સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ઈલા આરબ મહેતા


ચહેરો – ઈલા આરબ મહેતા 6

સ્વ. ગુણવંતરાય આચાર્યની દીકરી ઈલા આરબ મહેતાએ પિતાજીનો સાહિત્યનો વારસો જાળવી રાખ્યો, બલકે વધાર્યો. ખાસ કરીને નવલકથા અને વાર્તાસાહિત્યમાં તેમનું મુખ્ય પ્રદાન રહ્યું છે. વ્યવસાયે અધ્યાપિકા હતાં એટલે એમની અભ્યાસવૃત્તિનો લાભ એમની વાર્તાઓને મળ્યો છે. તેમની અમુક જ વાર્તાઓ સંપાદન-સંગ્રહોમાં જોવા મળે છે. એ સિવાય પણ તેમની ઘણી વાર્તાઓ સુંદર કલાના નમૂના જેવી છે. તેમની ‘ચહેરો’ વાર્તા આપણા સાહિત્યની એક સદાબહાર, તરોતાઝા વાર્તા છે. ‘રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ’ પુસ્તકમાંથી આ વાર્તા સાભાર લીધી છે. ડૉ. અસ્મા માંકડ દ્વારા સંપાદિત આ સંગ્રહમાં ૪૩ આવી જ સુંદર સદાબહાર વાર્તાઓ છે.