સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : અન્ય સાહિત્ય


અમારા સ્કુટીવાળા માજી… – લીના જોશી ચનિયારા 5

આ જ દિવાળીફઈની એક વાતે મને અચંબામાં નાખી દીધી જ્યારે મને ખબર પડી કે એ રાજકોટના રસ્તાઓ પર સ્કુટી પણ ચલાવે છે અને રાજકોટ માં “સ્કુટીવાળા માજી” તરીકે પ્રખ્યાત છે. મને ખૂબ જ ગર્વની લાગણી થઇ આવી. જ્યારે હું એમના ઘરે ગઈ અને મેં પૂછ્યુ કે તમે સ્કુટી ક્યારે શીખ્યા, તો એ કહે, ‘હું હજુ ૪-૫ વર્ષ પહેલા જ સ્કુટી શીખી.’


આપણું રાષ્ટ્રીય ચારિત્ર્ય ખાડે ગયું છે? – મોહમ્મદ સઈદ શેખ 12

છેલ્લા કેટલાક માસ દરમિયાન બનેલી કેટલીક ઘટનાઓએ દેશના સમજુ નાગરિકોને વિચલિત કરી દીધા છે. પહેલા ઉદ્યોગપતિઓ બેંકોને કરોડો અબજો રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયા અને હજી પણ ભાગી રહ્યા છે. આવા ડિફોલ્ટરો ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. આવા લોકોને લીધે બેંકોની એન.પી.એ. વધે છે પરિણામે ભાર તો સામાન્ય માનવી ઉપર જ આવે છે.

સ્ત્રીઓ ઉપર થઈ રહેલાં અત્યાચાર અને એમાંય નિર્દોષ બાળકીઓ ઉપર ગુજારાતા અમાનુષી બળાત્કારો અને ઠંડે કલેજે કરાતી એમની હત્યાઓએ સમાજશાસ્ત્રીઓને વિચારતા કરી દીધા છે કે માનવતા મરી પરવારી તો નથીને? આપણે ચારિત્ર્યહીનતાની કઈ કક્ષાએ પહોંચી ગયા છીએ?


રણ વચાળે નિશાળ! – કલ્પેશ પટેલ 6

નવાગામમાંથી માંડ પંદરેક મિનિટ ઉત્તરમાં ચાલીએ એટલે ભૂમિ બદલવા લાગે… નવાગામ તો લીલું, તળમાં પાણીય ચિક્કાર. પણ આગળ જઈએ એટલે પાણી દુર્લભ. સામું જ ખિરસરા ગામ ઊભું છે. ડુંગરાળ પટ પર છૂટાં છવાયા ખોરડાં. ગામ ડુંગર પર છે અને બે પાંચ ઘર વધારે હશે એટલે એને મોટા ખિરાસરા કહેતા હશે! નાના ખિરાસરા નીચાણમાં છે. વીસેક ખોરડા હોય તો હોય. મોટા ગામમાં મુસલમાન વસ્તી. નાના ખિરસરામાં આયરો. એ લોકો હિન્દુ હોવાનો ગર્વ લે, પણ નાતમાં એવી એમની આબરૂ નહીં. છેવાડાનું ગામ ને જરા પછાત. મોટા ખિરસરા પહેલવહેલું જોયેલું ત્યારે ‘શોલે’નું રામગઢ સાંભરી આવેલું. પરિચય કરાવવા આવેલા શિક્ષકે કહ્યું, ‘અંજારનું ગણો તોયે ને ગુજરાતનું ગણો તોયે આ છેલ્લું ગામ!’


