સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. મેહબૂબ દેસાઈ


અસ્વસ્થ માનવીની સ્વસ્થ કૃતિ – ડૉ. મેહબૂબ દેસાઈ 7

હ્રદયને સ્પર્શી જતી કેટલીક સત્યઘટનાઓને સંકલિત કરીને ડૉ. મેહબૂબ દેસાઈએ ‘મઝહબ હમેં સિખાતા આપસમેં પ્યાર કરના’ શીર્ષક હેઠળ પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યા છે. આ જ પુસ્તકમાંની એક હ્રદયસ્પર્શી અને પ્રેરણાદાયક ઘટના અહીં આજે પ્રસ્તુત કરી છે. ડૉ. જેનાબહેન અને રાહુલભાઈ ઝાલાના અત્યંત સુંદર અને લાગણીશીલ વ્યક્તિત્વનો પરિચય થાય છે. ઘટનાની અંતે એ બંને વિશેની માહિતિ તેમના વિશેના માનને અનેકગણું વધારી મૂકે છે. પ્રસ્તુત લેખ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. મેહબૂબ દેસાઈનો ખૂબ ખૂબ આભાર.


ખુદ્દારી… (પ્રસંગકથા) – ડૉ. મેહબૂબ દેસાઈ 15

છેલ્લા બે દિવસથી વાતાવરણમાં શાંતિ છે. માનવીને માનવી રહેંસી નાંખે, તેને આર્થિક રીતે તબાહ કરી નાંખે, તેને ઘરબાર, સ્વજનોવગરનો કરી નાંખે એવી ભયાનક સ્થિતિમાંથી સૌ કોઇ મુક્તિ ઇચ્છે એ સ્વાભાવિક છે. કારણ કે અંતે તો માનવી ધબકતું હ્રદય ધરાવે છે. એટલે ગમે તેટલી ક્રૂરતાઅ,ઇર્ષા કે રોષ પછી પણ તેના હ્રદયના કોઇક ખૂણામાં માનવતાની મહેક હોય છે જ. અને એટલે જ પાંચ પાંચ દિવસના ભયના ઓથાર નીચેના ઉજાગરા પછી છેલ્લી બે રાત્રીથી હું મારા બેડરૂમમાં નિરાંતે સૂવાનો પ્રયાસ કરું છું. પણ છતાં ક્યારેક ઝબકીને જાગી જાઉં છું અને ચોતરફ જોવા લાગું છું – જાણે કોઇ અમાનુષી ટોળું મારા ઘરને લૂંટી-બાળી તો નથી રહ્યું ને?…