સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ક્ષિતિમોહન સેન


પ્રેમસૂત્રમાં પરોવાયેલાં – ક્ષિતિમોહન સેન 1

પહેલાના સમયમાં ગુરૂ શિષ્ય પરંપરાનો યુગ હતો, વિદ્યાર્થીઓ ગુરૂના આશ્રમે રહી વિદ્યા અભ્યાસ કરતા, સાથે આશ્રમના બધાં કામ કરતાં, નાના મોટા કે ઉંચા નીચા કામનો ભેદ ત્યાં કદી આડો ન આવતો અને આમ જીવનનો સૌથી મહત્વનો પાઠ તેઓ ત્યાં શીખતાં. તો સામે પક્ષે ગુરૂઓ પણ વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ ભાવનાઓ અને સદવિચારના પ્રસાર માટે બધું કરી છૂટતાં. ગુરૂ શિષ્યના સુંદર સંબંધો વિશેની વાતો અને કથાઓ આપણે ત્યાં અપાર છે. એક ગુરૂની પોતાની મુશ્કેલીઓ અને અંગત સંબંધોને વીસરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની ઉચ્ચભાવના અહીં પ્રસ્તુત કરેલા પ્રસંગમાં વર્ણવાઈ છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે આશા છે પ્રસ્તુત પ્રસંગ સમયોચિત બની રહેશે.