સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. મુકેશ જોષી


ડૉ. મુકેશ જોષીનો ગઝલસંગ્રહ ‘કેડી તૃપ્તિની’ 2

ગુર્જર ગઝલધારાની પાંચમી પેઢીના ઉત્સાહી પ્રતિનિધિ શાયર, ર્ડા. મુકેશભાઇ જોષીની ૧૧૧ ગઝલોનો સંચય ‘કેડી તૃપ્તિની‘ માંથી કેટલાક શે’ર.


ત્રણ ગઝલ – ડૉ. મુકેશ જોષી 2

સોંપ્યું તને, હે રામ! હવે થાય તે ખરું,
તારે હજારો કામ, હવે થાય તે ખરું.

* * *

ઈર્શાદ કહે તો બોલવું, એવી પરંપરા છે,
ચાબૂક પડે તો દોડવું, એવી પરંપરા છે.

* * *

હાથ ઊંચા બે કરી ખંખેરવા જેવા હતા,
એમ મોટા’ભાના મ્હોરા પહેરવા જેવા હતા.


ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોશી 7

ડૉ. જોષીની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની ત્રણેય ગઝલરચનાઓ સુંદર છે. પ્રથમ ગઝલમાં ન કરવા જેવી પ્રવૃત્તિઓની તેઓ વાત મૂકે છે. ‘ગાંધીનગર – ૧૯૪૦ના દાયકામાં’ જેવો આગવો વિષય ધરાવતી તેમની બીજી ગઝલ ગાંધીનગરની આગવી પ્રતિભા અને યાદો રજૂ કરે છે, તો ત્રીજી ગઝલમાં કવિ તેમની ગઝલરચનાની સાર્થકતા વિશે વાત મૂકે છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ચાર ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 12

ડૉ. મુકેશ જોષીનો ગઝલસંગ્રહ ‘ક્ષણોની મહેફિલ’ ગત અઠવાડીયે મળ્યો. ખૂબ પ્રેમથી તેમણે એ મને પાઠવ્યો એ બદલ તેમનો આભાર. તેમની ઇ-મેલ દ્વારા મળતી ગઝલોમાંથી પસાર થવાનો અવસર તો ઘણી વખત માણ્યો છે, પણ તેમના સંપૂર્ણ ગઝલસંગ્રહમાંથી પસાર થવાની ખૂબ મજા પડી. તેમાંથી મને ગમી ગયેલી ગઝલોમાંથી ચાર આજે પ્રસ્તુત કરી છે. ડૉ. મુકેશભાઈને આ સંગ્રહ બદલ અભિનંદન અને તેમની કલમને ભવિષ્યમાં આવા અનેક સંગ્રહો માટેની શુભકામનાઓ.


ગઝલો, મુક્તકો – ડૉ. મુકેશ જોષી 10

ડૉ. મુકેશ જોષીની સુંદર રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. આજે પ્રસ્તુત છે તેમની બે ગઝલરચનાઓ અને ચાર મુક્તકો. સુંદર અને સાતત્યસભર રચનાઓ તેમના સર્જનની વિશેષતાઓ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિઓ પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને શુભકામનાઓ.


ત્રણ ગઝલ રચનાઓ – ડૉ. મુકેશ જોષી 13

અર્થને શોધ્યા કરીશ તો અનર્થ થઈ શકે,
અર્થ તો શબ્દમાં જ કેદ હોવો જોઈએ.

અને

આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ,
આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને.

જેવા અદ્રુત શે’ર સમાવતી ઉપરોક્ત ત્રણ ગઝલ રચનાઓ અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની રચના છે. વિષયની સુંદર માવજત તેમની વિશેષતા છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


ત્રણ ગઝલો.. – ડૉ. મુકેશ જોષી 15

ડૉ. મુકેશભાઈ જોષીની ત્રણ સુંદર ગઝલરચના આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


બે પદ્યરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી 13

ડૉ. મુકેશભાઈ જોષીની બે સુંદર અને અર્થસભર પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષીની થોડીક પદ્યરચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. રચનાઓ બદલ ડૉ. જોષીનો આભાર તથા શુભકામનાઓ.


બે પદ્યરચનાઓ.. – મહેન્દ્રસિંહ પઢીયાર ‘મરમી’, ડૉ. મુકેશ જોષી 7

બે કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. ધોધમાર ધારે વરસતા વરસાદમાં સખીને પોતાના મનની વાત વર્ણવતી નાયિકાની મનોદશાનું સ-રસ આલેખન કવિ શ્રી મહેન્દ્રસિંહ પઢીયાર કરી રહ્યા છે. તો બીજી રચનામાં કવિ શ્રી ડૉ. મુકેશ જોષી તેમની આ પહેલા પ્રસ્તુત થયેલી ગઝલોના પ્રતિભાવનો પ્રતિભાવ આપી રહ્યાં છે. કૃતિઓમાં છંદ-બંધારણ વગેરેની શાસ્ત્રીય ભૂલ વિશે ધ્યાન દોરતા મિત્રોને તેઓ એ રચનાના ભાવ વિશે પણ પોતાનો મત આપવા કહે છે. બંને રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ કવિમિત્રોનો આભાર અને શુભકામનાઓ.


ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોષી 13

અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ બી. જોષી એક અદના ગઝલકાર છે અને તેમની થોડીક ગઝલો તેમણે અક્ષરનાદના ભાવકો સાથે વહેંચવા માટે પાઠવી છે. એ કૃતિઓમાંથી ત્રણ ગઝલ આજે પ્રસ્તુત કરી છે. સુંદર, પૂરતા શેર ધરાવતી અને ગઝલની શિસ્તને વરેલી કૃતિઓ તેમની વિશેષતા જણાય છે. અક્ષરનાદ પરની આ પ્રથમ કૃતિ બદલ ડૉ. મુકેશ જોશીને શુભેચ્છાઓ અને આવી જ અનેકવિધ સબળ રચનાઓ બદલ હાર્દિક શુભકામનાઓ સાથે આભાર.