સાહિત્યકાર મુજબ સંગ્રહ... : પી. કે. દાવડા


Reality Distortion Field (RDF) – હકીકતને મરડીને સર્જેલું વાતાવરણ – પી. કે. દાવડા 5

Reality Distortion Field નો સાદો અર્થ છે કે માણસની એવી શક્તિ, જે બીજા લોકોને પ્રથમ દૃષ્ટીએ અશક્ય લાગતા કામને એ શક્ય છે અને સહેલું છે એ સમજાવી શકે, અને એમની પાસેથી સફળતાપૂર્વક એ કામ કરાવી શકે. આના માટે હકીકતોને વળાંક આપી એની અણદેખી કરવી પડે તોય વાંધો નહીં.


શ્રી મહેન્દ્ર મહેતાને સ્મરણાંજલી – પી. કે. દાવડા 4

મીરાંબહેનની વિદાયના થોડા સમયબાદ મહેન્દ્રભાઈ કેન્સરગ્રસ્ત થયા. જે દિવસે એમનું નિદાન થયું ત્યારથી જ એમણે નિર્ણય કરી લીધો કે જે સમય બચ્યો છે એ સમયમાં સમાજને વધારેમાં વધારે આપી જવું. એમના ઘરના પ્રવેશદ્વારની બહાર એક ટેબલ ઉપર અનેક મોંધા મોંઘા પુસ્તકો મૂકી રાખતા. એમને મળવા આવનાર એમાંથી જે ગમે તે પુસ્તક ભેટ તરીકે લઈ જઈ શકે. છેલ્લા છ મહિના જ્યારે એ પથારીવશ હતા, ત્યારે ચેકબુક અને પેન તકીયા પાસે રાખતા. મન ભરીને યોગ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓને નાણાકીય મદદ આપતા ગયા. એમને મળવા આવનાર વ્યક્તિઓમાંથી એક્પણ વ્યક્તિ એવી ન હતી, જેમણે મહેન્દ્રભાઈની આ બિમાર હાલત ઉપર આંસુ ન સાર્યા હોય.

૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સૌને આપનાર આ માણસ, સાહિત્યપ્રેમીઓ અને સર્જકોના ભરપૂર પ્રેમ અને માન સાથે, એમના માનસમાં અમીટ છાપ છોડીને આ દુનિયામાંથી વિદાય થઈ ગયા.


મઠારેલું સાહિત્ય – પી. કે. દાવડા 13

ઓગણીસમી સદીના અંત સુધી હિન્દુસ્તાનમાં સાહિત્યના પુસ્તકો છાપવાની સુવિધા ઉપલબ્ધ ન હતી.

અઢારમી સદી પછીના સાહિત્યની થોડી હસ્તપ્રતો મળી આવી છે, નરસિંહ-મીરાંના સમયની હસ્તપ્રતો પણ ઉપલબ્ધ નથી. જે કંઈ હસ્તપ્રતો ઉપલબ્ધ છે, એ અલગ અલગ હસ્તાક્ષરોમાં હોવાથી અન્ય લોકોએ સાચવી રાખવા લખી રાખી હોય, અથવા કોઈએ લહિયાઓ પાસેથી લખાવી અને સાચવી રાખી હોવાનો સંભવ છે. એ સમયનું સાહિત્ય, જે મુખ્યત્વે ભક્તિ સાહિત્ય હતું, એ કંઠોપકંઠ સચવાયેલું હતું, જે વીસમી સદીમાં છાપવાની સેવાઓ ઉપલબ્ધ થયા બાદ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થયું. આને કારણે આજે આપણે જે નરસિંહ – મીરાંની રચનાઓ વાંચીએ છીએ, એ નરસિંહ – મીરાંની મૂળ રચનાઓ કરતાં ખૂબ જ અલગ છે.


કાશ્મીરની સમસ્યાની ભીતરમાં – પી. કે. દાવડા 20

બ્રિટનની એટલી સરકારે હિન્દુસ્તાનને આઝાદી આપવાનો નિર્ણય લીધા પછી, એની પુર્વ તૈયારી રૂપે ઓગસ્ટ ૧૯૪૬ માં વાઈસરોય લોર્ડ વેવલના વડપણ નીચે સંપૂર્ણપણે હિન્દુસ્તનીઓનું પ્રધાનમંડળ નિમ્યું. એ પ્રધાનમંડળમાં જવાહરલાલ નહેરૂ, લીયાકાતઅલીખાન, વલ્લભભાઈ પટેલ, આઈ. આઈ. ચુંદરીગર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુર રબ નસ્તાર, મૌલાના આઝાદ, સી. રાજગોપાલાચારી, ડો. જહોન મથાઈ, ગઝનફરઅલી ખાન, સરદાર બલદેવસિંગ, જગજીવનરામ, સી. એચ. ભાભા. અને જોગેન્દ્રનાથ મંડલ મંત્રીઓ હતા. કુલ ૧૪ પ્રધાનોમાંથી ચાર મુસ્લીમ હતા.


