સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પુસ્તક સમીક્ષા


સૌરભ શાહના ‘મહારાજ’ પુસ્તકનો પરિચય – રિપલ પરીખ 4

છત્રીસ પ્રકરણમાં ફેલાયેલી આ દીર્ઘ નવલકથા ખૂબ સરળ રીતે લખાયેલી છે. તે સમયનાં ઘણાં તળપદી શબ્દો અને તે સમયની કોર્ટની કાર્યવાહીમાં વપરાતાં શબ્દોથી આ નવલકથાનું વાતાવરણ જીવંત બની જાય છે.

મહારાજ નવલકથા સૌરભ શાહ અક્ષરનાદ પુસ્તક સમીક્ષા

દક્ષિણ-આફ્રિકાના-સત્યાગ્રહનો-ઇતિહાસ-ગાંધીજી-પુસ્તક-પરિચય

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – પુસ્તક પરિચય

પૃથ્વી સત્યના બળ પર ટકેલ છે. અસત્ – અસત્ય – એટલે ‘નથી’, સત્ – સત્ય – એટલે ‘છે’. અસત્ને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી હોય? અને ‘છે’ તેનો નાશ કોણ કરી શકનાર છે? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે.


અમારું રક્તરંજિત વતન – રાહુલ પંડિતા; પરિચય – રિપલકુમાર પરીખ 2

કલ્પના કરો કે જો તમને તમારા જ ઘરમાં – દેશમાં એવું કહેવામાં આવે કે, ‘ધર્માંતરણ કરો, મૃત્યુ પામો અથવા ભાગી જાવ.’ તો તમને કેવું લાગે? તમે એવું જ પૂછો કે, ‘મારો ધર્મ હું કેવી રીતે છોડી શકું? મારો ધર્મ જ મારું ગુમાન છે. જો હું ધર્માંતરણ ન કરું તો તેઓ મને શા માટે મારી નાખે? મારો ગુનો શું?’ #Kashmir #KashmiriPandits #TheKashmirFiles


સ્ટીવ જોબ્સની અજાણી વાતો.. – ડૉ. જનક શાહ 4

સિત્તેરના દાયકાના અમેરિકામાં કોલેજનો અભ્યાસ અધૂરો છોડીને પોતાની આવડતથી ઇતિહાસ સર્જનાર સ્ટીવ જોબ્સ વિશે કેટલીક આશ્ચર્યજનક અને ઓછી જાણીતી વાતો.


ભારતના ૭૫ જોવાલાયક સ્થળો – લલિત ખંભાયતા 1

પુસ્તકમાં ૭૫ જેટલા વિવિધ સ્થળો વિશેની પ્રાથમિક માહિતી અપાઈ છે. એમાંથી ત્રણ સ્થળો વિશેની માહિતી અહીં લીધી છે.


શબ્દનાં સગાં (૩૮ સાહિત્યકારોનાં સંસ્મરણો) – રજનીકુમાર પંડ્યા 4

પુસ્તક ‘શબ્દનાં સગાં’ ફક્ત ગુજરાતી સાહિત્યકારોના જીવનચિત્રો અને સંસ્મરણોનું ભાથું જ નથી, એમાં છે એક આખી પેઢીના સાહિત્યકારો વચ્ચેના સંબંધોનો ધબકાર!


ઢળતી ઉંમરના જવાબો – પુસ્તક ‘સાંજે સૂર્યોદય’

જીવનની ઢળતી સાંજ વિશે, એ સાંજના નવોન્મેષ વિશે વિદ્વત્તજનોની કલમે લખાયેલા અદ્રુત લેખોનો સંગ્રહ એટલે પુસ્તક ‘સાંજે સૂર્યોદય’.


હિમલ પંડ્યાની ગઝલો : જીવ-જગતનો કલાસંઘર્ષ – સ્નેહી પરમાર 3

‘…ત્યારે જિવાય છે’ હિમલભાઈનો બીજો ગઝલસંગ્રહ છે. આ પૂર્વે 1992ના વર્ષે “ગાંડીવ” નામનો કાવ્યસંગ્રહ આપ્યા બાદના 29 વર્ષ પછી આ કવિ આપણી સમક્ષ આવે છે ત્યારે એમને આવકારીએ.