ગામડાની ગરિમા – મથુર વસાવા 6

ઘણાખરા લોકો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને સામેની વ્યક્તિને ‘તું તો સાવ ગામડિયો જ છે, ના સુધરે’ તેવો શબ્દપ્રયોગ કરતા હોય છે પણ ગામડિયો શબ્દમાં દેશનો ખજાનો છે, અને ગામડા થકી જ શહેરનું હદય ધબકતું હોય છે. કરિયાણાની દુકાનમાં આપણે બાસમતી ચોખાનો ભાવતાલ પૂછીએ છીએ તે બાસમતી ચોખા ગામડાનાને પ્રતાપે છે. બાસમતી ચોખાના એક એક દાણા પાછળ ખેડૂતની અઢળક પરિશ્રમના ટીપાં હોય છે. વિવિધ પ્રસંગોના ભોજન સમારંભમાં બત્રીસ પ્રકારની વાનગીઓ આરોગીએ છીએ તે પણ ખેડૂતના પ્રતાપે જ હોય છે. એક એક વાનગીમાં ખેડૂત જીવે છે. ખેડૂત વિનાની દુનિયા કલ્પી શકાય તેમ નથી. તેના વિના કેટકેટલું ખૂટી પડે? આથી જ તેને ધરતીનો તાત કહેવામાં આવે છે.


વિશ્વ પુસ્તકમેળો, દિલ્હી : એક અવલોકન – જીજ્ઞેશ અધ્યારૂ 10

પહેલા જ ખંડમાં હિન્દી પ્રકાશકોનો ભયાનક મોટો જમાવડો હતો. ઑથર્સ કોર્નર પર પુસ્તક વિમોચનની તૈયારીઓ થઈ રહી હતી, જાણીતા પ્રકાશકોના સ્ટૉલ પર ભીડ હતી. એક પછી એક પ્રકાશકોના સ્ટૉલ પર ફરતો રહ્યો અને તેમના સ્ટૉલની અનેરી સજાવટ, પુસ્તકોની ગોઠવણી, વિવિધતા, વિષયોની તાજગી, કેટલાક સદાબહાર પુસ્તકોની અવનવી પ્રત જોતો રહ્યો. મુખ્ય ગેટથી જે આખી ભીડ મારી સાથે આવેલી એ સામેના અંગ્રેજી પુસ્તકોના ખંડ તરફ વળી ગઈ હતી, એટલે આ ખંડમાં એની સરખામણીએ ઓછા લોકો હતા. હિન્દી પ્રકાશકો સિવાય અહીં વિવિધ ધાર્મિક પુસ્તકો અને ગુરુઓ – બાબાઓના સાહિત્યના સ્ટૉલ પણ હતા. કેટલાક ઈ-પુસ્તકોના અને ઑડિયો પુસ્તકોના સ્ટૉલ પણ હતા. મને ઘણાં સ્ટૉલ ગમી ગયા, પણ તેમાં અમુક નોંધપાત્ર સ્ટૉલ અને તેમના પુસ્તકો વિશે લખ્યા વગર રહી શકીશ નહીં.


પર્યાવરણનો વિકાસ – ધ્રુવ ગોસાઈ 2

વિકાસ શબ્દ આપણને સહુને મનપસંદ થઈ પડ્યો છે. કદાચ એ આપણી રહેણીકરણીના સારા-નરસાપણાનો માપદંડ બનવા લાગ્યો છે. વિકાસ જરૂરી ખરો, પણ તેને મેળવવા ખાતર જે ચૂકવણું હોવું જોઈએ એ લઘુત્તમ હોવું ઘટે. આજે જ્યારે આપણે સહુ કદમ મિલાવીને ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવા તરફ આગળ વધ્યા છીએ ત્યારે પર્યાવરણને લગતી બાબતો આપણા ધ્યાનમાં ન આવે.. કદાચ વિકાસના ભારે લાભ સામે પર્યાવરણવાદી લોકોની દલીલો નગણ્ય જ લાગે. આ બધું સ્વાભાવિક પણ છે, નજીકના ફાયદાને ભોગે દૂરના નુકસાન થોડા જોવા બેસાય! કાર્બન ડાયોક્સાઇડ, એસિડ વર્ષા, ગ્લોબલ વોર્મિંગ જેવા ભારે શબ્દોને સામાન્ય લોકોમાં વાત પૂરતા કે પછી વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધામાં કે ક્યાંક પર્યાવરણના લેખોમાં ધ્યાને આવે છે; બેશક જાણવા જ જોઈએ, પણ સામાન્ય ભારતીયને મન એમાં આપણે ગુમાવવાનું શું?