આઝાદી પહેલાનું હિન્દુસ્તાન – પી. કે. દાવડા 5

૧૫ મી ઓગસ્ટે અંગ્રેજોએ જે હિન્દુસ્તાનને આઝાદી આપી, એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પના આજની પેઢીને નહિં હોય. આ ટુંકા લેખ દ્વારા હું એ સમયનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરૂં છું.

હિન્દુસ્તાનનો આશરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો, જ્યારે બાકીનો ૨૫ ટકા ભાગ નાનામોટા રાજાઓ અને રજવાડાઓના તાબામાં હતા. આ બધા રાજાઓ અને રજવાડાઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોની આણ નીચે જ રાજ કરતા. એમણે અંગ્રેજોની સર્વોપરિતા (Paramountcy) સ્વીકારેલી. આવા રાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. માત્ર ચાર રાજ્યો, હૈદ્રાબદ, મૈસુર, કાશ્મીર અને વડોદરા વિસ્તારમાં મોટા હતા.
અંગ્રેજોના સીધા તાબાવાળો હિસ્સો બ્રિટીશ ઈન્ડીયા તરીકે ઓળખાતા, અને રાજારજવાડા વાળો પ્રદેશ પ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાતો. આ બન્ને પ્રદેશો મળી આખો પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.


ગાંધી, નેહરૂ અને સરદાર – પી. કે. દાવડા 5

૧૯૪૦ સુધી આઝાદીની લડતના ત્રણ મુખ્ય નાયક હતા ગાંધી, નેહરૂ અને સુભાષ. ૧૯૩૯માં સુભાષબાબુને કોંગ્રેસ સાથે મતભેદ થતાં તેમને કોંગ્રેસ પ્રમુખપદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા, અને ૧૯૪૧ માં તો એ છૂપી રીતે દેશ છોડીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ટોચના ત્રણ નેતાઓમાં ગાંધી, નેહરૂ અને સરદારના નામ હતા. સ્વભાવે નહેરૂ સ્વપનશીલ અને આદર્શવાદી હતા, જ્યારે સરદાર પરિસ્થિતિનો તાગકાઢવામાં પાવરધા અને વાસ્તવવાદી હતા. ગાંધીજી બન્નેના સ્વભાવથી સારી રીતે વાકેફ હતા, અને એમને બન્નેની મદદની જરૂર હતી.


છેલ્લા વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન – પી. કે. દાવડા 12

સામાન્ય માણસ લોર્ડ માઉન્ટબેટન વિશે આટલું જ જાણે છે કે એ હિન્દુસ્તાનના છેલ્લા વાઈસરોય હતા, એમણે હિન્દુસ્તાનના બે ટુકડા કરીને આઝાદી આપી અને એમના પત્ની અને નહેરૂ વચ્ચે પ્રેમનો સંબંધ હતો.

ઈતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો હકીકત કંઈક અલગ છે. માત્ર ૪૭ વર્ષની વયના આ છેલ્લા વાઈસરોય એમની અગાઉના અનેક વાઈસરોય કરતાં હિન્દુસ્તાનના વધારે હિતેચ્છુ હતા. ભલે લંડનમાં બેઠેલી અંગ્રેજ સરકારે, હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાનો નિર્ણય લઈ લીધો હોય, પણ એ નિર્ણયનો અમલ બીજો કોઈ  અંગ્રેજ વાઈસરોય આટલી સજ્જનતાથી ન કરત.


અથડામણ, મથામણ અને માથાકૂટ – પી. કે. દાવડા 7

સંબંધોમા અથડામણ થવી સ્વભાવિક છે. દરેક વ્યક્તિને લાગે છે સામાવાળાની ભૂલ છે, અથડામણ માટે એ જ જવાબદાર છે. આપણે એ ભૂલી જઈએ છીએ કે અથડામણ થવા માટે બે જણ જરૂરી હોય છે. અથડામણ દરમ્યાન આપણી શું ભુલ છે એ સમજી શકવું થોડું અઘરૂં છે. આપણી અંદરની ક્રોધ, અદેખાઈ, તિરસ્કાર વગેરે લાગણીઓ આપણને એ ભુલ સમજતાં રોકે છે.


