સાહિત્યકાર મુજબ સંગ્રહ... : દિનેશ દેસાઈ


ઋતુકલ્પ : પ્રેમની મોસમ બારેમાસ.. – દિનેશ દેસાઈ 5

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે “ગીતાંજલિ” મહાકાવ્યમાં લખ્યું છે કે “પ્રકૃતિના વિવિધ રંગ-રૂપ આપણને પ્રેમ શીખવે છે. પ્રકૃતિને ચાહ્યા વિના આપણે નિતાંત પ્રેમની અનુભૂતિ કરી શકીએ નહીં.”

ખરેખર પ્રકૃતિ અને પ્રેમનો ગાઢ નાતો છે. વિક્રમ સંવત અનુસાર કાર્તિક – કારતક મહિનાથી આસો મહિના સુધીના બાર મહિના અનુસાર ઋતુકલ્પનો વૈભવ આપણને માણવા મળે છે. મોસમના આ ગુચ્છ પોતપોતાના અંદાજમાં આપણને જાણે પ્રેમનો સંદેશ આપે છે. પ્રકૃતિનું સૌંદર્ય આ દરેક મોસમમાં જુદો જુદો મિજાજ પ્રગટ કરે છે. પ્રેમની મોસમ તો બારે માસ જામતી હોય છે. પ્રકૃતિ સ્વયં પ્રેમનું પ્રતીક બની રહે છે.