સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : જત જણાવવાનું કે


અક્ષરનાદનો તેરમાં વર્ષમાં પ્રવેશ.. 14

૨૦૦૨માં અટકી ગયેલી જીઓસિટીઝની ગાડી વર્ષો પછી ૨૦૦૭માં પહેલા અધ્યારૂનું જગત અને પછી વિસ્તરીને અક્ષરનાદ સ્વરૂપને પામી. ડોમેઇન નામ લેવાથી હોસ્ટિંગ સુધી, વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી એમાં થીમ મૂકી અને કોડિંગ કરવા સુધીની બધી પ્રક્રિયા સ્વ. મૃગેશભાઈના સહયોગથી થયેલી. ત્યારે વર્ડપ્રેસ સેલ્ફ હોસ્ટેડ શેર્ડ સર્વર પર આજની જેમ સરળતાથી ઇન્સ્ટોલ નહોતું થતું. થીમ પણ ખૂબ ઓછી અને પ્રાથમિક સુવિધાઓ સાથે જ હતી અને ભાગ્યે જ કોઈ હોસ્ટ ભારતમાં હતા. મને ગમેલી સાદી થીમને લઈને મૃગેશભાઈને મેં જેમ જેમ મારા વિચાર કહ્યાં એમ એમણે મને કોડ કરીને આપવાનું શરૂ કર્યું. લગભગ બે મહીને અમે આખી વેબસાઈટ ડિઝાઈન કરી રહ્યાં હતા. મને યાદ છે કે ત્યારે ગુજરાતી બ્લોગવિશ્વ ખૂબ ઓછા બ્લોગરો સાથે પણ સમૃદ્ધ હતું. બ્લોગ ત્યારે હજુ ખૂબ અચરજની વસ્તુ હતો અને એમાં વાચકો હોવા એ તો એથીય વધુ આશ્ચર્યની વાત હતી.


નૂતન વર્ષના પ્રભાતે.. – સંપાદકીય 7

અક્ષરનાદ સર્વે સર્જકમિત્રોને, વાચકમિત્રો, સહયોગીઓ અને સર્વે સ્નેહીજનોને નવા વર્ષના સાલમુબારક.. વિક્રમ સંવત ૨૦૭૫નું આ નવું વર્ષ આપ સર્વેને જીવનમાં સંતોષપ્રદ, ઉલ્લાસસભર અને સફળ નીવડે એવી ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના. ગત વર્ષે ઈશ્વરકૃપા અને મિત્રોના ઉત્સાહસભર સહકારથી અક્ષરનાદ સરસ ચાલી શક્યું, ધારણાથી વધુ સારી રીતે.. અશ્વિનભાઈ અનુદિત નવલકથા શિન્ડલર્સ લિસ્ટ અને ધ્રુવભાઈની તત્વમસિ અક્ષરનાદ પર ખૂબ વંચાઈ. એ સાથે અનેક કૃતિઓને વાચકમિત્રોનો અનન્ય સ્નેહ અને આવકાર મળ્યો. સર્જકમિત્રોનો અક્ષરનાદની ક્ષમતા અને પદ્ધતિમાં વિશ્વાસ અને સતત સહકાર મળતા રહ્યા. આવનારા વર્ષે એથીય વધુ સત્વશીલ વાંચન વાચકો સુધી પહોંચાડી શકીએ અને નવા સર્જકોનો ઉત્સાહ વધારતો આ મંચ સહજતાથી આપી શકીએ એ જ પ્રયાસ સતત રહેશે..


પરિણામ – ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12

તો આજે અક્ષરનાદ આયોજીત ચોથી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૮)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌નું પરિણામ પ્રસ્તુત છે.