મિત્રતાનાં સંભારણાં! – પરમ દેસાઈ 3

શિયાળાની એક બપોરે હું મારા ઘરની બાલ્કનીમાં ખુરશી નાખીને બેઠો હતો. ઠંડીને ઓગાળતો મંદ-મંદ તડકો પડી રહ્યો હતો. કાગડા-કોયલ તેમજ ઝાડ-પાનના ધીમા-ધીમા અવાજ સિવાય સાવ શાંતિ હતી. પણ આજે કોણ જાણે કેમ પણ હું મારા પાછલા દિવસો ભણી ભૂતકાળમાં સરી પડ્યો.

આજે મારા મિત્રોની શાળાનાં દિવસોની યાદોથી મારું મન ઘેરાઈ ગયું હતું. મેં મારા મનમાં રહેલી એ વખતની કંઈકેટલી ખાટી-મીઠી વાતો વાગોળવાનું શરૂ કર્યું.


આઝાદી પહેલાનું હિન્દુસ્તાન – પી. કે. દાવડા 5

૧૫ મી ઓગસ્ટે અંગ્રેજોએ જે હિન્દુસ્તાનને આઝાદી આપી, એ પહેલાનું હિન્દુસ્તાન કેવું હતું એની કલ્પના આજની પેઢીને નહિં હોય. આ ટુંકા લેખ દ્વારા હું એ સમયનું ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરૂં છું.

હિન્દુસ્તાનનો આશરે ૭૫ ટકા ભાગ અંગ્રેજોના સીધા તાબામાં હતો, જ્યારે બાકીનો ૨૫ ટકા ભાગ નાનામોટા રાજાઓ અને રજવાડાઓના તાબામાં હતા. આ બધા રાજાઓ અને રજવાડાઓ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોની આણ નીચે જ રાજ કરતા. એમણે અંગ્રેજોની સર્વોપરિતા (Paramountcy) સ્વીકારેલી. આવા રાજ્યોની કુલ સંખ્યા ૫૬૫ હતી. માત્ર ચાર રાજ્યો, હૈદ્રાબદ, મૈસુર, કાશ્મીર અને વડોદરા વિસ્તારમાં મોટા હતા.
અંગ્રેજોના સીધા તાબાવાળો હિસ્સો બ્રિટીશ ઈન્ડીયા તરીકે ઓળખાતા, અને રાજારજવાડા વાળો પ્રદેશ પ્રિન્સલી સ્ટેટ્સ તરીકે ઓળખાતો. આ બન્ને પ્રદેશો મળી આખો પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.


મારો કેરીમાં “રસ” – ગોપાલ ખેતાણી 49

નાનો હતો ત્યારે મે મહિનાની રાહ ઉત્કટતાથી જોતો. પરીક્ષા પૂરી થાય એટલે મોજ. મારા પિતાજીને બુક – સ્ટેશનરીની દુકાન. એટલે વેકેશનમા કામ ઘણુ (જૂના ચોપડા ખરીદવાનું અને તેમનુ કાચુ બાઇન્ડીંગ કરવાનું). વેકેશનમા નાણાકીય ખેંચ રહે એટલે બહાર ફરવા જવાનુ પોષાય નહી, પરંતુ મિત્રો જોડે રમવાનુ, ચિત્રો દોરવા, નજીક આવેલા બાલભવનની મુલાકાત લેવી, એવી પ્રવૃત્તિઓમાં સમય પસાર થતો. પરંતુ સૌથી વધારે મજા એટલે કેરી માણવાની. પહેલા મિક્ષર અથવા ઈલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર તો હતા નહી. મારા પિતાજી દુકાનેથી આવે ત્યારે કેરી લેતા આવે. એમાથી તે દિવસે ખવાય એવી કેરી શોધી મને આપે એટલે તુરંત એ કેરીઓને ધોઈ કાઢું…


બે ઈ પુસ્તકો : વિવેકવલ્લભ અને વિવેકવિજય – રમણ પાઠક ‘વાચસ્પતી’ (ડાઉનલોડ)

આજે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ઉમેરાયા છે શ્રી રમણ પાઠક ‘વાચસ્પતી’ ના બે ઈ-પુસ્તકો
૧. તેમના ચિંતનાત્મક લેખોનો સંગ્રહ ‘વિવેકવલ્લભ’ જેનું સંપાદન શ્રી સુનિલ શાહે કર્યું છે.
૨. તેમના ચૂંટેલા લેખોનો સંગ્રહ ‘વિવેકવિજય’ જેનું સંપાદન શ્રી વિજય ભગતે કર્યુઁ છે.


