સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ઉર્વશી પારેખ


ચાર પદ્યરચનાઓ.. – ઉર્વશી પારેખ 6

ઉર્વશીબેન પારેખની ચાર કાવ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ


એરીઝોનાની ધરતીને.. યુનિવર્સિટીને.. (બે અછાંદસ) – ઉર્વશી પારેખ 10

એરીઝોના યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ ખાતર ગયેલા યુવાનને તેની મહેનતના પરિપાક રૂપે એમ.એસની ડિગ્રી મળે છે, એ બદલ આભારની લાગણી વ્યક્ત કરવાનો એક ભાવ એ યુવકની માતાના મનમાં ઉદભવે છે, યુવકને એ સ્થળ, એ વસ્તુઓ અને લોકો સાથે લાગણી હોય એ સમજી શકાય એવી બાબત છે, પરંતુ તેની આ સફળતા બદલ દૂર દેશાવરથી તેની માતા પણ એ સર્વેનો આભાર માને છે, એક ડાયસ્પોરા યુવકની સફળતાનો યશ તેની ભારતીય માતા સજીવ-નિર્જીવ વસ્તુઓને કેવી સુંદર રીતે આપે છે એવા મતલબની વાત પ્રસ્તુત બે અછાંદસ સુપેરે કહી જાય છે. પ્રસ્તુત અપ્રગટ અછાંદસ કાવ્યો અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા માટે પાઠવવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


ચાર કાવ્યરચનાઓ – ઉર્વશી પારેખ 10

ભીનાશને અને સંવેદનાઓને કેવો ગાઢ સંબંધ હશે! ખુશીઓ પણ આંખમાં પાણી લાવે અને દુઃખો પણ, પથ્થરોના મકાનોમાં વસતી હીમ જેવી થીજી ગયેલી લાગણીઓ ભીતરમાં નર્યા સ્પંદનો અનુભવે છે. ઉર્વશીબેનના સુંદર ‘અછાંદસ’ સંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર..’ માંથી ઉપરોક્ત કાવ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. ભીની લાગણીઓના સંબંધોને શોધતાં શોધતાં કરોળિયાની જેમ અટવાયા કરવું એ જ તો કાવ્યનું મૂળ છે, અને કાવ્યોમાં લાગણીના, સંવેદનાના અને ઝંખનાઓના દરેક પાસાને કોમળતાથી સ્પર્શતી તેમની કલમ અનેરી પ્રતીતિ કરાવે છે. સંગ્રહ અક્ષરનાદને ભેટ કરવા બદલ અને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


મા ને અભ્યર્થના.. – ઉર્વશી પારેખ 11

ઉર્વશીબેન પારેખના સુંદર અને અનુભૂતિસભર કાવ્યસંગ્રહ ‘ભીની ભીની ઝંખનાની કોર..’ માંથી પ્રસ્તુત કાવ્ય લેવામાં આવ્યું છે. માતાને અભ્યર્થના કરી રહેલ સંતાન તેના ગુણોને, તેની ક્ષમતાઓ, લાગણીઓ અને કપરા સંજોગોમાં પણ મક્કમ રહી સામનો કરવા જેવી વાતને યાદ કરી તેમના જેવા જ ગુણો પોતાનામાં સિંચાય એવું યાચે છે. સુંદર કાવ્યસંગ્રહ અક્ષરનાદને પાઠવવા અને આ કાવ્ય પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.


માને એમ કે… – વિનોદ ગાંધી, આસ્વાદ : ઉર્વશી પારેખ 12

એક માતાની તેના બાળક માટેની ઝંખનાનું આ કાવ્ય છે. બાળકો મોટા થઇ જાય પછી માતા અને મોટા થયેલા સંતાનો વચ્ચેનો સંબંધ મૂળ અને ફૂલ વચ્ચેનાં સંબંધ જેવો હોય છે. માતા પરદેશ ગયેલા પુત્ર માટે અલગ પ્રયત્નો-ઘટનાઓ વડે પુત્રનાં પાછા આવવાની આશા રાખે છે, રાહ જુએ છે માનું હ્રદય છે ને તેથી આજે નહીં તો કાલે, આ કારણે નહિ તો બીજા કારણે પણ એ ચોક્કસ પાછો આવશે. નહીં આવે તેવો તો વિચાર પણ નથી કરી શકતી. કવિશ્રીએ આ કવિતામાં આશાભરી, રાહ જોતી માતાનું મન સરસ રીતે તાદ્શ્ય કર્યુ છે. પ્રસ્તુત રચના ઉર્વશીબેન પારેખના કાવ્યાસ્વાદના સુંદર પુસ્તક ‘કાવ્યાનુભૂતિ’ માંથી સાભાર લેવામાં આવી છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા બદલ ઉર્વશીબેન પારેખનો ખૂબ ખૂબ આભાર.