નિર્ણાયકો આદરણીય શ્રી હરીશ મહુવાકરજી અને શ્રી કામિની સંઘવીજીનો આટલી બધી માઈક્રોફિક્શનમાંથી પસાર થઈ, દરેકને ખૂબ ચીવટથી તપાસીને, અત્યંત કાળજીપૂર્વક પરિણામ આપ્યુંં છે. દરેક માઈક્રોફિક્શન વાર્તાને નિર્ણાયકોએ દસમાંથી ગુણાંક આપ્યા છે. આટલી બધી માઈક્રોફિક્શન અને એને દરેકને નાણીને ગુણ આપવાની આ લાંબી પ્રક્રિયા છતાં અને તેમના વ્યસ્ત શેડ્યૂલમાંથી પણ સમય ફાળવીને પરિણામ આપવા બદલ બંને નિર્ણાયકોનો હ્રદયપૂર્વક આભાર.


અક્ષરપર્વ – ૨ : કાર્યક્રમની વિગતો 8

સ્વ. પ્રકાશ પંડ્યાના અવસાનના બરાબર એક અઠવાડીયા પહેલા, હું ઓરિસ્સા હતો ત્યારે રાત્રે લગભગ સાડા આઠે પ્રકાશભાઈનો ફોન આવેલો. મને કહે કે તમે ગાઈ શકો છો એ ખબર નહોતી. કદાચ શ્રી હર્ષદભાઈ દવેએ તેમને અક્ષરપર્વ-૧નો વિડીયો દેખાડ્યો હશે. મેં કહ્યું, શોખ તો વર્ષોથી પણ હિંમત નથી થઈ કદી, એક જ વખત અક્ષરનાદનું પર્વ યોજેલું એમાં ધ્રુવભાઈની રચનાને સ્વર આપવાનો પ્રયત્ન મેં કરેલો. મારા પોતાના ગાયેલા ગીતો મારા સિવાય અને ઘરના સભ્યો સિવાય ભાગ્યે જ કોઈએ સાંભળ્યા છે. તો એ કહે, અક્ષરપર્વનો એ કાર્યક્રમ સાત વર્ષ પહેલા કરેલો, ત્યાર પછી ફરી કદી કેમ કર્યો નહીં? મેં કહ્યું, એ વખતે એટલા ખરાબ અનુભવ થયેલા કે પછી હિંમત જ ન થઈ. કવિસંમેલનમાં દિગ્ગજ કવિઓ સ્ટેજ પર હતા, અને એટલા જ શ્રોતાઓ સામે હૉલમાં. આર્થિક રીતે પણ ઘણો ઘસાયેલો અને જ્યારે એ સિવાય પણ સાથ આપવાનો વારો આવ્યો ત્યારે એક ગૃપના મિત્રોએ હાથ ખેંચી લીધો હતો, એટલે હવે હિંમત નથી થતી.


ડાઉનલોડ માટે આઠ નવા ઈ-પુસ્તકો 7

આજે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં આઠ નવા ઈ-પુસ્તકો ઉમેર્યા છે, આ સાથે લાંબા સમયથી અધૂરો એવો ડાઉનલોડ વિભાગ પણ પૂરો કર્યો છે અને કેટલાક પહેલા મૂકેલા અને ઈ-પુસ્તકોની આ નવી વ્યવસ્થામાં બાકી રહેલા પુસ્તકો પણ ફરી મૂકી દીધા છે.


પરિણામ – તૃતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૭) 25

અક્ષરનાદ આયોજીત તૃતિય માઈક્રોફિક્શન સ્પર્ધાના મારા, ડૉ. હાર્દિક યાજ્ઞિકના અને શ્રી નીલમબેન દોશી એમ ત્રણેય નિર્ણાયકોના ગુણના સરેરાશને લઈને વિજેતા બનેલા મિત્રોના નામ નીચે મુજબ છે. ઉપરાંત વિજેતા ન થયેલા પણ જેમની વાર્તાઓ નોંધપાત્ર રહી છે અને અમને નિર્ણાયકોને એક માઈક્રોફિક્શન તરીકે ખૂબ ગમી છે તેમની વાર્તાઓને પણ પુરસ્કૃત કરવાનો વિચાર થઈ રહ્યો છે. વિજેતાઓ માટે ઈનામની જાહેરાત પહેલા જ કરી હતી, એટલે એ સિવાયના આ મિત્રોની વાર્તાઓ પણ કોઈક રીતે પુરસ્કૃત થાય એવી મહેચ્છા છે..


