સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ચંદ્રકાંત બક્ષી


બક્ષીબાબુના વિચારવલોણાં… 19

ગત અઠવાડીયે એક અનોખું સંકલન હાથમાં આવ્યું, અમદાવાદના શ્રી નાથાલાલ ર. દેવાણી દ્વારા કરાયેલ આ સંકલન જાણે ડાયરીમાં જેમ ગમતી વસ્તુઓ નોંધીએ તે જ રીતે ધૂમકેતુ, ગુણવંત શાહ, સુરેશ દલાલ, કુન્દનિકા કાપડીયા, કાંતિ ભટ્ટ, ચંદ્રકાંત બક્ષી, શાહબુદ્દીન રાઠોડ અને વજુ કોટકના પુસ્તકોમાંથી ચૂંટીને પોતાના હસ્તાક્ષરોમાં મૂક્યું છે. તેમના હસ્તાક્ષરો કોઈ પ્રિન્ટને ટક્કર મારે એવા અનોખા અને મનમોહક છે. નાથાલાલભાઈના પ્રસ્તુત સંકલનમાંથી શ્રી ચંદ્રકાંત બક્ષીના ત્રણ પુસ્તકો, આદાન, પ્રદાન અને અન્ડરલાઈનમાંથી તેમણે ચૂંટેલા – પસંદ કરેલા વિચારવલોણાઓ પ્રસ્તુત છે.