સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ચૈતન્યબાળા દિવેટિયા


છેલ્લી ઘડી – ચૈતન્યબાળા દિવેટિયા 2

ચૈતન્યબાળા દિવેટિયા (૧૯૧૯-૧૯૯૪) રચિત ‘અક્ષત’ (૧૯૬૦) તેમનો સ્વરચિત કાવ્યરચનાઓનો સંગ્રહ છે. પ્રસ્તુત રચના તેમના આ જ સંગ્રહમાંથી લેવાઈ છે, મંદાક્રાન્તા, અનુષ્ટુપ, વસંતતિલકા, શિખરિણી, ઇન્દ્રવજ્રા જેવા છંદોનો ઉપયોગ કરીને શાહજહાંની વેદના અને તાજમહાલ સાથેના તેના જીવનની કરુણતા તેમણે બખૂબી વર્ણવી છે. પોતાના જ વારસો દ્વારા કેદમાં નખાયા પછી પશ્ચાતાપ રૂપે કહેવાયેલી વાત એ મહેલના ઘડવૈયાઓના કાપી નંખાયેલા હાથ અને તેમની બદદુવાઓને લઈને, એક પ્રેમી મટીને રાજા બનવાની સજા ભોગવી રહ્યા હોવાની કથની સુંદર રીતે કહેવાઈ છે.