અક્ષરનાદનો અગિયારમો જન્મદિવસ 47

અક્ષરનાદનો આજે અગિયારમો જન્મદિવસ છે. વર્ષોના વહાણાંં વાતા રહ્યાં અને સમય એની મેળે સરતો રહ્યો, જોતજોતામાંં એક દાયકો પસાર થઈ ગયો. વાચકોનો સતત પ્રેમ અને સાહિત્યના માધ્યમે કંઈક પામવાની, કંઈક મેળવવાની ઈચ્છા જ અક્ષરનાદના પાયામાં છે. સર્વે વડીલો, મિત્રો, વાંચનયજ્ઞમાં જોડાઈને અમારા ઉત્સાહમાંં સતત વધારો કરતા બધાંય સ્નેહીજનોનો ખૂબ ખૂબ આભાર.


ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ‘સર્જન’ 4

અમદાવાદ ખાતે આજે સાંજથી શરૂ થઈ રહેલા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’માં આ વખતે ‘સર્જન’ના પ્રયત્નો અને માઈક્રોફિક્શનના ‘સર્જન’ દ્વારા થયેલા પ્રચાર તથા વાચકોને ખૂબ પસંદ આવી રહેલા આ વાર્તા સ્વરૂપને લઈને બે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તા. ૧૫ ને ગુરુવારના રોજ વર્કશૉપ,

“માઈક્રોફિક્શન કઈ રીતે લખશો?” – માઈક્રોફિક્શન વાર્તાનો વર્કશૉપ – જીજ્ઞેશ અધ્યારૂ

અને

“બાપા હેમિઁગ્વેના ગુજરાતી પોયરા” – ગુજરાતી માઈક્રોફિક્શન વિશે વિશદ ચર્ચા – જીજ્ઞેશ અધ્યારૂ, હાર્દિક યાજ્ઞિક, ગૌરાંગ અમીન, નીલમ દોશી

આ બંને કાર્યક્રમોનો સમય, તારીખ અને વિગત શેડ્યૂલ આ મુજબ છે..


પાંચ નવા ઈ-પુસ્તકો.. – સંપાદક 4

અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં આજે પાંચ નવા ઈ-પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે. પી કે દાવડા સંકલિત ‘મળવા જેવા માણસો’, ગૌરાંગભાઈ અમીનનું ‘૪૬૫ કટિંગ’, સન્ડે ઈ-મહેફિલનું ૧૪મું સંકલન પુસ્તક, સન્ડે ઈ-મહેફિલના જ વૃદ્ધાવસ્થાને લગતા લેખોનો સંગ્રહ ‘ગરવું ઘડપણ’ અને નાથુભાઈ ડોડિયા રચિત ઈ-પુસ્તક ‘દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો’ આજથી અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં નિ:શુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કર્યા છે.


નવા વર્ષના સાલમુબારક, મનની અંતરંગ વાતો.. – સંપાદક 8

અક્ષરનાદના વિશ્વભરમાં વસતા સર્વે વાચકમિત્રો, સતત સહકાર અને પ્રોત્સાહન આપતા વડીલ સર્જકમિત્રો તથા ઉત્સાહસભર નવોદિત સર્જકમિત્રો અને ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપ તથા સામયિકના વિશાળ અક્ષરમય પરિવારને નવા વર્ષના સાલમુબારક, આ નવું વર્ષ આપ સર્વેને તથા આપના પરિવારજનોને સફળતા, જ્ઞાન, ઐશ્વર્ય, સંતોષ, સાહસ, હિંમત, ધગશ અને ઉત્સાહ આપે એવી ઈશ્વરને પ્રાર્થના. સાહિત્ય સાથેની આપણી આ સફર સતત અને સહજ રહે એવી ઈચ્છા ઈશ્વરના શ્રીચરણોમાં અર્પણ..


