સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. જયંત ખત્રી


વાંસળી.. (વાર્તા) – ડૉ. જયંત ખત્રી 9

આપણી ભાષાના અગ્રણી અને અનોખા વાર્તાકાર એવા ડૉ. જયંત ખત્રીની અનેક પ્રસિદ્ધ વાર્તાઓ જેવી કે ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ખીચડી’, ‘યાદ અને હું’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, વગેરે વાર્તાઓ વધુ જાણીતી છે. ‘વાંસળી’ તેમની ઓછી જાણીતી પરંતુ ભાવનાત્મક્તાની અનોખી અભિવ્યક્તિ છે. કલાકારની મૂલતઃ શોધ કલાની ઉત્કૃષ્ટતા અને પોતાની પ્રસિદ્ધિ કરતાં પોતાના આંતરીક સૌંદર્યને, અનુભૂતિને અને અભિવ્યક્તિને પામવાની હોય છે, પીરમહમ્મદ, ગોધુ અને વાદકના એમ ત્રણ પાત્રોની વચ્ચે આ અભિવ્યક્તિની સચ્ચાઈનો રણકો વાચકને સ્પષ્ટ સંભળાય છે એમાં જ ડૉ. ખત્રીની અભિવ્યક્તિનો નમૂનો છે. ‘મમતા’ સામયિકના ઓક્ટૉબર-નવેમ્બર ૨૦૧૩, દિવાળી અંકમાથી પ્રસ્તુત વાર્તા સાભાર લીધી છે.