્રહ અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ આભાર. આજે માણીએ આ સંગ્રહની ત્રણ સુંદર કાવ્યરચનાઓ.


માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) ભાગ ૨ – પ્રતિમા પંડ્યા 11

પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની ‘લઘુતા’ જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ લઘુકાવ્યો સમાવતા ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ.


માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) – પ્રતિમા પંડ્યા 28

પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની ‘લઘુતા’ જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ.


મેં તો ખુલ્લાં મૂક્યાં છે કમાડ… – પ્રતિમા પંડ્યા 11

જેમના બે સંગ્રહો, અનુક્રમે કાવ્યસંગ્રહ ‘ચૈતરમાં ચોમાસું ‘(ગીત, ગઝલ અને અછાંદસ કાવ્યોનો સંગ્રહ) અને ‘ઝાકળનું સરનામું’ (લઘુકાવ્યોનો સંગ્રહ) પ્રસિદ્ધ થયા છે તેવા કવયિત્રી પ્રતિમાબેન પંડ્યા એક ઋજુહ્રદય રચનાકાર છે. પ્રસ્તુત રચના ‘ખુલ્લાં મૂક્યાં છે કમાડ…’ આતુરતા, વ્હાલભીની લાગણી, આગમનની પ્રતીક્ષા અને ઉલ્લાસને સુપેરે વ્યક્ત કરતાં તેઓ કુદરતને અને ઘરને પણ એ લાગણીમાં એકાકાર થયેલાં અનુભવે છે. આવનારની રાહમાં ફક્ત ઘરનાં કમાડ નહીં પરંતુ હૈયાના દ્વાર પણ તેમણે ઉઘાડાં રાખ્યાં છે. ઉર્મિશીલ હ્રદયને ઝાંઝરી પણ ગાતી સંભળાય છે અને શ્વાસમાં પણ ગુલમ્હોર અનુભવાય છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.