અક્ષરનાદ ઈ-પુસ્તકોના પંદર લાખ ડાઊનલોડ.. – સંપાદક 11

અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં મૂકેલા ઈ-પુસ્તકોનો આંકડો પંદર લાખ પંચોત્તેર હજાર ડાઊનલોડ ક્લિક્સને પાર કરી ગયો છે. અને આ ઉપરાંત અમારા ઈ-પુસ્તકોના ડેઈલીહન્ટ પરની ક્લિક્સ અહીં ગણી નથી. વળી ઈ-મેલ દ્વારા ફોરવર્ડ થતા, વોટ્સએપ દ્વારા ફોરવર્ડ થતા અને અનેક મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા અમને પૂછીને / પૂછ્યા વગર વહેંચાતા અક્ષરનાદના પુસ્તકોની ક્લિક્સ પણ અહીં ગણી નથી.. ગણવી શક્ય પણ નથી.

વધુ વિગતે જોઈએ તો, અક્ષરનાદ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા ૫૭ ઈ-પુસ્તકોના ચૌદ લાખથી વધુ, ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ સન્ડે ઈ-મહેફિલ ઈ-પુસ્તકોના દોઢલાખથી વધુ અને ગોવિંદભાઈ મારૂએ પાઠવેલા ઈ-પુસ્તકોના પચીસહજારથી વધુ ડાઊનલોડ થઈ ચૂક્યા છે.


અક્ષરનાદ પર ડાઉનલોડ માટે ત્રણ નવા ઈ-પુસ્તકો – સંપાદક

આપને જણાવતા આનંદ થાય છે કે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં ત્રણ નવા ઈ-પુસ્તકો ઉમેરાયા છે…
૧. અભ્યંતર (ગઝલ સંગ્રહ) – પ્રવીણભાઈ શાહ
૨. સંકલિત વાર્તાઓ – ‘હરિશ્ચંદ્ર’ અને આશા વીરેન્દ્ર
૩. આનંદનું આકાશ – શશિકાંત શાહ
આ ત્રણેય ઈ-પુસ્તકો અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઉનલોડ વિભાગમાંથી મેળવી શકાશે.


દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા – પરિણામ 18

સૌપ્રથમ, આભાર સૌ સ્પર્ધક મિત્રોનો.. ઓછામાં ઓછી ચાર માઈક્રોફિક્શન સ્પર્ધા માટે જરૂરી હતી, છતાં કોઈએ એક, કોઈએ બે તો કોઈએ દસ ને કોઈએ બાર માઈક્રોફિક્શન મોકલી. અક્ષરનાદે ખંતથી ઉછેરેલા વાર્તાના આ તદ્દન અનોખા અને નવલા સ્વરૂપને સ્પર્ધાના બંધનમાં નાખ્યા વગર સૌએ પોતાના સર્જનને વધુ મહત્વ આપ્યું, પાઠવ્યું.. એ જ આ સ્પર્ધાની ફળશ્રુતિ. આપની કલમથી નિપજેલી કૃતિ કદીય કોઈ નિર્ણયના ચોકઠામાં બંધાય – ઢબૂરાય નહીં તેનું ધ્યાન આપે રાખવાનું છે, સર્જન ખૂબ સમર્પણ માગતી વસ્તુ છે, અને છતાંય એ સફળ હશે એની કોઈ ખાત્રી નથી. મને આપણા એક પ્રસ્થાપિત વડીલ સાહિત્યકારે કહેલી વાત યાદ આવે, ‘જો તને તારું લખેલું ગમે, હ્રદયના ઉંડાણથી તને એમ થાય કે એ સર્વથા ઉચિત છે, તો પછી કોઈ ઈનામ તેને નવાજી શક્તું નથી.’ આ કહેવાનું કારણ ફક્ત એ જ કે જે મિત્રોએ ખંતથી, સમય આપીને તેમની કૃતિઓ મોકલી છે, તેમને નિરાશ થવાને કોઈ કારણ નથી. એ સર્વે કૃતિઓ – જી હા, એકે એક કૃતિઓ આવનારા મહીનામાં અક્ષરનાદ પર તથા ઈ-પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થશે જ!


