સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : જત જણાવવાનું કે


તમારો મૂળભૂત હક્ક છે મતદાન… તમે મત આપ્યો?..

આપના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે, રાજ્યની સલામતી, સુરક્ષા, પ્રગતિ અને સમૃદ્ધિ માટે નિષ્પક્ષ મને યોગ્ય પ્રતિનિધીની પસંદગી કરો તથા ભારત સંઘરાજ્યના બંધારણે આપણને આપેલા મતદાનના હક્કનો યોગ્ય ઉપયોગ એ જ આપણી જવાબદારી. ધર્મ, જ્ઞાતિ, ક્ષુલ્લક અંગત ફાયદા કે પછી કોઈ પણ અન્ય લાલચને વશ થયા વગર વિકાસ અને સમૃદ્ધિના સાચા વારસદારને નિષ્પક્ષ મને ચૂંટીએ… મતદાન કરો, એ તમારો હક્ક છે અને ફરજ પણ…


(ચાર ઈ-પુસ્તકો અને) સંવત ૨૦૬૯નું સ્વાગત… – સંપાદકીય 15

આગામી ચાર દિવસોમાં આપના માટે રોજ એક એમ કુલ ચાર ઈ-પુસ્તકો પ્રસ્તુત કરી રહ્યા છીએ. જેમાંનું સૌપ્રથમ ઈ-પુસ્તક, શ્રી ઉમાશંકર જોશી રચિત ‘મારા ગાંધીબાપુ’ની લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા સંકલિત આવૃત્તિ આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ છે. આશા છે દિવાળીની આ ચાર વૈવિદ્યપૂર્ણ મિઠાઈઓ આપનું મોં મીઠું કરાવશે અને અક્ષરનાદના ચોપડે નવા વર્ષના શ્રી ૧l અવતરશે.


શ્રી સુરેશભાઈ દલાલને અંતિમ સલામ 25

ગુજરાતી ભાષા-સાહિત્ય જગતના શિરમોર રૂપ લેખક – કવિ – સંપાદક – સંકલનકાર આદરણીય શ્રી સુરેશભાઈ દલાલનું આજે સાંજે અવસાન થયું અને એ સાથે આપણી ભાષાને સતત ગરિમા બક્ષતો, તેના પરિઘને સતત વિસ્તારતો એવો એક સૂરજ આપણે આજે ગુમાવી બેઠા છીએ. હમણાઁ જ મળેલા સમાચાર મુજબ આજે સાંજે તેમનું દુઃખદ અવસાન થયુઁ છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હોય કે જે શ્રી સુરેશભાઈના ગુજરાતી સાહિત્યમાં પ્રદાનથી અજાણ હોય. સાહિત્યજગતને આથી ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.


જૅન બાપ્ટિસ્ટ તાલેઉને શોધવા માટે એક ટહેલ…

આજની પોસ્ટ કોઈ સાહિત્યિક કૃતિ નથી, પરંતુ એક માતાપિતાને તેમના પુત્રને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી લખાઈ છે. વિશ્વભરના અનેક દેશોના સાયકલ પ્રવાસે નીકળેલા શ્રી જૅન બાપ્ટિસ્ટ તાલેઉ ફ્રેન્ચ સાયકલસવાર હતા, અને ૨૦૦૭માં તેઓ એ સાયકલસવારી દરમ્યાન જ ભારતમાં ગુમ થઈ ગયા. આ પોસ્ટ ફક્ત તેને શોધી કાઢવામાં મદદ કરવાના હેતુથી મૂકી છે. આ પોસ્ટનો મૂળભૂત આધાર ડોમિનિક હોલ્ટજેનનો ઈ-મેલ છે.


એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ… 25

અક્ષરનાદ આજે એક અનોખા સીમાચિહ્ન પર આવીને આપ સૌની સમક્ષ ઉભી છે. ઈ-પુસ્તકની ડાઉનલોડ સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. એ અંગે અમારો રાજીપો અને ધન્યવાદ વ્યક્ત કરવાની આ તક ઝડપી લઈએ છીએ.