ભારત એટલે હું.. – અનુ. દેવાંગી ભટ્ટ 9

મને લાગે છે કે પરદેશ સાવકીમા જેવો હોય છે. ભલે ને એવી માન્યતા હોય કે સાવકીમા તો ભૂંડી જ હોય… પણ મને આ જન્મભૂમીથી દૂરના દેશે, સાવકીમા એ જ મજબૂત બનતા, સક્ષમ બનતા શીખવ્યું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, જે સંઘર્ષમાં દરેકે ઉતરવાનું હોય છે એનું ઘડતર મારી સાવકીમા એ કર્યું છે.


ધાર્મિક મહત્વ અને અંધશ્રદ્ધા… – પરમ દેસાઈ 5

વડોદરાના ૧૯ વર્ષીય પરમ દેસાઈનો અક્ષરનાદ પર અને સર્જન પ્રક્રિયામાં એમ બંને ક્ષેત્રમાં હાથ અજમાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે. ધર્મ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ વૈચારીક મનોમંથનનો સદાબહાર વિષય છે. પરમભાઈના પણ આ વિષય વિશેના વિચારો આજે જાણીએ. પ્રથમ લેખ તરીકે તેમનો આ પ્રયત્ન સરસ છે, અક્ષરનાદમાં તેમનું સ્વાગત છે..


રંગરસિયા : વર્ષ ૨૦૧૪ ની અનોખી ફિલ્મ – કર્દમ આચાર્ય 2

ગણિકામાં શારદાને શોધી કાઢતો માણસ અને શારદામાં ગણિકાને શોધી કાઢતા માણસોના સંઘર્ષની કથા, કલાની મુક્ત અભિવ્યક્તિ માટે ઊંચો થતો અવાજ અને કલાસ્વરાજની વાત કરતી કળારાષ્ટ્રના રાજાની કથા એટલે રંગરસિયા.


અપવાદરૂપ કાગડો – નટુભાઈ મોઢા 6

અનેક માણસોના સ્વાબાનુવના પ્રસંગોમાંથી જાણવા મળે કે માણસો પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા ઘણીવાર જડ વસ્તુઓને ભાંડે છે, તેનું એક કારણ એ છે કે જવાબમાં જડ વસ્તુઓ વળતો પ્રહાર કરી શકતી નથી. કેટલાક પ્રસંગે અનાયાસે સજીવ વસ્તુઓ માટે પણ કેટલીકવાર નાપસંદ ગાળો કે અપશબ્દો મુખમાંથી નિકળી જતા હોય છે. પણ આ અલ્પજીવી હોય છે. જેમ કે, ખીલી પરનો ઘા, હથોડી ચૂકી જઈને અંગૂઠાના નખને કાળો કરી નાખે. કાગળનો ડૂચો વાળીને ઘા કરેલો બોલ કચરાપેટીમાં પડવાને બદલે ખૂણામાં જઈ પડે. રસ્તે ચાલતાં, શંકુ આકારના ભૂંગળામાંથી શેકેલી મગફળીનો બગડી ગયેલો છેલ્લો દાણો મોં નો સ્વાદ થૂ થૂ કરી નાખે. ભેલપૂરીના ઢગલામાંથી એકાદ વાંકડિયો વાળ આપણી જ પ્લેટમાં જ મોઢું કાઢે..