અકસ્માતનો અનુભવ.. 11

ગત તા. ૪ નવેમ્બરે સાંજે પિપાવાવથી મહુવા બાઈક પર આવતી વખતે હાઈવે પર મહુવાથી ૧૦ કિલોમિટર દૂર, બાઈક એક ઉંડા ખાડાને ભેટ્યું, એ આગલા પૈડા પર ઊભું થયું, હું પડ્યો અને મારા પગ ઉપર બાઈક પડ્યું.. અને પગના ઘૂંટણ નીચેના હાડકાને તોડી નાખ્યું. અને અંતે દોઢ મહીનાનો ખાટલાવાસ ભોગવવાનો આવ્યો છે.


ગુજરાતી ઑડીયો વાર્તા વિશેષ… 12

અક્ષરનાદ લઈને આવી રહ્યું છે આપણી ભાષાની કેટલીક સર્વપ્રિય કૃતિઓ, આપણા મૂર્ધન્ય સાહિત્યકારોની કલમે નિપજેલી ભાષાના નજરાણાં જેવી ગુજરાતી સદાબહાર વાર્તાઓનો અનોખો રસથાળ, ઑડીયો સ્વરૂપે… આજે ફક્ત તેની એક ઝલક…


અક્ષરનાદનો નવમો જન્મદિવસ 29

અક્ષરનાદનો આજે નવમો જન્મદિવસ છે. ૨૦૦૭થી સતત ‘અધ્યારૂનું જગત’ અને પછી ‘અક્ષરનાદ’.. આપણી માતૃભાષાના સાહિત્ય અને સર્જન સાથે સંકળાયેલી આ સફરને આગળ વધારવાનો પ્રયત્ન કરતું જ રહ્યું છે. આ વર્ષે એ પ્રયત્ન પાછલા આઠેય વર્ષોમાં સહુથી મુશ્કેલ થઈ રહ્યો, એટલો મુશ્કેલ કે એક સમયે અઘોષિત બંધ જ થઈ ગયેલી આ વેબસાઈટ ફરીથી બેઠી થઈ શકી, અચોક્કસ અને અનિયમિતપણે પણ ચલાવી શકું છું એનું એક માત્ર કારણ છે વાચકમિત્રોનો અઢળક પ્રેમ અને પ્રોત્સાહન. ફક્ત એક જ વાતનો સંતોષ છે કે હતાશાના સમયમાં મારી જ મહેનત મને ઉપયોગી થઈ પડી છે, આ જ સાહિત્યલેખો અને સર્જનો કપરા સમયના સંગાથી થઈ રહ્યાં છે.


અક્ષરનાદનું નવું સ્વરૂપ… 18

અક્ષરનાદની થીમ બદલ્યે લગભગ સાડા ત્રણ વર્ષ થયાં, ત્યારથી વર્ડપ્રેસના અનેક અપડેટ્સ થઈ ગયાં, થીમ પણ અપડેટ માંગતી હતી પણ કોડમાં કરેલ ફેરફારને લીધે એ મુશ્કેલ થઈ રહ્યું હતું. એટલે છેલ્લા લગભગ ચારેક મહીનાથી થીમ બદલવાની આ પ્રક્રિયા શરૂ કરેલી. પણ છેલ્લા ચારેક મહીના જ વ્યવસાયિક જીવનના સૌથી વધુ અગવડભર્યા દિવસો થઈ રહ્યાં. એક એક દિવસ ભયાનક તાણ અને મુશ્કેલીભર્યો રહ્યો અને એ હજુ પણ ચાલુ જ છે… ખેર એ વાત ફરી ક્યારેક!

તો…. અનેક થીમની ભયાનક ઉલટફેર, સાઈટના દેખાવ અને સુવિધાઓ અંગેની મથામણ, ખૂબ લાંબા સમયની મહેનત અને સમયનો સખત અભાવ, આ બધાંય તત્વોને પાર કરીને આજે અક્ષરનાદનું નવું સ્વરૂપ પ્રસ્તુત કરી રહ્યો છું.