અક્ષરનાદનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ 13

અક્ષરનાદ.કોમ વેબસાઈટ આજે પાંચ વર્ષ પૂર્ણ કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ભાષા, સાહિત્ય અને પ્રેરણાદાયક તથા મનનીય વાંચન નિઃશુલ્ક, સરળતાથી અને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે શરૂ કરેલ આ સાહસ આપ સૌના આશિર્વાદ, શુભેચ્છાઓ અને સહકારથી સતત અને અવિરત આગળ વધી રહ્યું છે એ અમારા માટે એક ચમત્કારથી વિશેષ કાંઈ નથી.


અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક…. 52

વ્યવસાયની વ્યસ્તતાઓ, પારિવારીક કાર્યો અને અક્ષરનાદ પર રોજની પોસ્ટ, એમ ત્રિપાંખીયા વ્યૂહની વચ્ચે એક નવી વાત – કહો કે સ્વપ્ન શક્ય થવા જઈ રહ્યું છે જેનો મને ખૂબ ઉત્સાહ છે – અને આશા છે કે આપ સૌનો પણ એવો જ આશિર્વાદ, શુભેચ્છાઓ અને પ્રતિસાદ હશે. પ્રસ્તુત થવા જઈ રહ્યું છે અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક ‘૨૫૧ ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ’ – પુસ્તક હજુ તૈયાર કરાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આપ સૌ સમક્ષ ઉપલબ્ધ થશે. વધુ વિગતો પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ છે.


વાચકમિત્રોને નિવેદન… – સંપાદક 10

અક્ષરનાદને વધુ વાંચવાલાયક, ઉપયોગી, વિસ્તૃત અને સુનિયોજીત બનાવવા અને વિષય વૈવિધ્ય વધારવાના ભાગ રૂપે કેટલાક નવા આયોજનો કરવા ધાર્યું છે. ઘણા સમયથી અવ્યક્ત આ વિચારોને મૂર્ત સ્વરૂપ આપવા માટે આ પ્રયત્ન આવશ્યક થઈ ગયો છે. વળી છેલ્લા થોડા સમયથી હવે અમે અંગત રીતે પૂર્ણ સમય આપી શકતા નથી, એ કારણે પણ આજે આ વિશેષ વાત મૂકી છે.


નવા વર્ષના સાલમુબારક – સંપાદકીય 11

વિ. સં. ૨૦૬૮નું આ નવુ વર્ષ આપ સૌને સફળતા, સુખ, આનંદ અને સંતોષ આપનારું બની રહે તેવી અનેક શુભકામનાઓ. વીતી ગયેલો સમય અનુભવોનું ભાથું આપતો જાય છે તો આવનારો સમય અનેક મનોરથો અને ઈચ્છાઓની પૂર્તિનો આશાવાદ લઈને આવે છે. પ્રભુ આપ સર્વેને આપની ઈચ્છિત સફળતા અને સુખ અપાવે તેવી પ્રાર્થનાઓ સાથે સૌ મિત્રોને નવા વર્ષના સાલમુબારક અને વડીલોના ચરણોમાં


પાવૈયા કે શહેરમેં… – સંપાદકીય 5

જે રચનાની એક પંક્તિને આજની આ વાતના શીર્ષક તરીકે લીધી છે એ આખી રચનામાં કોઈ અજ્ઞાત કવિએ કાંઈક આમ કહ્યું છે, પાવૈયા કે શહેરમેં પાતર કરી દુકાન, તેલ જલાયા ગાંઠકા, કછુ ન પામી માન. આજના લેખનું શીર્ષક કાંઈક વિચિત્ર લાગ્યું? ખૂબ જૂની, પુઠું ફાટી ગયેલી એવી એક ચોપડીમાંથી આ રચના મળી આવેલી. કેટલાય વર્ષો પહેલા લખાયેલી આ પંક્તિઓ કોઈ પણ સમય માટે કેટલી અચૂક ઠરે? તેમાં અપાયેલું ઉદાહરણ થોડુંક જુગુપ્સાપ્રેરક ખરું, કદાચ કેટલાક નાકનું ટીચકું પણ ચડાવે, પણ છતાંય એ પ્રસ્તુત સંજોગો જોતા કેટકેટલાને લાગુ પડી શકે?


