સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. અજય કોઠારી


ચાલ જિંદગી જીવી લઈએ… – ડૉ. અજય કોઠારી (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

થોડાક દિવસ પહેલા અક્ષરનાદ પર આ જ પુસ્તકમાંનો એક લેખ મૂક્યો હતો, ‘૫૫ વર્ષની ઉંમર પછી…’ એ લેખ વિશેના અનેક પ્રતિભાવોમાં આખું પુસ્તક મૂકવા વિશે વિનંતિ કરવામાં આવી હતી. ડૉ. અજય કોઠારીએ આ આખુંય પુસ્તક અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપી તે બદલ અક્ષરનાદના સમગ્ર વાચકવર્ગ વતી હું ડૉ. કોઠારીનો આભાર માનું છું.


chal jindagi Jivi Laiye by Dr. Ajay Kothari

૫૫ વર્ષની ઉંમર પછી… – ડૉ. અજય કોઠારી 16

‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક વિશે પરિચય આપતા ડૉ. કોઠારી જણાવે છે, ‘આપણી જીંદગી કેટલી? કોઈ કહેશે ૬૫ વર્ષની, સરકાર કહે છે સરેરાશ પુરુષની ૬૮ ને મહિલાની ૬૪ વર્ષની, પણ જિંદગી ૩ ફૂટના ઘોડીયાથી માંડીને ૬ ફૂટની ચિતા સુધીની. માત્ર ૩ ફૂટ લંબાતી ખેંચાતી આપણી આ જિંદગી’ તેને ડૉ. કોઠારીએ ઉંમરના હિસાબ સાથે જોડી છે. ‘ચાલ જિંદગી જીવી લઈએ’ પુસ્તક જીવનના વિવિધ તબક્કાઓને – સંબંધોને – તથ્યોને આવરે છે. જીવનસાથી, સંતાનો, પૌત્રો અને વંશવેલો, મિત્રો, ૫૫ વર્ષની ઉંમર પછી, જાતિય સંબંધ, ભગવાન, હોસ્પિટલ, અંતિમ યાત્રા જેવા વિવિધ પ્રકરણ ધરાવતી આ સુંદર પુસ્તિકાની ચાર વર્ષમાં ચાર પુનઃઆવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. આજે તેમના પુસ્તક ‘ચાલ જિંદગી જીવી લઈએ’ માંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત કર્યું છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને આવા હજુ અનેક પુસ્તકો તેમનાથી આપણને મળતા રહે એવી અનેક શુભકામનાઓ.