અક્ષરનાદ આંતરરાષ્ટ્રીય માઈક્રોફિક્શન સ્પર્ધા ૨૦૧૪ – પરિણામ 23

હા…….શ

આ સૌપ્રથમ લાગણી છે જે આજે મને ચોતરફથી ઘેરી વળે છે. ચાર મહીનાના અક્ષમ્ય વિલંબ પછી આજે જ્યારે માઈક્રોફિક્શન સ્પર્ધાના પરિણામ જાહેર કરી રહ્યો છું ત્યારે ખૂબ અસંતોષ છે, અસંતોષ મારી પોતાની પ્રત્યે જ છે, અને એ છે અનેક વાચકો અને સ્પર્ધકોને તેમની કૃતિઓ માણતા અને એ કૃતિઓની મૂલવણી જાણતા મહીનાઓ સુધી રોકી રાખવાનો. આ માટેના બહાનાઓની મારી વાત અલગથી કરી જ છે, અહીં પરિણામો અને વિજેતાઓની જ વાત.


ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ + Meet & Greet Contest 12

શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ ફક્ત ઈ-પુસ્તક તરીકે પ્રસ્તુત થઈ રહી છે. પુસ્તક વિમોચનને અનુલક્ષીને અક્ષરનાદ એક વિશેષ વાત લઈને આવ્યું છે. ધ્રુવભાઈના લેખન કે તેમના સર્જેલા પાત્રો વિશે ટૂંકમાં આપનો પ્રતિભાવ અહીં આપશો. શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાવો આપનારને ધ્રુવભાઈને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો અવસર પુસ્તક વિમોચનના દિવસે મળી શક્શે. આ સુવિધા માટે અહીં આપ આજથી લઈને ૨૨ તારીખ સવારે ૧૨ વાગ્યા સુધી પ્રતિભાવ આપી શક્શો.


નવા વર્ષના સાલમુબારક, શુભેચ્છાઓ… – સંપાદકીય 16

સૌ વાચકમિત્રો, સર્જકમિત્રો – સ્નેહીજનોને દિવાળીની શુભેચ્છાઓ.. નવા વર્ષના ઘણાં સાલમુબારક. આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ, જ્ઞાન અને પ્રગતિ પામી જીવનના સાચા મર્મને સમજવામાં સીમાચિહ્નરૂપ બની રહો તેવી શુભેચ્છાઓ.


મૃગેશભાઈ, R.I.P. દોસ્ત… 26

ગઈકાલે મૃગેશભાઈના મૃત્યુના સમાચાર મળ્યા, રીડગુજરાતી.કોમ પર મૃગેશભાઈના અવસાન વિશે પોસ્ટ કરી, ફેસબુક પર પણ એ જાણકારી મૂકી અને પછી શરૂ થઈ યાદોની સફર. મૃગેશભાઈની મુલાકાત તો ઘણે મોડેથી થઈ, પણ એ પહેલા ૨૦૦૬માં મારી બે ગઝલ તેમણે રીડગુજરાતી પર મૂકેલી, દરમ્યાનમાં ૨૦૦૭માં મેં ‘અધ્યારૂનું જગત’ બ્લોગ શરૂ કર્યો અને ત્યારબાદ મેં ૨૦૦૮માં રીડગુજરાતી પર પ્રતિભાવ આપ્યો તેના જવાબમાં તેમનો ઈ-મેલ આવ્યો હતો. તેમણે મને ફોન કરીને વાત કરવા અથવા મારો નંબર આપવા કહેલું, અને મેં તેમને જે પહેલો ફોન કર્યો હતો એ પોણો કલાક ચાલ્યો હતો. તે દિવસથી લઈને ગત મહીને છેલ્લે તેમની સાથે વાત થઈ, ત્યારે સવારે સાડા નવ વાગ્યે તેમનો ફોન આવ્યો હતો અને અમે લગભગ સવા કલાક વાત કરી હતી. એક ખૂબ જ અંતરંગ, લેખનમાં આંગળી પકડીને દોરનાર અને સુધારા સૂચવનાર મિત્ર અને સહ્રદય ભાઈની જેમ ચિંતા કરતા એક અંગત સ્નેહીને ગુમાવ્યાનો વસવસો આજે ભારે થઈ રહ્યો છે….


