સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. સંતોષ દેવકર


આદર્શ શિક્ષક કેવો હોય? – ડૉ. સંતોષ દેવકર 5

કૈલાસ ગુરુકુળ ખાતે પૂ. મોરારિબાપુએ સદ્ભાવના પર્વમાં માસ્તરનો અર્થ આ રીતે આપેલો : ‘જે મા ના સ્તર સુધી જઈને ભણાવે તે માસ્તર.’ મા જેવું વાત્સલ્ય, મા જેવો પ્રેમ અને મા જેવું વર્તન જે શિક્ષકનું હોય તેને માસ્તર કહી શકાય. ખરેખર તો આ ત્રણેય પૈકી એક પણ ગુણ જે શિક્ષકમાં ન હોય તેને ‘ માસ્તર ‘ કહેવો અપરાધ ગણાવો જોઈએ. પીટીસી કે બી.એડ્. નું ર્સિટફિકેટ મળી જવા માત્રથી શિક્ષક થઈ જવાતું નથી. “બાળકને જોઈ જે રિઝે, રિઝે બાળક જોઈ તેને, હૃદય-હૃદયના વંદન તેને.” આવું સાબરકાંઠા જિલ્લાના જ્ઞાાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર ઉમાશંકર જોશી લખીને ગયા. માત્ર ડીગ્રી ધારી શિક્ષકો નહિ પણ પ્રેમ, લાગણી અને સહાનુભૂતિથી છલકાતાં હૃદયવાળા શિક્ષકોની આવશ્યકતા છે.


આદર્શ વક્તાની ઓળખ.. – ડૉ. સંતોષ દેવકર 3

વકતા જયારે સમયનું ભાન રાખ્યા વગર અને પૂરતી તૈયારી વગર પ્રવચન કરે ત્યારે તે પ્રવચન “બકવાસ”ની કક્ષાએ પહોંચતું હોય છે. (વકતા કન્વર્ટ ઈનટુ બકતા) પ્રથમ તો વકતા તરીકે કોને બોલાવવા એ મોટો પ્રશ્ન આયોજકો માટે થતો હોય છે. અને ખરેખર ખૂબ અઘરું છે સારા વકતાઓને આમંત્રવા. માનો કે વકતા તો મળી ગયા પરંતુ તેને કોની સામે બોલવાનું છે કે પ્રવચન આપવાનું છે અથવા કાર્યક્રમનો વિષય શું છે? તે બાબતથી માહિતગાર કરવા જોઈએ અથવા વકતાએ આ માહિતિ આયોજકો પાસેથી પહેલેથી જ મેળવી લેવી જોઈએ. શ્રોતાઓની વય ને ધ્યાને નહિ લેતાં વકતાઓ ફજેતી પામતા હોય છે.


બાબા, બાવા ને બાપુઓની માયાજાળ! – ડૉ. સંતોષ દેવકર 12

‘જયહિંદ’ સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ ‘મેઘધનુષ’ અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ ઢોંગી બાબાઓ, બાવાઓ અને બાપુઓ વિશે ઘણી વાતો કહી જાય છે. આવા લોકો અને તેમને માનતા અંધશ્રદ્ધાળુ મૂર્ખો એ સમજતા નથી કે માનવીની શ્રદ્ધા જ્યારે લોજિક (તર્ક) ની સીમા ઓળંગી જાય છે ત્યારે એ ખતરનાક પુરવાર થાય છે. આવાં લોકો માત્ર પોતાના માટે નહિ, આખા સમાજ માટે જોખમી બની જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત વિચારશીલ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.