અક્ષરનાદ પર ૧૦૦૦ કૃતિઓનો પડાવ – એક આંતરદર્શન 24

આપ સૌના સહકાર, આશિર્વાદ અને શુભેચ્છાઓને લીધે આજના આ લેખથી અક્ષરનાદ.કોમ વેબસાઈટ ૧૦૦૦ કૃતિઓ પ્રસ્તુત કર્યાના પડાવ પર પહોંચી છે. એક ખૂબ વિશાળ વાચકવર્ગ સાથે, સતત પ્રોત્સાહન આપનાર, પડખે રહેનાર મિત્રો સાથે, વડીલો, વિદ્વાન સાહિત્યકારો અને શુભેચ્છકો સાથે – તેમની મદદે થઈ રહેલા વિકાસની ઝાંખી આપવાની ઈચ્છા અને મનમાં લાંબા સમયથી રહેલી વાત કરવાનો અને વધુ તો આંતરખોજ કરવાનો અવસર પણ આવા સમયે ઝડપી લેવાય તો સરસ મજાનો સંવાદ થઈ શકે એ જ હેતુથી આજની આ વાત મૂકી છે.


નવોદિત કવિમિત્રો માટે એક સરસ તક… 4

નવોદિત કવિમિત્રો માટે પોતાની રચનાઓને એક અનોખા સંકલનમાં સમાવિષ્ટ કરાવવા માટેની એક સરસ તક ઉપલબ્ધ થઈ રહી છે તે વિશેના સમાચાર અત્રે પ્રસ્તુત છે.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૨ 4

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો ગઈકાલથી અક્ષરનાદ પર મૂકી રહ્યો છું. આ અંતર્ગત આજે પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે પ્રતિભા અધ્યારૂ અને શ્રી ગોપાલભાઈ પારેખની કેફિયત તથા બીજા ભાગમાં શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિકના સુંદર અને મંત્રમુગ્ધ કરી દે તેવા સંચાલન સાથે સંગીત સંધ્યાના પ્રથમ બે ગીતો, જેમને સ્વર શ્રી રાહુલભાઈ રાનડેનો છે. વાંસળી પર શ્રી પ્રસાદભાઈ સાઠેનો જાદૂ પણ આપ જોઈ શક્શો.


અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૧ 10

અક્ષરનાદ.કોમ દ્વારા ૧૪મી મે ૨૦૧૧ ના રોજ ઉજવાયેલ અક્ષરપર્વના વિડીયો આજથી અક્ષરનાદ પર મૂકવાની શરૂઆત કરી રહ્યો છું. આજે આ પ્રથમ વિડીયો અંતર્ગત અક્ષરનાદ.કોમ પરિચય અને ભૂમિકા વિશે મારી વાત અને સાથે દીપપ્રાગટ્ય પ્રસ્તુત છે. આવતીકાલથી સૂર ઉમંગી – સંગીત સંધ્યાના વિડીયો માણી શકાશે.


અક્ષરનાદ આયોજિત “અક્ષર પર્વ” – શબ્દ સુગંધી, સૂર ઉમંગી…. 12

અક્ષરનાદને મે, ૨૦૧૧ માં ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. મિત્રોના આગ્રહ અને તે પછી પ્રસ્થાપિત સાહિત્યકાર વડીલોના માર્ગદર્શન તળે ગુજરાતી બ્લોગજગતનો – એક વેબસાઈટ દ્વારા અને વેબસાઈટ માટે જ આયોજિત થયો હોય એવો પ્રથમ કાર્યક્રમ અક્ષરનાદ તારીખ ૧૪ મે, ૨૦૧૧ ના રોજ સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન, શ્રેયસ વિદ્યાલય, માંજલપુર, વડોદરા મુકામે કરવા જઈ રહ્યું છે. હવે વાત મૂળ કાર્યક્રમની કરીએ, તો કાર્યક્રમની મૂળ વિગત મુખ્યત્વે નીચે મુજબના પ્રસંગોમાં વહેંચાયેલી છે, અક્ષરનાદ પરિચય અને કર્મવિશેષ, કવિ મિલન – શબ્દ સુગંધી, સંગીત સંધ્યા – સૂર ઉમંગી. અનેક વરિષ્ઠ સાહિત્યકાર, વડીલ મિત્રોએ, બ્લોગર મિત્રોએ, સહભાવકોએ કાર્યક્રમમાં આવવા માટે તેમની સંમતિ આપી છે, અને મને જણાવતા આનંદ થાય છે કે કવિમિલન સમગ્રપણે, દબદબા સાથે, અનેક આદરણીય વડીલોની હાજરીએ શોભી ઉઠવાનું છે. આપ આવશો ને ?

