સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કિશોરલાલ મશરૂવાળા


ભાષાના પ્રશ્નો, લિપિના પ્રશ્નો – કિશોરલાલ મશરૂવાળા 4

આર્થિક, સામાજિક, સાહિત્યિક, કળાત્મક, સાંસ્કારિક વગેરે જીવનની કોઈ પણ બાજુ આપણે તપાસીશું તો આપણો આ સ્વભાવ દેખાઈ આવશે. તે પૈકી આ પ્રકરણમાં ભાષાનો પ્રશ્ન વિચારવો છે. આપણી હાલની પ્રાન્તીય ભાષાઓ બહુ મોટે ભાગે સંસ્કૃત ભાષાનું ખાતર ચૂસીને ઊછરેલી વિવિધ વેલીઓ છે એમાં શંકા નથી. પણ સંસ્કૃત ખાતરનો ભાગ બહુ મોટો હોય તોય તેમાં બીજી ભાષાનાં ખાતરોપણ છે જ. સાચી વાતતો એ છે કે આપણી પ્રચલિત ભાષાઓ સંસ્કૃત + સ્થાનિક તેમ જ પુરાણી કે નવી આવેલી પ્રજાઓની ભાષાઓથી સરી પેઠે મિશ્રિત છે. ભાષા કરતાંયે લિપિ વધારે બાહ્ય વસ્તુ છે. ભાષાને લખાણમાં પ્રગટ કરવાનું એ સાધન છે. એને લખનારા કે બોલનારાની ન્યાત, જાત, ધર્મ, પ્રાન્ત, રાષ્ટ્ર વગેરે સાથે સંબંધ નથી.


વિદાય વેળાએ … – ખલિલ જિબ્રાન (અનુ. કિશોરલાલ મશરૂવાળા) 1

ખલિલ જિબ્રાનના વિશ્વવિખ્યાત પુસ્તક “The Prophet ” નો ગુજરાતી અનુવાદ શ્રી કિશોરલાલ મશરૂવાળાએ “વિદાય વેળાએ…” નામથી કરેલો છે. આ પુસ્તક વિશે જ્યોર્જ રસેલ કહે છે, “મને નથી લાગતું કે રવિન્દ્રનાથ ઠાકુરની ગીતાંજલી પછી પૂર્વમાંથી એવો સુંદર ધ્વનિ નીકળ્યો હોય જેવો – ખલિલ જિબ્રાન – જે ચિત્રકાર તેમજ કવિ છે – તેમના ‘ધ પ્રોફેટ’ માંથી સંભળાય છે. વિચારમાં આના કરતાં વધારે સુંદર પુસ્તક મેં વર્ષોથી જોયું નથી. અને એ વાંચતા સોક્રેટીસે ‘ધ બેંક્વેટ’ માં કહેલું વાક્ય કે – વિચારનું સૌંદર્ય આકૃતિના સૌંદર્ય કરતા વધારે જાદુઈ અસર ઉપજાવે છે – એ મને વધારે સ્પષ્ટપણે સમજાય છે.” આ અનુવાદમાંથી આજે ધર્મ અને પ્રાર્થના વિશેના બે પ્રકરણો અહીં પ્રસ્તુત છે.