પ્રેરિઅર કૂતરો : આપણો વફાદાર મિત્ર – ઙો. મિહિર વોરા 3

દેખાવમાં સસલાં અને ખિસકોલીના હાઇબ્રિડ એટલે કે વર્ણશંકર જાતિના લાગતા પ્રેરિઅર ડોગ બહુ વિશિષ્ટ છે. આ કૂતરાંઓને માનવજાતિના એક વર્ગ કરતાં પણ વધુ ગુણવાન અને સારા કહેવા પાછળનું કારણ ફક્ત તેમનો સ્વભાવ જ નથી પણ આ કૂતરાંઓ દરરોજ સૂર્યોદયના અડધો કલાક પહેલાં જાગી જાય છે અને હાથ જોડીને રીતસર સૂર્યદેવતાને નમન કરે છે. ઈથોલોજિસ્ટસ એટલે કે પશુઓની વર્તણૂક અને સ્વભાવનું લાંબા સમય સુધી કુદરતી વાતાવરણમાં જ નિરીક્ષણ કરનારાઓએ જોયું છે કે પ્રેરિઅર ડોગ્સ વહેલી સવારે સૂર્યોદય પહેલાં તેમના નાના-નાના પંજાઓ જોડીને નમસ્કારની મુદ્રામાં આંખ બંધ કરીને ઊભા રહે છે.


શિક્ષણની પ્રવર્તમાન પરિસ્થિતિ : પરીક્ષાલક્ષી કે વાસ્તવલક્ષી? – કંદર્પ પટેલ 4

વર્તમાન શિક્ષણની કંગાળ પરિસ્થિતિ પર નજર ઠરાવતા એવું જણાઈ આવે કે, વિદ્યાર્થીઓ યંત્ર છે, શિક્ષકો કંટ્રોલર છે અને શિક્ષણસંસ્થાઓ પોલીટીક્સ ઈવેન્ટ્સના અડ્ડાઓ છે. આટ-આટલા વર્ષો કહેવાતા ઉચ્ચ કોર્સનો અભ્યાસ કર્યા પછી પણ જે વિદ્યાર્થીને ‘કાબેલ’ બનાવવાને બદલે ભવિષ્યના વિચાર માત્રથી ડરતો ‘કાયર’ બનાવે એ કઈ રીતે સાચું શિક્ષણ હોઈ શકે? થીંક ઓન ધેટ. ૨+૨=૪ થાય એ કદાચ દરેકને ભર ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો પણ આવડશે પરંતુ બીમાર વ્યક્તિને રાત્રે હોસ્પિટલ કેમ લઇ જવો એ નહિ આવડે. વોટ્સએપ-ફેસબુક પર લાંબા-લચક અઢી કિલોમીટરના ‘ગુડ નાઈટ’ ના મેસેજ પોસ્ટ કરતા આવડશે પરંતુ મમ્મી-પપ્પાને ‘જય શ્રીકૃષ્ણ’ કહેતા કોણ શીખવશે? દરેક મેચ-ખેલાડીનો સ્કોર યાદ હશે પરંતુ પોતાની માનસિકતાનો સ્કોર કેટલે પહોચ્યો એ માપ્યું કે? કાલાંતરે માનવી પર અલગ-અલગ અસરો થઇ છે.


હું અને મારો કેમેરો.. – કંદર્પ પટેલ 10

કંદર્પ પટેલની આ પહેલા પણ એક કૃતિ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. કેમેરા સાથે એક ચાહકનો, એક ભાવકનો સંબંધ કેળવી ચૂક્યા હોય તેવા રસિયાઓ માટે કેમેરો એક પ્રેમિકાની, એક દોસ્તની, એક શિક્ષકની કે એક સહારાની ગરજ સારે છે. આવા જ કેટલાક અલંકૃત વાતો સાથેના આજના આ લેખને માણીએ, અક્ષરનાદને લેખ પાઠવવા બદલ કંદર્પભાઈનો આભાર.


તહેવારોનું સ્નેહ સંમેલન.. દિવાળી – વિનોદ માછી 4

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ,પ્રકાશનો ઉત્સવ.. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ.. કાળીચૌદશ.. દિવાળી.. નૂતન વર્ષ અને ભાઇબીજ – આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.


જોરદાર ગોળની ગળચટ્ટી વાતો… – હર્ષદ દવે 13

તમે અમિતાભ બચ્ચનને શું વેચતા જોયા છે? આમ તો અનેક વસ્તુઓ પણ ફક્ત જાહેરાત નહીં, સાચ્ચે વસ્તુ વેચતા! અરુણાબેન અને પૂર્વીબેનના મીઠાસભર્યા લેખ પછી એ જ શ્રેણીમાં આજે હર્ષદભાઈનો ગોળ વિશેનો રસપ્રદ લેખ પ્રસ્તુત છે. આપણા જીવનમાં વણાઈ ગયેલ ગોળની અનેક વાતો લઈને હર્ષદભાઈ આજે ઉપસ્થિત થયા છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ હર્ષદભાઈનો આભાર અને શુભકામનાઓ.