અંતીમ ઉપાય (FINAL SOLUTION) : HOLOCAUST – 11

૧૯૧૪ થી ૧૯૧૮ વચ્ચે થયેલા પ્રથમ વિશ્વયુધ્ધમાં પરાજય પામેલા જર્મનીમાં એક નવી વિચાર ધારાનો જન્મ થયો. આ વિચારધારા અનુસાર યહુદીઓ, જીપ્સીઓ, સર્બિયનો, પોલેન્ડના વિચારકો, નાઝી વિચારધારાનો વિરોધ કરતા લોકો, સમલૈંગિક સંબંધમાં માનનારાઓ, ગુનેહગારો, અસામાજીક તત્વો, ભિખારીઓ અને ફેરિયાઓ એ હલકા પ્રકારના મનુષ્યો હતા, અને માનવજાતી ઉપર બોજારૂપ હતા. આ વિચારધારાએ ૧૯૩૩ માં જર્મનીમાં હીટલરના સત્તા ઉપર આવ્યા બાદ ગતી ધારણ કરી, પણ એનો મોટેપાયે અમલ બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન થયો.


મનુવાદ સરળ શબ્દોમાં.. – પી. કે. દાવડા 18

હિન્દુસમાજની રચના હજારો વર્ષ પહેલા મહર્ષિ મનુએરચેલા ધારાધોરણ મુજબ થયેલી છે. એક રીતે કહી શકાય કે મનુસ્મૃતિ એ હિંદુ સમાજનું બંધારણ છે. મૂળ મનુસ્મૃતિમાં સ્થળ-કાળ અનુસાર ફેરફારો થતા રહ્યાં છે. આજની સમાજ રચના એ મૂળ સમાજરચનાનાનિયમોનું વિકૃત સ્વરૂપ છે. મનુવાદ વિષે સેંકડો ભાષ્ય લખાયા છે, પણ એમાના મોટા ભાગના, સામાન્ય માણસને સમજાય એવા નથી. આ લેખમાં મેંરોજીંદા વપરાશના શબ્દોમાં, બહુ ટુંકાણમાં મનુવાદ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.


ગોવા : ૧૯૭૦ સુધી.. – પી. કે. દાવડા 9

૧૯૬૧ના ડિસેમ્બરમા ગોવા પોર્ચુગીસ શાસનથી મુક્ત થઈ ભારતમા ભળી ગયું. લગભગ આઠ વર્ષ પછી ૧૯૬૯ના ડિસેમ્બરમા મારી બદલી ગોવામા થઈ. ગોવામા “ઝુવારી ફર્ટીલાઈઝર લીમીટેડ” ના નિર્માણનું કામ “લાર્સન એન્ડ ટુબ્રો” ને મળેલું. હું ત્યારે “લાર્સન એન્ડ ટુબ્રો” માં સિવિલ એંજીનીઅર તરીકે કામ કરતો હતો. એ વખતે મુંબઈથી ગોવા જવા એક બસ સર્વિસ હતી, એક ship service હતી અને પૂનાથી બદલી કરી એક મીટરગેજ રેલ્વે હતી. રોજ Vasco Express નામની એક જ ગાડી બપોરે બે-અઢી વાગે મડગાંવ પહોંચતી.


શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા.. – પી. કે. દાવડા 4

ભરોસો, વિશ્વાસ વગેરે શબ્દો આપણે શ્રદ્ધા શબ્દની બદલીમાં વાપરીએ છીએ. વધારે બારીકીથી વિચારીએ તો આ શબ્દો એકબીજાથી થોડા અલગ અલગ છે. વિશ્વાસ અને ભરોસો એકબીજાની વધારે નજીક છે, પણ શ્રદ્ધા એ થોડો અલગ શબ્દ છે. શ્રદ્ધા શબ્દમાં જે ભાવ રહેલો છે, એ બીજા બન્ને શબ્દોમાં નથી. ભરોસો અને વિશ્વાસ થોડા અધૂરા છે, પણ શ્રદ્ધા સંપૂર્ણ છે. નાના બાળકને એની માતાની પ્રત્યેક વાતમાં શ્રદ્ધા હોય છે, એના પ્રત્યેક વર્તનમાં શ્રદ્ધા હોય છે.