રૂપેરી વાળ : પુસ્તકસમીપે – અંકુર બેંકર 8

આ સંગ્રહમાં લઘુકથા સ્વરૂપ માટે આવશ્યક કહી શકાય એવા કલ્પન, પ્રતીક, વ્યંજના, કાકુ તેમજ અલંકારોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો છે. લેખકના મજબૂત અને આકર્ષક ભાષાકર્મનો લાભ વાચકોને મળે છે.


ડૉ. મુકેશ જોષીનો ગઝલસંગ્રહ ‘કેડી તૃપ્તિની’ 2

ગુર્જર ગઝલધારાની પાંચમી પેઢીના ઉત્સાહી પ્રતિનિધિ શાયર, ર્ડા. મુકેશભાઇ જોષીની ૧૧૧ ગઝલોનો સંચય ‘કેડી તૃપ્તિની‘ માંથી કેટલાક શે’ર.


અન્વીક્ષા : જિજ્ઞા પટેલ; પરિભ્રમણ – હીરલ વ્યાસ

જે છઠ્ઠા પગારપંચ અને બે વેકેશનની વચ્ચે ઘણું બધું કરી શકે એ જ શિક્ષક બની શકે. જે વાર્તાઓ કહી શકે અને બાળક્ને શાંતિથી સાંભળી શકે એ શિક્ષક.


સુખને એક અવસર આપો : પુસ્તકપર્વ – ધર્મેન્દ્ર કનાલા

સવારમાં બોલતી ચકલી, ઉગતો સૂરજ, બાળકની આંખમાં રહેલી મુગ્ધતા, બર્ફીલો હિમાલય, મર્માળુ વડીલ જેવા વૃક્ષો, માના ખોળામાં જે આનંદ આપી શકવાની તાકાત છે એ આપણે ક્યાં માણી શકીએ છીએ?


(લ)ખવૈયાગીરી : પુસ્તકસમીપે – અંકુર બેંકર 8

પુસ્તકમાં અલગઅલગ તેર નિબંધ છે. મોટાભાગના નિબંધો વર્ષ ૨૦૦૦થી લઈ ૨૦૧૪ સુધીના ‘અખંડઆનંદ’ના દિવાળી વિશેષાંકમાં પ્રકાશિત થયેલ છે.


બનારસ ડાયરી : વિવેક દેસાઈ; પરિભ્રમણ – હીરલ વ્યાસ 2

માણસ તરીકે આપણે ક્ષણમાં જીવવાનું હોય. વીતી ગયેલી કોઈપણ ક્ષણ પાછી ફરતી નથી. પણ, કોઈ ચોક્ક્સ ક્ષણને આપણે ‘સ્ટૅચ્યુ’ કહી શકીએ છીએ.


એને મૃત્યુ ન કહો : ડૉ. નિમિત્ત ઓઝા; પરિભ્રમણ – હીરલ વ્યાસ 11

આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે. 


થ્રીડી : દિલ, દિમાગ, દુનિયા પુસ્તક સમીક્ષા

નિબંધોને અપાયેલા શીર્ષક સુંદર અને ચિતાકર્ષક છે જે અંદરની ભેટ માટેની તમારી તાલાવેલી વધાર્યા વગર નહીં રહે. પુસ્તક જોતાંં જ એને વાંચવાની તલપ જાગે છે.


આદિ કૈલાસ : અખિલેશ અંતાણી (પુસ્તક સમીક્ષા) 6

‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ લેખક માને છે હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.


આશ્કા માંડલ : અશ્વિની ભટ્ટ, પરિભ્રમણ – હીરલ વ્યાસ 4

કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે.


કોરું આકાશ : અજય સોની, પરિભ્રમણ – હીરલ વ્યાસ 3

કેટલાક સંબંધો ઋણાનુબંધનથી મળતા હોય છે. દરેક સંબંધની પણ એક સીમા હોય છે. પણ ક્યારેક કોઈ સંબંધ સીમાની બહારનો પણ હોય છે. જે સમજવો દરેક માટે શક્ય નથી હોતો.


કાનજી ભુટા બારોટ : વાર્તાકથનના છેલ્લા કલાધર 3

કાનજી ભુટા બારોટ. સૌરાષ્ટ્રમાં ૧૯૭૦-૮૦ પહેલા જન્મેલી પેઢી માટે નામ અજાણ્યું નથી. પણ કાનજીબાપાની ઓળખ ૨૧મી સદીમાં ભુલાઈ રહી છે.


