સાહિત્યકાર મુજબ સંગ્રહ... : કલ્યાણી વ્યાસ


સ્નેહાંજલી (ટૂંકી વાર્તા) – કલ્યાણી વ્યાસ 7

શ્રી કલ્યાણીબેન વ્યાસની ફેબ્રુઆરી ૨૦૧૩માં ‘અખંડ આનંદ’ સામયિકમાં પ્રસ્તુત થયેલી વાર્તા ‘સ્નેહાંજલી’ અહીં પ્રસ્તુત કરી છે. અખંડ આનંદ સામયિકમાં આવતી કૃતિઓ સત્વસભર અને સુંદર ઉપદેશની સાથે આવે છે એવો સામાન્ય અનુભવ છે, એ જ માર્ગ પર કલ્યાણીબેનની પ્રસ્તુત કૃતિ પણ ઘટનાક્રમની સાથે સાથે સુંદર સંદેશ લઈને આવે છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કલ્યાણીબેનનો ખૂબ ખૂબ આભાર.


બાળક અને વૃદ્ધ – કલ્યાણી વ્યાસ 11

બાળપણ અને વૃદ્ધત્વ, જીવનના બે એવા ભિન્ન સીમાચિહ્નો જે ખૂબ અલગ હોવા છતાં સમાન ભાસે છે, એકમેકને પૂરક હોય એમ અનુભવાય છે. આ જ બાળપણ અને વૃદ્ધત્વની વાત લઈને કલ્યાણીબેન વ્યાસ આજે આપણી સમક્ષ એ બંનેની સમરૂપતા વિશેના સુંદર ભાવનાત્મક વિચારો પ્રસ્તુત કરે છે. બાળકમાં એક વૃદ્ધની તન્મયતા અને આનંદ તથા એ જ વૃદ્ધ પ્રત્યેનો એક નાનકડા બાળકનો કાલોઘેલો સ્નેહ – એ બંને અનોખી વાતોના સંગમને લઈ તેઓ આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કલ્યાણીબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


પરિતૃપ્તિ – કલ્યાણી વ્યાસ 3

વાંચકમિત્રોની કૃતિઓ સતત અક્ષરનાદને મળતી રહે છે, જેમાં પદ્ય રચનાઓ વિશેષ હોય છે. જો કે તેમાંની બધી કૃતિઓ અહીં સમાવવી શક્ય નથી, પરંતુ મહત્તમ રચનાઓને અહીં સમાવવાનો પ્રયત્ન કરાય છે. યોગ્ય રચનાઓ વહેલી મોડી પણ અવશ્ય પ્રસ્તુત કરાય છે. થોડાક સમય પહેલા અક્ષરનાદને મળેલ શ્રીમતી કલ્યાણીબેન વ્યાસની અછાંદસ રચના આજે પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.