સાહિત્ય અને સમાજ – પી. કે. દાવડા 19

સાહિત્ય હંમેશાં સ્થળ અને કાળનાં સ્પંદનો ઝીલે છે. એ સમયના રીતરિવાજ તથા આર્થિક અને સાંસ્કૃતિક બાબતો એમાં વણાઈ જાય છે. સાહિત્યકારોની કાલ્પનિક રચનાઓમાં પણ એ સમયમાં બનતી ધટનાઓની ઝલક મળી રહે છે. આવું થાય છે, કારણ કે સાહિત્યકાર પોતે પણ સમાજનો હિસ્સો છે અને સમાજમાં બનતી ધટનાઓથી એ પોતે અને એનું કુટુંબ પ્રભાવિત થાય છે. આમપણ કોઈપણ વ્યક્તિના વર્તન અને વ્યવહાર પાછળ એના જીવનમાં બનેલી અથવા તેણે જાણેલી ઘટનાઓની અસર થયા સિવાય રહેતી નથી. સાહિત્યકાર પણ આનાથી અછૂતા ન રહી શકે.


આલ્બર્ટ આઈન્સટાઈન, સ્ટીફન હોકીંગ અને નરસિંહ મહેતા.. – પી. કે. દાવડા 14

મેં એ ત્રણેને ભેગા કર્યા છે, કારણ કે પહેલા બે જણાએ જે વાત વીસમી સદીમાં કહી છે, એ જ વાત નરસિંહ મહેતાએ સોળમી સદીમાં કહી છે. ત્રણેના વિષય છે બ્રહ્માંડ (Universe), શક્તિ (Energy) અને તત્વ (mass, matter, elements, molecules). પ્રથમ બે જણાએ પોતાના જીવન દરમ્યાન જ પોતે કહેલી વાતો (theories) વારંવાર બદલી છે, પણ નરસિંહે પોતાની વાત સમસ્ત જીવન દરમ્યાન બદલી નથી. વળી નવાઈની વાત તો એ છે કે જ્યારે જ્યારે પોતાની વાત સિધ્ધ કરવામાં અડચણો આવી છે, ત્યારે ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેઓ નરસિંહની વાત ઉપર જ આવી ગયા છે. ચાલો થોડી વિગતવાર વાત કરૂં.


આધુનિક ભારતના ભૂલાયેલા રચયિતા : વી. પી. મેનન – પી. કે. દાવડા 17

દાવડા સાહેબનો એક અભ્યાસપૂર્ણ લેખ આજે પ્રસ્તુત છે. શ્રી વી. પી. મેનન વિશેની તેમણે પ્રસ્તુત કરેલી વાતો સરદાર વલ્લભભાઈ પટેલની સાથે રહીને ભારતના તમામ રજવાડાઓ અને અન્ય પ્રાંતોને એક કરી દેશની તેમણે કરેલી સેવાની એક આછેરી ઝલક પ્રસ્તુત કરે છે. કેરલની એક શાળાના આચાર્યના પુત્ર એવા રાવ બહાદુર વપ્પાલા પન્ગુન્ની મેનન ભારતીય સિવિલ સર્વિસમાં જોડાતા પહેલા રેલ્વેમાં, કોલસાની ખાણમાં અને તમાકુ કંપનીમાં એમ અનેક નોકરીઓ કરી. તેમની સખત મહેનતે તેમનેે એક પછી એક પદવીઓ અપાવી, સરદારની નજીક આવ્યા પછી તેમની ભારતને અખંડ સંઘ બનાવવાની મહેનત તેમની અગ્રગણ્ય ઉપલબ્ધી મનાય છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી દાવડાસાહેબનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


અખંડ ભારતના ઘડવૈયા, સરદાર પટેલ – પી. કે. દાવડા 16

બ્રિટિશરોએ જ્યારે હિન્દુસ્તાન છોડ્યું ત્યારે પોતાની સંપૂર્ણ સત્તાવાળા પ્રાંતો તો ભારત અને પાકિસ્તાનને સમજોતા પ્રમાણે સોંપી ગયા, પણ ૫૦૦થી ૬૦૦ જેટલાં નાનાંમોટાં રજવાડાંઓને કહી ગયા કે તમે તમારી ઇચ્છા પ્રમાણે ભારત અથવા પાકિસ્તાનમાં જોડાઈ શકો છો અથવા સ્વતંત્ર રહી શકો છો અથવા એક ત્રીજો સંધ પણ બનાવી શકો છો. આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી સરદાર વલભભાઈ પટેલે સ્વીકારી. કુનેહથી એ રજવાડાંઓ ભેગા કરી ભારતીય સંઘનું નિર્માણ કર્યું. તેમના વિશે આજે પ્રસ્તુત છે શ્રી દાવડા સાહેબનો એક સુંદર પરિચય લેખ.


