સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નટવર વ્યાસ


ત્રણ ગઝલ.. – સંકલિત 5

મને ખૂબ ગમતી એવી ત્રણ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. શ્રી નટવર વ્યાસ, શ્રી આદિલ મન્સૂરી અને શ્રી સુધીર પટેલની એવી આ ત્રણેય રચનાઓ અપ્રતિમ છે, સુંદર છે. પ્રથમ રચના સ્વપ્નની સૃષ્ટી છે. સાતેય શેર એક જ વિષય – સ્વપ્ન – ને આવરીને વણાયા છે. બીજી ગઝલ આદિલ મન્સૂરી સાહેબની ‘હજી બેઠો થઉં છું ઉંઘમાં જ્યાં આંખ ચોળીને’ અને ત્રીજી કર્મનો સિદ્ધાંત તથા ધ્યેયની પ્રાપ્તિ માટેની સરળતમ રીત બતાવતી શ્રી સુધીર પટેલની કૃતિ છે, અને આજનું બિલિપત્ર પણ મને એટલું જ પ્રિય છે.


રાધાને કરશો ના વાત… – નટવર વ્યાસ 3

કૃષ્ણ રાજા થઈ ગયા છે, ગોકુળમાં તેમનું આગમન ઝંખી રહેલા બધાંની આંખો તરસી થઈ રહી છે, પણ કૃષ્ણ આવવાનું નામ લેતા નથી. એવામાં જો કૃષ્ણ છાનામાના ગોકુળમાં આવવાનું વિચારે અને વિરહમા ઝૂરતી રાધાને ખબર પડે કે તેઓ આમ આવી ગયા તો એની વેદના કેવી વસમી બની રહે એ જ બતાવવાનો પ્રયત્ન અહિં થયો છે.