Shabda Sugandhi Sur Umangi

એક સરસ – આનંદના સમાચાર – જિજ્ઞેશ અધ્યારૂ 76

લાગણીઓ વિશે, એના અનુભવ વિશે ગમે તેટલું લખીએ કે વાંચીએ, પણ એને જ્યારે ખરેખર અનુભવવા મળે ત્યારે મને કંઇક એવી પરિસ્થિતિમાં મૂકાયા જેવું લાગે છે જ્યાં આનંદનો ઉભરો મનને વિચારશૂન્ય કરીને મૂંઝવણમાં મૂકી દે છે. આટલી પૂર્વભૂમિકા પછી આપની સાથે મારે એક ખૂબ આનંદના સમાચાર વહેંચવા છે.


મહુવામાં પાકિસ્તાન સામેની જીતની ઉજાણી 11

. . . . . . . . . . અને લોકોની “વંદે માતરમ” અને “ભારત માતા કી જય” સંભળાઈ. હું પણ એ જલસામાં જોડાવા ત્યાં પહોંચ્યો. લોકલ ટીવી ચેનલોના કેમેરામેન અને સભ્યો માઈક લઈને બધાને “તમારે શું કહેવું છે” પૂછતા ફરી . . . . . મહુવામાં પાકિસ્તાન સામેની જીતની ઉજાણીના કેટલાક ફોટા અને સાથે સાથે વિચારમાળા . . .


આવશ્યક સૂચના – જિજ્ઞેશ અધ્યારૂ 39

આપ સૌને માટે એક-બે સરસ સમાચાર લઈને ઉપસ્થિત થયો છું. અને એટલે જ થયું કે આ સમાચારો સાથે તેમના વિશે થોડીક વિગતે વાત થઈ જાય.


મિલે સૂર મેરા તુમ્હારા… અક્ષરનાદના જૂના સંપાદક 1

આજથી લગભગ ત્રણેક વર્ષ પહેલા શરૂ થયેલ આવો જ એક સંબંધ જે અક્ષરનાદની જ નિપજ છે, ઘણાં ઓનલાઈન મિત્રો માંથી એક, વડીલ અને છતાં યુવાન, જેમને હું ફક્ત એકાદ વખત ફક્ત અડધા કલાક પૂરતો અલપઝલપ જ મળ્યો છું અને છતાં દિવસમાં એક – બે ફોન ન થાય તો એમને કે મને અડવું લાગે એવા સહજ સ્વભાવવાળા અક્ષરનાદના નવા, પણ જૂના સંપાદક વિશે વાત સાથે બ્લોગજગત વિશે વિચાર.


પ્રથમ લોકમત અને ભેટ યોજના – વિજેતાઓ… 2

આ પહેલા અહીં જાહેર કરેલી લોકમત અને ભેટ યોજના (ઇ-પુસ્તક) માં ભાગ લઈને ખૂબ ઉપયોગી પ્રતિભાવો તથા સૂચનો આપનાર અનેક મિત્રોનો હ્રદયપૂર્વક આભાર માની રહ્યા છીએ. અનેક મિત્રોએ પોતાનો કીમતી સમય ફાળવીને આખું ફોર્મ તથા જરૂરી વિગતો ભરી આપી છે, એ અંતર્ગત અમુક સૂચનો અમને ખૂબ ઉપયોગી લાગ્યા છે, શક્ય એટલી ઝડપે તેમનો અમલ કરવાની પૂરી તૈયારી કરવામાં આવશે. કેટલાક સૂચનો હાલ પૂરતા તો અમલમાં મૂકવા શક્ય નથી અથવા તે માટે કેટલાક ડિઝાઈનર અથવા ડેવલોપર મિત્રો તરફથી ટેકનીકલ માર્ગદર્શનની જરૂર છે. આ યોજનામાં જે મિત્રોને ઇ-પુસ્તકા આપવામાં આવ્યા છે તેમના નામ આ પોસ્ટમાં મૂક્યા છે.


નવનીત સમર્પણ સામયિકમાં અક્ષરનાદની કૃતિ 3

નવનીત સમર્પણ સામયિકના જાન્યુઆરી 2011 ના અંકમાં લેવાયેલા અક્ષરનાદના બે લેખ વિશેની વાત આજે કરી છે. આવા પ્રોત્સાહનો અનેક નવા સ્થળો વિશે, આપણી અજાણી ધરોહર વિશે લખવા પ્રેરણા આપશે એમાં બે મત નથી.