વાત IBM ની… – સંકલન : પી. કે. દાવડા 6

IBM – આજે ૩,૮૮,૦૦૦ માણસોનો સ્ટાફ ધરાવતી કંપનીએ ૧૦૦ વરસ પૂરા કર્યા. આ ૧૦૦ વર્ષમા કંપનીને પાંચ નોબલ પ્રાઈસ મળ્યા. ૧૯૧૧ મા ચાર કંપનીએ ભેગા મળી, CTR નામની કંપનીની સ્થાપના કરી. CTR એટલે Computing Tabulating Recording Corporation. એ વખતે કંપનીમા ૧૩૦૦ માણસોનો સ્ટાફ હતો…. જાણો IBM વિશે અવનવી માહિતી અને ઈતિહાસ.


૯મી નવેમ્બર… – પી. કે. દાવડા 5

૯મી નવેમ્બર, ૧૯૮૯ના બર્લિન-વોલ તૂટી ગઈ. આ પહેલા દુનિયા બે છાવણીઓમા વહેંચાયલી હતી, મૂડીવાદ અને સામ્યવાદ. આ વિચારધારાના વિભાજનને શીતયુદ્ધનું નામ આપવામા આવેલું. મૂડીવાદી દેશોની આગેવાની અમેરિકા પાસે હતી જ્યારે સામ્યવાદી દેશોની આગેવાની રશિયા પાસે હતી. અમેરિકાની છાવણીમા યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલીઆ અને આફ્રિકાના અનેક દેશો હતા. રશિયાની છાવણીમા ચીન અને યુરોપ અને એશિયાના થોડા દેશ હતા. અમેરિકાની ખૂબ નજીક્નું ક્યુબા પણ રશિયાની છાવણીમા હતું. જવાહરલાલ નહેરૂ, ઈજીપ્તના અબ્દુલ ગમેલ નાસર અને યુગોસ્લાવિયાના માર્શલ ટીટો ની ત્રિપુટીએ મળીને તટસ્થ દેશોનો સમૂહ બનાવેલો.


૧૯૭૯ – દુનિયાનો ઇતિહાસ બદલનાર વર્ષ… – પી. કે. દાવડા 7

આમ તો ૧૯૭૯ વર્ષમા આંખોને દેખાયું હોય એવું કંઈપણ બન્યું હોવાનું સામાન્ય માણસને યાદ નહિં આવે, પણ આ વર્ષના ૭ બનાવો આજની પરિસ્થિતી માટે જવાબદાર છે. આપણે આ સાતે બનાવો ઉપર અછડતી નજર નાખીએ.


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 4

વાચકમિત્રોની સંકલિત રચનાઓમાં આજે પ્રસ્તુત છે શ્રી મનુભાઈ દેસાઈની કૃતિ ‘વિશ્વબંધુત્વ’, શ્રી પી. કે. દાવડાની હાસ્ય પદ્યરચના એવી ‘ઈન્ટરનેટને આંગણે શ્રી ગિરધારી’ અને શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયાની સચોટ ધારદાર રચના ‘ગુજરાત છે ભાઈ, અહીં રહો તો જ સમજાય…’ પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


પતિ-પત્ની વચ્ચેના સંબંધોમા અલગ અલગ તબક્કા – પી. કે. દાવડા 8

શરૂઆત થાય છે હળવા મળવાથી. આ તબ્બકામા બન્ને જણ પોતાનું સારાપણું દેખાડવા સભાન પ્રયત્ન કરે છે. આ તબ્બકામા બનેની સહિષ્ણુતા સામાન્ય કરતાં વધારે હોય છે. એકબીજાની નાની-મોટી ભૂલો જતી કરે છે, કારણ કે તેમને એકબીજાનો સહવાસ ગમે છે, અને વધુમા વધુ સમય સાથે ગાળવા પ્રયત્ન કરે છે. સામા પાત્રને કેવું લાગસે વિચારી, તેઓ એકબીજાથી ઘણી વાતો છુપાવે છે. આ તબ્બકામા બધું સમુસુતરું ઉતરે તો સંબંધ બીજા તબ્બકામા પ્રવેસે છે.


