સાહિત્યકાર મુજબ સંગ્રહ... : આશિત હૈદરાબાદી


મને પણ એક જો બૈરી અપાવો… – ગિરિરાજ બ્રહ્મભટ્ટ “સરળ” 4

આપણે ત્યાં અનેક પ્રકારના ‘વા’ નું વર્ણન આવે એ, જેમ કે હડકવા, રતવા, લકવા, સંધિવા વગેરે, આમ સંસારશાસ્ત્રમાં પણ એક ‘વા’ નો ઉપદ્રવ ફેલાયેલો છે, એ પરણ’વા. અનેક માંગા નાખ્યા પછી, ટ્રાય કર્યા પછી, રિજેક્ટ થયા પછી હજુ પણ જેને સંસાર-કાર ચલાવવાનું લાયસન્સ મળ્યું નથી એવાઓ માટે આ રચના પ્રસ્તુત છે. આવા ચૂંટાવા લાયક મૂરતીયાઓ તે પછી સાધુ સંતો, દોરા ધાગાના રવાડે ચઢી જાય છે, કોઈક પોતાના જીવનરથના પૈડાની વ્યવસ્થા કરી આપે તે માટે કંઈ પણ કરવા તૈયાર લોકોના મનની વેદનાને વાચા આપી છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ, ‘સરળ’ ની પ્રસ્તુત રચનાએ. તો કાવ્યનું જેમ પ્રતિકાવ્ય હોય તેમ આ ગઝલની પ્રતિગઝલ આપી છે આશિત હૈદરાબાદીએ. આવો આજે આ હાસ્યહોજમાં ડૂબકા મારીએ.


ચાલો ગઝલ શીખીએ… (ભાગ 3) આશિત હૈદરાબાદી (છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના પ્રકારો) 10

આજે ગઝલ સિવાય છંદશાસ્ત્રના ઉપયોગથી સર્જાતી અન્ય પ્રકારની રચનાઓ વિશે માહિતિ લઈએ. જો કે ગઝલના છંદશાસ્ત્રનો પરિચય આ બધાજ પ્રકારોની મૂળભૂત સમજ માટે જરૂરી છે, પરંતુ તેમના બાહ્ય માળખામાં આવતા ભેદનો પ્રથમ પરિચય કરીએ. એ પ્રકારો છે, મુસલ્સલ ગઝલ, મુખમ્મસ (પંચપદી), મુસદ્સ (ષટપદી), નઝમ, રૂબાઈ, કસીદા, તરહી ગઝલ, મુક્તક, તઝમીન, હઝલ અને પ્રતિ-ગઝલ. આજે છંદશાસ્ત્ર પ્રમાણેના ગઝલ સિવાયના આ પ્રકારો વિશેની માહિતિ. આવતા અંકથી હવે ગઝલના છંદશાસ્ત્ર અને વિવિધ બહેરોનો વિગતવાર અભ્યાસ શરૂ કરીશું.


જુમો ભિસ્તી – ધૂમકેતુ 50

શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, ‘ધૂમકેતુ’ (૧૨-૧૨-૧૮૯૨ થી ૧૧-૩-૧૯૬૫)આપણી ભાષાના અગ્રસ્થ નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક – વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર અને નાટ્યકાર. તેમને ૧૯૩૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડ્યા છે. પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે પ્રતિષ્ઠિત છે. અનેક ભાવસભર વાર્તાઓના સર્જનને કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આદ્યપ્રણેતા ગણાય છે. ‘તણખા’ મંડળના ચાર ભાગોમાં એમની વાર્તાઓનો ખજાનો સંગ્રહસ્થ છે. પ્રસ્તુત વાર્તા પણ તણખા ભાગ – માંથી લેવામાં આવી છે. જુમો ભિસ્તી મારું શાળા સમયથી ખૂબ પ્રિય પાત્ર રહ્યું છે, મને ખૂબ જ પ્રિય એવી જુમો ભિસ્તી, અપરમાં, પોસ્ટઓફીસ, લોહીની સગાઈ વગેરે વાર્તાઓ અભ્યાસક્રમમાંથી નીકળીને જીવનક્રમમાં સમાઈ ગયેલી સાહિત્યરચનાઓ બની રહી છે, કેટલીય પેઢીઓની તે મનગમતી વાર્તાઓ છે. આ સુંદર રચના ગોપાલભાઈ પારેખની મદદ વગર પ્રસ્તુત ન કરી શકાઈ હોત, તેમનો ખૂબ આભાર.