ગોળની ગળી અને મોલાસીસની મીઠી માયા – પૂર્વી મોદી મલકાણ 28

અક્ષરનાદ પર લાડુ વિશેના શ્રી અરુણાબેનના ગઈકાલના લેખથી જાણે મીઠાસની મૌસમ શરૂ થઈ છે, આજનો પૂર્વીબેનનો લેખ શેરડી, ખાંડ, આર્ટિફિશિયલ સુગર, મોલાસિસ અને ગોળ વગેરે પર રસપ્રદ વિગતો રજૂ કરે છે. પૂર્વીબેનની રચનાઓ તેમના સંશોધન અને અભ્યાસપૂર્ણ તારણોથી સમૃદ્ધ હોય છે, એમ આજનો તેમનો લેખ પણ માહિતીપ્રચૂર થયો છે. આવી સુંદર અને ઉપયોગી કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ પૂર્વીબેનનો આભાર.


વિદેશની અટારીએથી.. વેબજગતનું વાંચન – જિતેન્દ્ર પાઢ 9

મૂળે અમદાવાદમાં જન્મેલા, નવી મુંબઈ – વાશીમાં રહેતા અને હાલ પૉર્ટલેન્ડ, અમેરિકા સ્થિત જિતેન્દ્રભાઈ પાઢ પત્રકારત્વ અને સાહિત્યના જીવ છે. અનેક વર્તમાનપત્રો અને સામયિકો સાથે કામ કર્યા બાદ ૨૦૦૫માં તેમણે નવી મુંબઈમાં માલિક, મુદ્રક, પ્રકાશક અને તંત્રી જેવી અનેકવિધ જવાબદારીઓ સાથે અખબાર કર્યું. અત્યારે તેમના પુત્ર સાથે તેઓ પૉર્ટલેન્ડ છે. આજના લેખમાં એક અમેરિકન એન.આર.આઈ વાચકની નજરે તેઓ ઇન્ટરનેટ અને આપણી ભાષાના ઓનલાઈન સાહિત્યની વાત લઈને આવ્યા છે. અક્ષરનાદને લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ જિતેન્દ્રભાઈનો આભાર.


વ્રજ, વ્રજભાષાનો ઇતિહાસ અને ઉલ્લેખ – પૂર્વી મોદી મલકાણ 23

પૂર્વીબેન મોદી મલકાણના સર્જન આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થયા છે. આજનો તેમનો લેખ વ્રજભાષા અને વ્રજના ઇતિહાસને વાગોળતો રોચક અને માહિતિપ્રચૂર લેખ છે. સંશોધનલેખોના સર્જનમાં આનંદ અનુભવતા પૂર્વીબેન કહે છે, “નાનપણથી લઈને અત્યાર સુધી વાંચન અને લેખન સાથે મારો અતૂટ સંબંધ રહ્યો છે. જીવનયાત્રામાં ફરતા ફરતા જ્યારે જ્યારે મારી પાસે કોઈ મિત્રો ન હતાં ત્યારે આ કાગળ, કલમ અને શબ્દો જ મારા સાથીઓ હતાં. મારા પ્રોફેશનલ લખાણની શરૂઆત ૨૫ વર્ષ પહેલા થઈ હતી. પરંતુ લગ્ન પછી લખવાનું છૂટી ગયું. અમેરિકામાં સ્થાયી થયા બાદ પરિવારમાં અને જોબમાં બીઝી થઈ ગઈ. ૨૦૦૮ થી ફરી લખાણ શરૂ કર્યું ત્યારે બે લખાણ ૨૫ વર્ષનો લાંબો બ્રેક આવી ગયેલો. આથી ૨૦૦૮માં મારા બાળકોને ગુરુ બનાવીને તેમની પાસેથી કોમ્પ્યુટર શીખી જેને કારણે આજે ફરી હું ગુજરાત સાથે, ગુજરાતી ભાષા સાથે ફરી મિત્રતાના તંતુએ બંધાઇ ગઈ તેનો અત્યંત આનંદ છે. ૨૦૧૨ માં ફૂલછાબ પરિવારમાં ફરી મને કોલમનિસ્ટ સમાવવામાં આવી ત્યારે મને પાછું ઘર મળ્યું હોવાનો અહેસાસ થયો. હાલમાં હું વોલિન્ટિયર તરીકે લોકલ હોસ્પિટલમાં બેરિયાટ્રિક પેશન્ટસ માટે કામ કરું છું.” આજના સમૃદ્ધ લેખ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ (ભાગ ૨) – પૂર્વી મોદી મલકાણ 9

પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વાત કરતા પ્રથમ ભાગના લેખના અનુસંધાને પ્રસ્તુત થયો છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ….. નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય”માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


ભારતીય લેખનની પ્રાચીન કલામાં પત્રોનો ઉપયોગ – પૂર્વી મોદી મલકાણ 15

પ્રસ્તુત લેખ ભારતીય લેખનની પ્રાચીન કલામાં વિવિધ પ્રકારના પત્રોના ઉપયોગ વિશે વિગતે વિશે વાત કરે છે. વતનથી દૂર અનેક ગુજરાતીઓ પોતાની માટીની સોડમને અકબંધ રાખી શક્યા છે, પોતાની ભાષા પ્રત્યેના પ્રેમને વિકસાવી શક્યા છે. આજની આ કૃતિના લેખિકા પૂર્વીબેન તેમનો પરિચય આપતા કહે છે, “પૂર્વી, પૂર્વી મોદી, પૂર્વી મોદી મલકાણ….. નામની પાછળ જોડાતી અટકો તે મારા બંને પરિવારની ઓળખ છે., અને આ બંને અટકો વગર હું અધૂરી છું. પણ તેમ છતાંયે મારી ઓળખાણ કેવળ એક ગુજરાતી તરીકેની છે. મારી ભૂમિથી હજારો કી.મી દૂર રહેતી હું મન-હૃદય અને આત્માથી કેવળ ગુજરાતી છું અને ગુજરાતની છું. આજનો લેખ તેમના પુસ્તક “વૈવિધ્ય”માંથી તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર તથા તેમની કલમને શુભકામનાઓ.


એક માંનો તેના દીકરાની પત્નીને પત્ર… – ગુણવંત વૈદ્ય 26

વૃદ્ધાશ્રમમાં પોતાના પતિ સાથે રહેતી એક પત્નીએ તેના પુત્રની પત્નીને લખેલો એક કાલ્પનિક પત્ર ગુણવંતભાઈ વૈદ્યની કલમે આજે અહીં પ્રસ્તુત કર્યો છે. એ પત્રમાં સાસુવહુના ગપાટા છે, વહુના દ્રષ્ટિકોણનું અને તેના વહેવારનું ખંડન કરવાનો અને તેને સજ્જડ જવાબ આપવાનો એક પ્રયત્ન અહીં દેખાઈ આવે, પરંતુ એની પાછળ ઢળતી ઉંમરે સ્નેહ અને હુંફ ઝંખતા એક યુગલને મળેલી અવગણના અને તિરસ્કારની ભાવના છે. કદાચ આ પત્ર વધુ તીખાશભર્યો લાગે, તો પણ એ એક પ્રતિબિંબ છે. ગુણવંતભાઈએ સ્પષ્ટતા કરી છે તેમ આ સમાજદર્શન કરાવતો એક કાલ્પનિક પત્ર જ છે. અક્ષરનાદને આ લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ગુણવંતભાઈ વૈદ્યનો આભાર તથા શુભકામનાઓ.