ઓથાર : મીનળ દવે; પુસ્તકસમીપે – અંકુર બેંકર 6

‘ઓથાર’ વાર્તાસંગ્રહમાં મીનલબેન દવેની કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થઈ છે. અમુક વાર્તાઓ અગાઉ શબ્દસૃષ્ટિ, પરબ અને મમતા જેવાં અગ્રણી સામયિકોમાં સ્થાન પામેલ છે.


અમૂલ્ય ગુજરાતી બાળવિશ્વકોશ – ભારતીબેન ગોહિલ 10

એક વખત અમેરિકાથી ડૉ. મોન્ટેસોરીની શાળા જોઈ આવનાર ફિશર નામની બહેને લખેલ “ધ મોન્ટેસોરી મધર” નામનું પુસ્તક મોતીભાઈ અમીનના હાથમાં આવ્યું.


લઘુકથા સ્વરૂપપરિચય : મોહનલાલ પટેલ; પુસ્તકસમીપે – અંકુર બેંકર 7

એક ઘટના ચિત્તક્ષોભ કરનાર સિચ્યુએઅશન કેવી રીતે બની રહે તે કેટલું સરળ ભાષામાં સમજાવ્યું છે.
“આકાશમાં ચઢેલો મેઘ એક ઘટના છે. એક સ્થિતિમાત્ર. પણ એને જોઈને કોઈ વિરહી પ્રેમી નિ:શ્વાસ મૂકે તો એ ઘટના ચિત્તક્ષોભ કરનાર પરિસ્થિતિ અર્થાત્ સિચ્યુએઅશન બની રહે.”
ગદ્યના કોઈ પણ સ્વરૂપમાં કામ કરતાં દરેક વ્યક્તિએ આ પુસ્તકના બીજા પ્રકરણનો છેલ્લો ફકરો વાંચવા જેવો છે.


ગીતમલ્લિકા : સુરેશ દલાલ – હીરલ વ્યાસ 10

આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!


ખરી પડે છે પીંછું : રીના મહેતા – હીરલ વ્યાસ 18

જેમ દરેક માણસને અલગ ચહેરો, અલગ ગંધ, અલગ સ્પર્શ હોય એમ દરેક પુસ્તકનું પણ હોય. પાઠ્યપુસ્તક વાંચતાં-વાંચતાં લાગે કે આ બે પૂઠાંની બહાર પણ દુનિયા છે. જ્યારે ગમતું પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે આ બે પૂઠાંની વચ્ચે એક આખું નવું વિશ્વ ઊઘડે છે.


પુસ્તક સમીપે : સમુદ્રાન્તિકે – અંકુર બેંકર 18

લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.


ઓશો : એક વિરાટ વ્યક્તિત્વ – ચેતન. સી. ઠાકર 19

ઓશો કે જેઓ શરૂઆતમાં આચાર્ય રજનીશના નામથી અને પછી ભગવાન રજનીશ અને છેલ્લે કેવળ ઓશોના નામથી દુનિયાભરમાં મશહૂર થયા, તેમના છેલ્લા નામનો શબ્દ – ઓશો જાપાનીઝ શબ્દ છે જેનો અર્થ થાય છે સાગરીય અનુભવ, એક બૂંદ સાગરમાં ભળી જાય અને સ્વયં સાગર થઈ જાય. હું જે વ્યક્તિ વિશે લખવા જઈ રહ્યો છું તે માટેની લાયકાત હું ધરાવતો નથી કારણ કે હું તેનો કોઈ અનુયાયી નથી કે ડાઇ હાર્ડ ફેન પણ નથી. હા ચોક્કસ એક સારો વાચક અને વિચારક હોવાના લીધે મેંં તેમને વાંચ્યા છે, સાંભળ્યા છે, માણ્યા છે. તેમના જીવનને અને તેમના વ્યક્તિત્વને મૂલવવાનો મારી રીતે થોડો પ્રયાસ કર્યો છે જે હું અહીં આપની સાથે વહેંચી રહ્યો છું.


