સાહિત્યકાર મુજબ સંગ્રહ... : દક્ષા વ્યાસ


આજ – દક્ષા વ્યાસ 3

વિવેચક અને કવયિત્રી દક્ષા વ્યાસ વ્યારાની કોલેજમાં ગુજરાતીના અધ્યાપિકા છે. ‘ભાવપ્રતિભાવ’ (૧૯૮૧) અને ‘સૌંદર્યદર્શી કવિઓ’ (૧૯૮૪) એમના સંશોધન વિવેચનના ગ્રંથો છે. ‘અલ્પના’ (૨૦૦૦) એમનો કાવ્યસંગ્રહ છે. પ્રસ્તુત રચનામાં વીતી રહેલી આજનું માનસ દર્શન કવયિત્રીએ કરાવ્યું છે. સાંજની વીતતી ક્ષણો અને રાત ઢળવાની ઘટનાને અનોખા મિજાજથી આલેખીને તેમણે અહીં કમાલ કરી છે. વિશેષણો અને ઘટનાઓની અનોખી ગૂંથણી પ્રસ્તુત અછાંદસને સુંદર માણવાલાયક રચના બનાવે છે.