અક્ષરનાદ તરફથી પ્રથમ લોકમત અને ભેટ યોજના 2

અક્ષરનાદ પર આવતા થોડા મહીનાઓમાં, એક અગ્રગણ્ય અંગ્રેજી બ્લોગ તરફથી આમંત્રણને લીધે અને તેમની સાથે સહયોગને લીધે એક અનોખો અવસર ઉભો થઈ રહ્યો છે. આ ટેકનીકલ બ્લોગની પ્રસિદ્ધ થયેલી મોટા ભાગની ઈ-પુસ્તકો ભાષાંતર કરીને ડાઊનલોડ વિભાગમાં મૂકવાની પરવાનગી મળી છે. આ ઈ પુસ્તકોમાંનું પ્રથમ પુસ્તક ટૂંક સમયમા અક્ષરનાદ પર પ્રસિદ્ધ થનાર છે, જો કે એ તદ્દન મફત હશે કે નહીં એ વિષય હજુ વિચારણા હેઠળ છે. પરંતુ પ્રથમ ભાષાંતરીત ઈ-પુસ્તક ત્રણ મિત્રોને ભેટ આપવા માટે નક્કી કરાયું છે. વાંચો એ મેળવવા માટે જરૂરી વિગતો.


“અખંડ આનંદ” સામયિકમાં અક્ષરનાદની વધુ એક કૃતિ

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદ પર થોડા મહીનાઓ પહેલા પાલીતાણાના શ્રી ભીખાભાઈ સાંટીયાની મંદબુદ્ધિજનોને સાચવવાની અને સારવાર કરવાની સત્પ્રવૃત્તિ વિશે પ્રસ્તુત કરેલી કૃતિ, પ્રસિધ્ધ સામયિક અખંડ આનંદના નવેમ્બર ૨૦૧૦ના અંકમાં સમાવવામાં આવી છે. શ્રી ભીખાભાઈની સહ્રદયતા, ૧૬૦થી વધુ મંદબુદ્ધિજનોને સાચવવાની મહેનત, સદભાવના અને માનવસેવાના આ સુંદર કાર્ય વિશે વધુને વધુ લોકો સુધી જાણકારી પહોંચાડી શકાય તે હેતુથી લખેલો…….[ ]


STOP PRESS – ગર્વ લેવા જેવા નોખા ભારતીયની અનોખી વાત 13

એક ખૂબ જ અગત્યની અને આપની એક નાનકડી મદદ માંગતી વાત, એક ભારતીયને, એના અનોખા કામને એક નામ અને મદદ અપાવવાની વાત. એક ભારતીયના સદભાવનાના, સમાજોપયોગી કામને આખાય વિશ્વમાં ઓળખાણ અપાવવાનો, એના કામમાં મદદ કરવાનો અનેરો ઉત્સવ અને અવસર. આજનો આ લેખ અવશ્ય વાંચશો.


અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા … 9

અક્ષરનાદ દ્વારા ઓગસ્ટ ૨૦૧૦ માં મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં ધોરણ ૪ થી ૭ ના વિદ્યાર્થી મિત્રો માટે એક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન થયેલું, અક્ષરનાદનું આ પહેલું નાનકડું સાહસ હતું. આ આખાય અનુભવ વિશે, તેના પ્રસંગોચિત સ્મરણો અને એ આખીય પ્રક્રિયાએ આપેલા વિચારબીજ વિશેની વાત આજે અહીં કરવાનો પ્રયત્ન કર્યો છે.


The Beginner’s Guide to Aksharnaad

અક્ષરનાદને તેના શરૂઆતના સમયથી, મે 2007થી સતત સાથ આપનારા ઘણાં વાંચક મિત્રો છે, પરંતુ એ સિવાય આપનામાંથી ઘણાં મિત્રો નવા વાંચકો છે. નવા મિત્રોને આ સુંદર પ્રવૃત્તિને સમજવા અને અનેક સુંદર અનન્ય કૃતિઓ વાંચવાના કાર્યમાં મદદરૂપ થવાનો ઉદ્દેશ લઈને મેં આ મિત્રો માટે મદદરૂપ એક માર્ગદર્શિકા બનાવી છે, આ પધ્ધતિસરની શરૂઆત કરાવવાનો પ્રયત્ન છે જેથી અક્ષરનાદની વૈવિધ્ય ધરાવતી સુંદર કૃતિઓ વિશે તેમને પૂરતી માહિતી મળી રહે.