તેજસ્વી, પ્રયોગશીલ શિક્ષકો અને શિક્ષણનું તંત્ર – ડૉ. સંતોષ દેવકર 4

ડૉ. સંતોષ દેવકરની આજની વાત આપણા શિક્ષણતંત્રની કરોડરજ્જુ એવા પ્રયોગશીલ સમર્પિત શિક્ષકો વિશેની વાત કહે છે. તેમના માટે કેળવણીકારો પ્રયોગશીલ શબ્દ વાપરતાં હોય છે, એવા શિક્ષકો જેઓ પરિપત્રો, સમય અને પુસ્તકોથી ઉપર વિદ્યાર્થીઓના જ્ઞાનસમૃદ્ધિ માટે કામ કરે છે. આપણે દરેકે આપણા શાળાજીવનમાં આવા અમુક શિક્ષકો તો જોયા જ હશે. આજની ડૉ. દેવકરની વાત સમર્પિત છે એવા જ આદરપાત્ર ‘ગુરુ’ને. અક્ષરનાદને આ સુંદર વિચારશીલ લેખ પાઠવવા બદલ ડૉ. દેવકરનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


કોયલના ટહુકાથી ઈશ્વરાનુભૂતિ વાયા આનંદાનુભૂતિ – ડૉ. સંતોષ દેવકર 10

‘જયહિંદ’ સમાચારપત્રમાં રવિવારે પોતાની લોકપ્રિય કૉલમ ‘મેઘધનુષ’ અંતર્ગત લખતા ડૉ. સંતોષ દેવકરનો આજનો લેખ કોયલના ટહુકાની, એના સ્વરની મદદથી આનંદાનુભૂતિની અને એ દ્વારા ઈશ્વરની અનુભૂતિની વાત કહે છે. એ ટહુકાએ જાણે ઉપકાર કર્યો છે, રોજીંદી ક્રિયાઓ બદલાઈ છે, અંતરની અનુભૂતિએ માનસની પ્રકૃતિને બદલી છે, એવા કોયલના ટહુકાને જેણે માણ્યો નથી એણે ઘણુંય ગુમાવ્યુ છે. અક્ષરનાદને પ્રસ્તુત સુંદર રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ ડૉ. દેવકરનો ખૂબ આભાર.


કેળવણીના દાવા કરતી શાળાઓની પોલંપોલ – ડૉ. સંતોષ દેવકર 8

દરેક મા-બાપ ઈચ્છે છે કે પોતાનુ બાળક સારી શાળામાં પ્રવેશ મેળવે. એવી શાળામાં એડમિશન લે કે જ્યાં તેનો સર્વાંગી વિકાસ થાય. જીવનની પ્રત્યેક મુસીબતનો સામનો કરે, તે ક્યાંય પાછો ન પડે. માત્ર હાથ પગની કેળવણી ઉપરાંત મગજ અને હદયની કેળવણી તેને મળે. પણ કેળવણીના દાવા કરતી મોટા ભાગની શાળાઓ સાચી કેળવણી આપવામાં નિષ્ફળ જાય છે. છેતરામણી જાહેરાતો કરીને, મસમોટી ફી ઊઘરાવીને પોતાના આપેલા વચનો પૂરા કરવામાં ઊણી ઊતરે છે. સાચી હકીકત તો એ છે કે કહેવાતી મોટી શાળાઓ સહિત તમામ માત્ર હાથ-પગની કેળવણી આપી શકે છે. મગજ અને હૃદયની કેળવણી આપી શકતા નથી. એ વિશેની વાત ડૉ. દેવકર તેમના પ્રસ્તુત લેખમાં કહે છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર અને શુભકામનાઓ.


ટેલિવિઝનની અસરકારકતા, પારિવારીક સંબંધોનું ઉઠમણું – ડૉ. સંતોષ દેવકર 10

ડૉ. સંતોષ દેવકર જયહિંદ સમાચારપત્રમાં દર રવિવારે ‘મેઘધનુષ’ નામની લોકપ્રિય કૉલમ અંતર્ગત લખે છે. મૂલ્યો આધારીત અને જીવનદર્શન કરાવતા લેખો તેમની વિશેષતા છે. તેમના લગભગ સાતેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે અને બે પ્રકાશન હેઠળ છે. પ્રસ્તુત લેખમાં ટેલિવિઝનની અસરકારકતા અને નજીકની તથા દૂરગામી અસરો પર તેમણે સરસ અને સરળ ચિંતન પ્રસ્તુત કર્યું છે. ટીવીની કૌટુંબિક, શારીરિક, માનસિક, સાંસ્કૃતિક અને સામાજિક અસર વિશે તેમણે વિગતે મુદ્દાસર વાત કરી છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. દેવકરનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.