સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જમીલા નિશાત


1984 કોમી રમખાણોની સ્મૃતિઓ – ભક્તિ કૌર, અનુ. વિનોદ મેઘાણી 3

વિકૃત માનસ કેટલું નુકસાન કરી શકે તેનાથી આપણને સતત ચેતતાં રાખવા માટે કેટલીક સ્મૃતિઓ ધબકતા ઝખ્મોની જેમ મગજમાં સદા સળવળતી રહેવી જ જોઈએ. શ્રી વિનોદ મેઘાણી દ્વારા અનુવાદિત અને સંપાદિત પુસ્તક “તેજોમયી” મૌખિક ઈતિહાસને લગતી કાર્યશિબિરોમાં રજૂ કરાયેલી મહિલાઓની કેફિયતો પર આધારિત વૃત્તાંતોનું ધ્રૃજાવી દેનારું સંકલન છે. એકે એક પાને, એકે એક શબ્દે આપણા સમાજે સ્ત્રિઓને આપેલા હ્રદયદ્રાવક ઝખ્મોનો ચિતાર તેમાં છે. ૧૯૮૪ માં દિલ્હીમાં થયેલા શિખ વિરોધી હુલ્લડો દરમ્યાન ઘણાં શીખ બાળકો અને પુરૂષોને રહેંસી નાખવામાં આવેલા. આવી નિર્મમતાનો, આવી અમાનવીય હીનતાનો દાખલો ઈતિહાસમાં જડવો મુશ્કેલ છે. આ ઘટના ભોગવનારા શ્રી ભક્તિ કૌરની જે કેફિયત એ પુસ્તકમાં આપેલી છે તેનો એક ભાગ અહીં લીધો છે. સમાજને એક સુઘડ અને સ્વસ્થ વ્યવસ્થાતંત્રથી ચલાવવા આવી અમાનવીય ઘટનાઓ ન સર્જાય એ જ સૌના હિતમાં છે એ આ વૃતાંત પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.


ત્રણ અછાંદસ કાવ્યો – જમીલા નિશાત 2

જમીલા નિશાત ઉર્દૂ કવયિત્રી છે, એ કહે છે કે એમને કવિતા સ્વપ્નપ્રતિમા રૂપે સ્ફૂરે છે, રંગબેરંગી વિવિધ આકારોમાં. મંદિરોની મુલાકાતો, મસ્જીદોના તહેવારોની ખુશાલીઓ વગેરેના મૈત્રી અને સહિયારાપણાની ભાવનાવાળા વાતાવરણમાં તેમનો ઉછેર થયો હોવાથી હૈદરાબાદના હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેની ઘૃણા અને દુશ્મનાવટ એમનું કોમળ હ્રદય સ્વિકારી શક્તું નથી. સ્ત્રિઓને અનેક પ્રકારના બંધનો અને દબાણોને તાબે થયેલી જોનારી એક નારી તરીકે જમીલા મુસ્લિમ યુવતિઓમાં સભાનતા, આત્મવિશ્વાસ અને શક્તિ જગાવવા પ્રયત્નશીલ છે. એ ઉર્દૂ માં લખે છે, તેમના કાવ્યોમાં વેદનાની લહેર છે, ૧૯૯૮માં ‘સ્પેરો’ની એક કાર્યશિબિરમાં તેઓ પોતાના જીવન અને કાર્ય વિશે બોલ્યાં હતાં, અને કવિતાઓનું પઠન કરેલું, પ્રસ્તુત રચનાઓ એ રેકોર્ડીંગ પર આધારિત સંકલન પુસ્તક માંથી લેવામાં આવી છે. તેમનાં શિર્ષક વગરનાં અછાંદસ કાવ્યોમાં એક અનોખી દર્દરેખા ઝળકી જાય છે જે ભાવકને દર્દના એ વિસ્તારનો સહજ અનુભવ કરાવી જવા સમર્થ છે.