જનરેશન ગેપ (વૃધ્ધ મા-બાપ અને યુવાન પુત્ર-પુત્રીઓ) – પી. કે. દાવડા 7

આ વિષય આજે પણ પ્રાસંગિક છે. આપણે આસરે અર્ધી સદી થી જનરેશન ગેપની વાતો કરતા આવ્યા છીએ પણ તેની ખરી અસર અત્યારે જોવા મળે છે. ગેપ વધે છે અને વધારે ઝડપથી વધતો જાય છે. એના અનેક કારણો છે, માનવ જાતીની ઝડપી પ્રગતિ આમાનું એક મુખ્ય કારણ છે. દરેક પેઢી તે સમયમા વર્તમાન સમાજની નકલ કરે છે, થોડી દલીલો અને થોડી તાણ અનુભવ્યા પછી તેમના જીવન દરમ્યાન થયેલા સામાજીક ફેરફારોને અપનાવી લઈ અને તે આવતી પેઢીને વારસામા આપે છે. આ વિષય પર લખવાનું કારણ એક જ છે અને તે કે આ વિષય આપણા બધાને લાગુ પડે છે. આનું નિરાકરણ આપણે સૌએ ભેગા મળીને કરવાનું છે, a common problem needs a common solution.


૧૦ ઘટનાઓ જેથી દુનિયા બદલાઈ… – પી. કે. દાવડા 13

શ્રી પી. કે. દાવડા એક રીટાયર્ડ સીવિલ એંજીનીયર છે અને હાલમા અમેરિકાના કેલીફોર્નિયામાં ફ્રીમોન્ટમાં રહે છે. ૭૬ વર્ષની ઉંમર હોવા છતાં અભિવ્યક્તિની તેમની ધગશને લઈને તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી લખે છે. અક્ષરનાદ પર આ તેમનો દ્વિતિય લેખ છે, છેલ્લા થોડાક વર્ષોના લેખનના મહાવરાએ તેમની કલમને ઔદાર્ય મળ્યું છે જે તેમના લેખમાંથી સુપેરે અભિવ્યક્ત થાય છે. આ લેખ થોડા અલગ પ્રકારના વિષયને સ્પર્શે છે. વીસમી સદીના છેલ્લા દસ વર્ષમાં દુનિયામાં ઘણાં મોટા પરિવર્તનો આવ્યા છે, અનેક અવનવી શોધ અને અનોખી સગવડો ઉભી થવાને લીધે વિશ્વના લોકોની રહેણીકરણીમાં – જીવનપદ્ધતિમાઁ એટલો મોટો બદલાવ આવ્યો કે જાણે આખી દુનિયા જ બદલાઇ ગઈ હોય એવું લાગે. આપણે એક એક કરીને એવા વેબવિશ્વના – કોમ્પ્યૂટર ક્ષેત્રના મહત્વના દસ બનાવ પર નજર નાખીએ. શ્રી દાવડા સાહેબનો પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કાર – પી. કે. દાવડા 11

શ્રી પી. કે. દાવડા એક રીટાયર્ડ સીવિલ એંજીનીયર છે અને હાલમા અમેરિકાના કેલીફોર્નિયામાં ફ્રીમોન્ટમાં રહે છે. ૭૬ વર્ષની ઉંમર હોવા છતાં અભિવ્યક્તિની તેમની ધગશને લઈને તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી લખે છે. અક્ષરનાદ પર આ તેમનો પ્રથમ લેખ છે, છેલ્લા થોડાક વર્ષોના લેખનના મહાવરાએ તેમની કલમને ઔદાર્ય મળ્યું છે જે તેમના પ્રસ્તુત લેખમાંથી સુપેરે અભિવ્યક્ત થાય છે. શિક્ષણ પદ્ધતિના બદલાવના મૂળમાં રહેલ ખૂબ સામાન્ય પરંતુ અગત્યના ફેરફારો તેમણે સાવ બાળસહજ અને જાણીતા ઉદાહરણ દ્વારા સમજાવ્યા છે. ગુજરાતી ભાષાના શિક્ષણથી મળતી માટીની સુગંધ અંગ્રેજીના વ્યાપક પ્રભાવને લઈને નામશેષ – લુપ્ત થઈ રહી છે એ વાતની પ્રતીતી તેમના આ લેખને વાંચ્યા પછી, થયા વગર રહેતી નથી. આવો સુંદર લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી દાવડા સાહેબનો આભાર અને અનેક શુભકામનાઓ.