અક્ષરનાદનો આઠમો જન્મદિવસ 33

‘અક્ષરનાદ’ નામની આપણી માતૃભાષાના વૈભવ અને મહેકને વિશ્વભરમાં વસતા ગુજરાતીના વાચકો, ભાવકો અને ચાહકો સુધી પહોંચાડતી એક નાનકડી વેબસાઈટ, એક સાવ અવ્યવસાયિક પ્રયત્ન આજે ગુજરાતી વેબવિશ્વમાં સાત વર્ષ પૂર્ણ કરીને આઠમા વર્ષમાં પ્રવેશી રહી છે. સાત વર્ષ એક ખૂબ લાંબો સમયગાળો છે. ગુજરાતી ભાષાએ જ આ સાત વર્ષોમાં અનેક બ્લોગ, અનેક બ્લોગર અને અનેકાનેક વેબસાઈટ્સની ઉભરતી અને ઓસરતી લાલિમાઓ જોઈ છે, એ બધાંની વચ્ચે સતત આ સાત વર્ષ ઉભા રહી શકાયું, આગળ વધી શકાયું અને હજુ પણ એ જ ઉત્સાહ, એ જ પ્રેરણા મળી રહી છે એ બદલ વાચકો, વડીલો, સાહિત્યકાર મિત્રો અને લેખકોને, સર્વેને નતમસ્તક.


અમદાવાદ પુસ્તક મેળો ૨૦૧૪ – શું ગમ્યું, શું ન ગમ્યું… 21

અમદાવાદના પુસ્તકમેળામાં જવા માટે આ વખતે એક મહીના પહેલેથી જ કંપનીમાં રજા લઈ રાખી હતી, અને યોજના મુજબ જ ૬ મે ના રોજ બપોરે એક વાગ્યે ત્યાં પહોંચ્યો.
૨૦૧૨માં બેંગ્લોરમાં સિવિલ એન્જીનીયરીંગને લગતા સાધનોનું એક મહાકાય એક્ઝિબિશન હતું જેમાં હું બે દિવસ ગયેલો અને તો પણ એ પૂરું જોઈ શક્યો નહોતો. આવા એન્જીનીયરીંગ સાધનોના ટૅકનીકલ એક્ઝિબિશનના મને ઘણાં અનુભવ છે, એકાદ-બેમાં તો સ્ટૉલ પણ સંભાળેલો એટલે હતું કે પુસ્તકોનું એવું જ કાંઈક અવનવું પ્રદર્શન – વેચાણ અહીં થતું હશે, નવી ટેકનોલોજી સાથે એ ક્ષેત્રનું નવું જોવા-જાણવા મળશે અને કેટલાક સરળતાથી હાથ ન લાગતા પુસ્તકો ખરીદવા મળશે. પણ…


અક્ષરનાદ + ન્યૂઝહન્ટ = મોબાઈલ સાધનો પર નિઃશુલ્ક ગુજરાતી ઈ-પુસ્તકો 7

હા! અક્ષરનાદ ઈ-પુસ્તકોના વાચકો માટે ખુશખબર છે! હવે ન્યૂઝહન્ટ એપ્લિકેશનના માધ્યમથી તમે કોઈ પણ ઑપરેટીંગ સિસ્ટમ ધરાવતા ફોન પર અક્ષરનાદના ઈ-પુસ્તકો નિઃશુલ્ક વાંચી શક્શો. ઉપરાંત આ સુવિધા વિશે વિગતે માહિતી અને લેખક / પ્રકાશક મિત્રો માટે કેટલીક વાત…


અક્ષરનાદને મળ્યો ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity 2012-13’ 56

અક્ષરનાદને ‘Laadli Media And Advertising Award for Gender Sensitivity ૨૦૧૨-૧૩’ આપવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે દિલ્હીના લોધી રોડ પર આવેલ ચિન્મય મિશનના ઑડીટોરીયમમાં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં અનેકવિધ વિભાગમાં પશ્ચિમ અને ઉત્તર વિભાગના લગભગ ૧૭૦૦થી વધુ નોમિનેશન્સમાંથી અને અનેકવિધ કેટેગરીના ૮૦ વિજેતાઓ સાથે અક્ષરનાદને પણ આ પુરસ્કાર મળ્યો.