“અખંડ આનંદ” સામયિકમાં અક્ષરનાદની કૃતિ 1

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદ પર થોડા મહીનાઓ પહેલા મદુરાઈના “અક્ષય ટ્રસ્ટ” વિશે પ્રસ્તુત કરેલી કૃતિ, ( Click here for Gujarati / Click here for English ) પ્રસિધ્ધ સામયિક અખંડ આનંદના જુલાઈ ૨૦૧૦ના અંકમાં સમાવવામાં આવી છે. ક્રિષ્ણનના સદભાવના અને માનવસેવાના આ સુંદર કાર્ય વિશે વધુને વધુ લોકો સુધી જાણકારી પહોંચાડી શકાય તે હેતુથી લખેલો આ લેખ અખંડ આનંદ સામયિકના માધ્યમથી એક વિશાળ વાંચકવર્ગ સુધી પહોંચી શક્યો તે માટે અખંડ આનંદ સામયિકનો તથા તંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. પ્રતિભા અધ્યારૂ સંપાદક અક્ષરનાદ.કોમ


અક્ષરના નાદનો ચોથા વર્ષમાં પ્રવેશ…. 6

“અધ્યારૂ નું જગત” થી “અક્ષરનાદ” ….. સફર શરૂ થયે આજે ત્રણ વર્ષ પૂરા થયાં, જો કે પૂરા થયાં એથી વધુ મહત્વનું છે કે એ સફરની ક્ષણેક્ષણ સુગંધી અને આનંદસભર કરતા ગયાં. નવી થીમ સાથે થોડીક જ અદલાબદલી કરી અને અક્ષરનાદને એક નવા સ્વરૂપે મૂકવાની ઈચ્છા પૂરી કરી રહ્યો છું. આ પ્રસંગે થોડુંક મનન અને અંતરદર્શન કરવાની ઈચ્છાનો પડઘો આજે અહીં પ્રસ્તુત કર્યો છે.


દુ:ખદ સમાચાર

‘અક્ષરનાદ’ના સંપાદક શ્રીમતી પ્રતિભાબેન અધ્યારુના પૂજ્ય પિતાશ્રીનું મુંબઈ ખાતે આકસ્મિક દુ:ખદ અવસાન થયું હોવાથી આગામી દશ દિવસ સુધી ‘અક્ષરનાદ’ પર નવી કૃતિઓ પ્રકાશિત કરી શકાશે નહીં, જેની નોંધ લેવા સર્વ વાચકમિત્રોને વિનંતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના. લિ. મૃગેશ શાહ વડોદરા.


બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ 20

અક્ષરનાદ આજે ૨,૦૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ કરી રહ્યું છે. હમણાં ઘણાં વેબ મિત્રોએ સંપર્ક કરતાં પૂછ્યું કે “મારે બ્લોગ શરૂ કરવો છે, પણ શું લખું?” તેઓ કહે છે કે જો હું કોઈ મનગમતી કવિતા કે વાર્તા મૂકવાનું વિચારું તો એ કોઈક ને કોઈકની વેબસાઈટ પર મળી જ આવે, અને જે ઉપલબ્ધ છે એને મૂકવાનો અર્થ નથી. જો કે એ બધાં મિત્ર ઓનલાઈન મિત્રો હતાં, તેમના કદી ન જોયેલા ચહેરાની પાછળ પણ એક સુંદર ભાવનાશીલ હ્રદય ધબકે છે એ સત્તત તેમના ઈ-મેલ અને પ્રતિભાવોથી પ્રતીત થયાં કરે, પણ “શું લખું?” એ સવાલનો જવાબ આપવો કદાચ અશક્ય છે. ઘણાં દિવસથી આ વિષય પર લખવાની ઈચ્છા હતી, પરંતુ આ વિષય પર સલાહ આપવાની મારી યોગ્યતા પર મને પોતાને પ્રશ્નાર્થ હોય ત્યાં બીજાને મારે શું સમજાવવું. પરંતુ એવા મિત્રો જેમણે મને કે બીજા અનેક બ્લોગર મિત્રોને આ સવાલ પૂછેલો, “શું લખું?” તેમને જવાબ આપવો પણ જરૂરી લાગ્યો, એટલે આ લખ્યું.