સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ખલિલ જિબ્રાન


સોનેરી જીવનસૂત્રો – ખલિલ જિબ્રાન, અનુ. ધૂમકેતુ 4

સીરિયાના લેબૅનૉનમાં બશેરી ગામમાં ૧૮૫૩ના જાન્યુઆરીમાં ખલિલ જિબ્રાન જનમ્યા. જિબ્રાન એટલે આત્માનો વૈદ્ય, ખલિલ એટલે પસંદ કરાયેલો, પ્રેમભર્યો મિત્ર. એશિયામાં જે કેટલીક અદ્વિતિય પ્રતિભાઓ જન્મી છે, એમાં ખલિલ જિબ્રાન અગ્રસ્થાને છે. એની પાસે ટાગોરની સુંદરતા, સચ્ચાઈ અંગ્રેજ કવિ બ્લેઇકની અને કિટ્સની બારીકી છે. એ કવિ હતો, ચિત્રકાર હતો, ફિલસૂફ હતો – અને આ બધું હતું એટલે એ લેખક હતો! અને આશ્ચર્ય એ છે કે આ વાક્યનું પ્રતિવાક્ય પણ એટલું જ સત્ય છે. એનું લખાણ જેટલી વાર વાંચીએ એટલા નવા અર્થો મૂકતું જાય છે. આજે એવા જ કેટલાક સર્જનનું ધૂમકેતુએ કરેલ અનુવાદ પ્રસ્તુત છે.


એ દેશની ખાજો દયા… – ખલિલ જિબ્રાન, અનુ. મકરન્દ દવે 6

ચાર વરસની ઉંમરે જેમણે ચિત્રકળા માટે પૂરતો કાગળ મળી રહે એ માટે બગીચામાં કાગળ વાવ્યો હતો એવા કાગળના ઝાડની કલ્પના કરનાર બાળકવિ ખલિલ જિબ્રાન અગ્રગણ્ય કવિ – લેખક હતાં. આપણા દેશની આજની પરિસ્થિતિઓ જોઈને આજે મન થયું જિબ્રાનને યાદ કરવાનું. વિદેશી રોકાણ માટેનો રાજકારણીઓનો ઉત્સાહ, મંદીના વમળોમાં ઘેરાયેલ અર્થવ્યવસ્થા, ગરીબોની વધતી સંખ્યા અને સમાજવાદનો ઘોર પરાભવ, સત્તા અને સંપત્તિનું કેન્દ્રીકરણ, રાજકારણીઓ અને સત્તાધારીઓના વિશાળ ગોટાળાઓ અને આ બધી અવ્યવસ્થાઓ વચ્ચે મુંઝાયેલ, ઘેરાયેલ એક અદનો સામાન્ય માણસ. તેઓ કહે છે, ‘Pity thy nation whose statesman is a fox, whose philosopher is a juggler and whose art is an art of patching and mimicking.’ આ રચનાનો અનુવાદ / આસ્વાદ શ્રી મકરન્દ દવેએ કરાવ્યો છે, જાણે દેશ માટેની જિબ્રાનની વેદનાનો સાક્ષાત્કાર થયો હોય એવો સચોટ અનુવાદ તેમણે આપ્યો છે.


વિદાય વેળાએ … – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા) 1

ખલિલ જિબ્રાનના વિશ્વવિખ્યાત પુસ્તક “The Prophet ” નો ગુજરાતી અનુવાદ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ “વિદાય વેળાએ…” નામથી કરેલો છે. આ પુસ્તક વિશે જ્યોર્જ રસેલ કહે છે, “મને નથી લાગતું કે રવિન્દ્રનાથ ઠાકુરની ગીતાંજલી પછી પૂર્વમાંથી એવો સુંદર ધ્વનિ નીકળ્યો હોય જેવો – ખલિલ જિબ્રાન – જે ચિત્રકાર તેમજ કવિ છે – તેમના ‘ધ પ્રોફેટ’ માંથી સંભળાય છે. વિચારમાં આના કરતાં વધારે સુંદર પુસ્તક મેં વર્ષોથી જોયું નથી. અને એ વાંચતા સોક્રેટીસે ‘ધ બેંક્વેટ’ માં કહેલું વાક્ય કે – વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધારે જાદુઈ અસર ઉપજાવે છે – એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે.” આ અનુવાદમાંથી આજે ધર્મ અને પ્રાર્થના વિશેના બે પ્રકરણો અહીં પ્રસ્તુત છે.