ગિરનારનો યુવાનોને ખડતલ પડકાર…! – હરેશ દવે, હર્ષદ દવે 4

શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ હિમાલયની ટોચે પહોંચવાની હિંમત ન કરી શકે એ વાત સમજાય તેવી છે. સાહસ કરાય પણ આંધળું સાહસ ન કરાય. તમારી વાત સાચી છે, પરંતુ ગિરનાર ઊંચો પર્વત છે, કદાચ તે હિમાલય કરતાં પણ જૂનો છે. આ પર્વતનું ઐતિહાસિક મહત્વ ચમત્કૃતિપૂર્ણ છે પરંતુ આજે આપણે તેનાં ધાર્મિક ગુણગાન નથી ગાવા. આજે તો આપણે વાત કરવી છે આ ગરવા અને નરવા ગિરનારની સાહસિક સફરની!


લેટ્સ વોક…! – હર્ષદ દવે 10

સમય ચાલે છે પણ તમે ચાલો છો? તમે સમય સાથે ચાલો છો? નથી ચાલતા? એવું તે કાંઇ ચાલે? એવું ન પૂછો કે શા માટે ચાલું ? તમે જાણો છો કે ‘ચલના હી જિંદગી હૈ…’. પગ અને પથ ચાલવા માટે જ છે. કવિ કહે છે: તૂ ન ચલેગા તો ચલ દેગી રાહેં… ‘વોકિંગ ઇઝ ધ બેસ્ટ એકસરસાઈઝ’. બાળક ચાલતાં શીખે ત્યારે સહુને કેટલો બધો હરખ થાય છે! તમે ચાલશો તો તમે પણ આનંદ પામશો, ભલે એનું પ્રમાણ કદાચ થોડું ઓછું હોય પણ મહત્વ તો બિલકુલ ઓછું નથી. આ રસપ્રદ લખાણ વાંચીને તમે સહર્ષ ચાલશો એની મને ખાતરી છે.


વિવિધ ‘મોબાઈલ’ બેટરી ચાર્જર્સ.. (ભાગ ૧) 7

મોબાઈલ ફોન અને અન્ય અનેકવિધ મોબાઈલ સાધનોનો વપરાશ સતત વધી રહ્યો છે. ડેસ્કટોપને બદલે લેપટોપ, સ્માર્ટફોન, ટેબલેટ વાપરવાનું લોકો વધુ પસંદ કરે છે. કામના સમયે મોબાઈલની બેટરી પૂરી થઈ જાય એવા સંજોગોનો સામનો આપણામાંથી ઘણાંએ કર્યો હશે. શહેરમાં કે ગામડાઓમાં પણ ગમે ત્યાં ચાર્જર મળી જાય પરંતુ જે લોકો શહેરથી દૂર હોય અને આ બધા સાધનોની બેટરીને ચાર્જ કરવા માટે ઈલેક્ટ્રીસીટીની સગવડ ન હોય ત્યારે કેવા કેવા સાધનો ઉપયોગી થઈ પડે તેની જાણ થાય એ માટે પ્રસ્તુત લેખ લખાયેલો છે. નેશનલ જિઓગ્રાફી કે ડિસ્કવરીમાં બતાવવામાં આવતા સાહસો તો ગણ્યાગાંઠ્યા લોકો જ કરે છે, પરંતુ એવા લોકોને જ ધ્યાનમાં રાખીને આ પ્રકારના મોબાઈલ ચાર્જર્સ બનાવવામાં આવ્યા હશે એવું લાગે છે. પ્રસ્તુત છે આવા જ કેટલાક ‘નિરાળા’ અને ‘વિશેષ’ ચાર્જર્સ.

Courtesy Biolite Mediakit

ખરાબ લોકો; સારા લોકો – આર્ટ બુકવોલ્ડ 3

યુદ્ધના અને શાંતિના – એમ બે ભિન્ન સમય દરમ્યાનની સારા માણસ અને ખરાબ માણસ વિશેની બદલાતી વ્યાખ્યાઓ વિશે એક કિશોર તેના પિતાને પૂછે છે અને એ જવાબ આપતાં તેના પિતા જે મૂંઝવણ અનુભવે છે એ પ્રસ્તુત કૃતિમાં પિતા-પુત્ર વચ્ચેની સહજ વાતચીતના માધ્યમથી વ્યક્ત થાય છે. આર્ટ બુકવોલ્ડની પ્રસ્તુત રચના ‘રોજેરોજની વાંચનયાત્રા’માંથી સાભાર લેવામાં આવી છે.