સાહિત્યકાર મુજબ સંગ્રહ... : આર્નોલ્ડ ટૉયન્બી


ધર્મ – એક શાશ્વત આવશ્યકતા? – આર્નોલ્ડ ટૉયન્બી, અનુ. તખ્તસિંહ પરમાર 1

માનવ જીવનનું અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન પ્રત્યેક યુગમાં વિચારાયો છે, ચર્ચાયો છે. કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે, આમ તો બધા વર્ગને, ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે, તેઓનું દ્રષ્ટિબિંદુ કેળવાય તેવી, બે દેશો વચ્ચેના વિદ્વાનો – પશ્ચિમના ટૉયન્બી અને પૂર્વના વકાઈઝુમી વચ્ચેના સંવાદ દ્વારા સર્જાયેલી આ ઉદબોધક પ્રશ્નોત્તરી ‘ભાવિમાં ટકી રહેવા માટે’ પ્રગટ કરાયેલી, શ્રી તખ્તસિંહ પરમાર દ્વારા તેનો ગુજરાતી અનુવાદ કરાયેલો છે. ધર્મનું ભાવિ, આધ્યાત્મિક સમૃદ્ધિ અને ભૌતિક સમૃદ્ધિઓ વચ્ચેની ભેદસૃષ્ટિ, ટેકનોલોજીને મદદ કરી રહેલ વિજ્ઞાન ધર્મને મદદ કરી શકે કે નહિં જેવા અનેક પ્રશ્નોને પોતાની તર્કબદ્ધ દલીલો સાથે પ્રસ્તુત લેખમાં ટોયન્બી સ્પર્શે છે.


ટેકનોલોજીનાં દબાણ નીચેનો સમાજ – આર્નોલ્ડ ટૉયન્બી (અનુ. તખ્તસિંહ પરમાર) 2

માનવ જીવનનું અસ્તિત્વ ટકાવવાનો પ્રશ્ન પ્રત્યેક યુગમાં વિચારાયો છે, ચર્ચાયો છે. કાળના પ્રબળ પ્રવાહ સામે, વિશ્વના પ્રત્યેક પળે પલટાતા સંયોગોમાં અર્થાત ભાવિમાં ટકી રહેવા માટે, આમ તો બધા વર્ગને, ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન મળે, તેઓનું દ્રષ્ટિબિંદુ કેળવાય તેવી, બે દેશો વચ્ચેના વિદ્વાનો – પશ્ચિમના ટૉયન્બી અને પૂર્વના વકાઈઝુમી વચ્ચેના સંવાદ દ્વારા સર્જાયેલી આ ઉદબોધક પ્રશ્નોત્તરી પ્રગટ કરાયેલી, શ્રી તખ્તસિંહ પરમાર દ્વારા તેનો ગુજરાતી અનુવાદ કરાયેલો છે. ટેકનોલોજીની ક્રાંતિના પરીણામે ઉભા થયેલા પ્રશ્નો અને યુદ્ધ જેવા માનવ અસ્તિત્વને પડકારતા પ્રશ્નોને પ્રસ્તુત લેખમાં ટોયન્બી સ્પર્શે છે.