જડ-ચેતન નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકમાં વક્તવ્ય 6

હરકિસન મહેતાની ‘જડ-ચેતન’ નવલકથા વિશે રાજકોટની નાગરિક બેંકના ખૂબ સુંદર, આધુનિક, ગ્રીન એનર્જીથી ચાલતા અને અત્યંત સુવિધાજનક ઓડીટોરિયમમાં તા. ૧૭ નવેમ્બર ૨૦૧૭ના રોજ સાંજે ૬.૩૦ થી ૮.૩૦ દરમ્યાન યોજાયુંં હતું. હરકિસનભાઈ મહેતાની ખૂબ વંચાયેલી અને ભારોભાર વખણાયેલી નવલકથા ‘જડ-ચેતન’ મારી પણ મનગમતી છે. શાળા સમયમાં વડોદરાની લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના પુસ્તકાલયમાંંથી દસમા ધોરણના વેકેશનમાં (૧૯૯૫) હરકિશન મહેતા, ક. મા. મુનશી અને ગુણવંતરાય આચાર્યની લગભગ બધી નવલકથાઓ વાંચેલી. એટલે જ્યારે એમાંથી આ મનગમતી નવલકથા વિશે વક્તવ્ય આપવાનો અવસર મળ્યો તો જાણે મનગમતું કામ મળ્યું.


મશહૂર અભિનેત્રી વનલતાની વસમી દશા… – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા 7

હોટલે પહોંચતાં જ વનલતાને એથી યે કડવો અનુભવ થયો. પોતાના રૂમની ચાવી માંગી ત્યારે મેનેજરે ચાવી આપવાને બદલે બાજુમાં મૂકેલો તેનો સામાન બતાવ્યો અને કહ્યું, ‘તમારે રૂમ ખાલી કરવાની છે.’ વનલતાએ કહ્યું, ‘શા માટે?’ મેનેજરે કહ્યું, ‘તમે કચ્છી શેઠ સાથે ઝઘડો કર્યો છે. અમને કચ્છી શેઠની નારાજગી ન પોસાય. તમે કોઈ બીજી હોટલ શોધી લો.’ હવે તેના મગજની કમાન છટકી, તે બૂમો પાડવા લાગી. પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. તે બહાર નીકળી બાજુમાં આવેલી ત્રણ-ચાર હોટલોમાં ગઈ પણ કોઈએ તેને રૂમ ન આપી. કોઈ કચ્છી શેઠની નારાજગી વહોરવા તૈયાર ન હતા. હવે તે ખરેખર ગભરાઈ ગઈ. શું મુંબઈ ઉપર આ કચ્છી શેઠનું રાજ હતું. તેમની આણ એટલી બધી મોટી હતી!
તેની નજર સામે આવેલી પોલીસ ચોકી પર પડી. તેને થોડી શાંતિ થઇ. રસ્તો ક્રોસ કરીને તે પોલીસ સ્ટેશનમાં ગઈ. આખી પોલીસ ચોકી ઊભી થઇ ગઈ. વનલતા કેટલી મશહૂર અભિનેત્રી હતી,


બોલિવુડના બેતાજ બાદશાહ સરદાર ચંદુલાલ શાહ – હર્ષદ દવે, પ્રકાશ પંડ્યા 4

એ અરસામાં જામનગરમાં જામ સાહેબે ચંદુલાલની ફિલ્મ ક્ષેત્રની પ્રગતિની વાત સાંભળી. તેઓ બહુ ખુશ થયા. કારણ કે તેઓ પણ ફિલ્મના શોખીન હતા. તેઓ જયારે જામનગરથી મુંબઈ આવ્યા હતા ત્યારે ચંદુલાલને મળ્યા. ચંદુલાલ તેમને પગે લાગ્યો. જામ સાહેબ તેને જોઈ જ રહ્યા. નાનકડો હોંશિયાર છોકરો… અસ્સલ જેસંગભાઈ જેવો જ દેખાતો હતો! તેમને મનમાં આનંદ થયો. તેમણે જામનગરમાં તેના માતા-પિતાની વાતો કરી. જયારે ફિલ્મોની વાત નીકળી ત્યારે ચંદુલાલે દાણો દાબી જોયો, ‘બાપુ, ફિલ્મો તો મારો સહુથી ગમતો શોખ છે, મેં ઘણી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. પણ બાપુ, મને એક વિચાર આવે કે આપણો પોતાનો સ્ટુડિયો હોય તો કેવી મોજ પડે?’ જામ સાહેબ આ સાંભળી ખુશખુશાલ થઇ ગયા. તે કહે, ‘તો કરને તારો પોતાનો સ્ટુડિયો…!’

ચંદુલાલે કહ્યું, ‘પણ બાપુ…’

બાપુ સમજી ગયા, ‘હું બેઠો છું ને પછી તારે શેની ચિંતા, જયારે જેટલા રૂપિયાની જરૂર હોય તે મને જણાવજે, મોકલી દઈશ…બોલ બીજું કાંઈ?’