સંવત ૨૦૭૦, નૂતન વર્ષે શુભેચ્છાઓ… – સંપાદકીય 15

વધુ એક વર્ષ, જીવનના ખાટાં મીઠાં સંભારણાઓ સાથેનો સમયનો એક ગાળો પસાર થઈ ગયો. ગત વર્ષે જે નફા-નુકસાન થયા એ બધાંયને ભૂલીને આજે દિવાળીના સપરમા દિવસે અને આવતીકાલથી શરૂ થઈ રહેલા નવા વર્ષે સર્વેને શુભેચ્છાઓ, ઈશ્વર આપ સર્વેને આપની ઈચ્છાઓ પૂર્ણ કરવાની ક્ષમતા, શક્તિ અને ધીરજ બક્ષે એ જ અભ્યર્થના.


અક્ષરનાદનો સાતમો જન્મદિવસ… 101

અક્ષરનાદ આજે ગુજરાતી વેબવિશ્વમાં છ વર્ષ પૂર્ણ કરીને સાતમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. ‘અધ્યારૂનું જગત’થી શરૂ થયેલી યાત્રા જે સુંદર અને સ્વચ્છ રીતે સતત આગળ ધપી રહી છે એ જોઈને સહજ સંતોષ અને આનંદ થાય એ સ્વભાવિક છે, તો સફરની પોતાની મોજ પણ આગળ વધવાનું સતત ઈજન આપતી રહે છે. આવા પ્રસંગો વાચકમિત્રો સાથે સંવાદનું માધ્યમ બની રહે એવા પ્રયત્ન કર્યા છે અને આજે પણ એવી જ રીતે અક્ષરનાદ વિશેની, અમારા વિશેની અને આ યાત્રા વિશેની કેટલીક વાતો આપની સાથે વહેંચવી છે, પણ એ પહેલા એક વેબસાઈટ તરીકે, રોજ સવારે પ્રેમપૂર્વક હાજરી નોંધાવીને, ઈ-મેલમાં મળતા નવી કૃતિઓના સંદેશા જોઈને તેને વધાવીને – પ્રતિભાવ આપીને, ફોન – ઈ-મેલ દ્વારા સ્નેહાળ ઉઘરાણી રૂપે પુસ્તકની કે લેખની માંગણી કરીને અને એમ દરેક વખતે ઉત્સાહ વધારીને આગળ વધવાની પ્રેરણા આપતા સર્વે વાચકમિત્રોને સાદર પ્રણામ.


જીવનનો સૌથી ખરાબ અકસ્માત…

ક્યારે કઈ ક્ષણ તમને જીવનભર યાદ રહી જાય એવો પાઠ ભણાવે, કોણ જાણતું હશે? જિંદગીમાં જોઈએ છે એ બધુંય, એથી વધારે પ્રભુ સતત આપ્યા કરે છે એવા ભ્રમમાં ગુલતાન મનને ગત ૧૯મી માર્ચે ત્યારે એવડો મોટો ભયાનક અને જીવનભરનો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ થયો કે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, હોશ અને હકારાત્મકતાના લીરે લીરા ઉડી ગયા, શારીરિક – માનસીક આઘાત તો ખરો જ, સાથે સાથે કેટલાક સંબંધોની સચ્ચાઈ પણ અવાંચ્છિતપણે સામે આવી ગઈ. આજે મારા બ્લોગ ‘અધ્યારૂનું જગત’ પર મૂક્યો છે થોડાક દિવસ પહેલા જ થયેલ દુર્ઘટના વિશેનો ઘટનાક્રમ – જીવનનો સૌથી ખરાબ અકસ્માત…


અક્ષરનાદનું વર્ષ ૨૦૧૨ – એક વિહંગાવલોકન 16

વર્ષ ૨૦૧૨ પૂર્ણ થઈ રહ્યું છે અને નવા વર્ષને શરૂ થવાને થોડાક કલાકોની જ વાર છે ત્યારે ગત વર્ષની ઉપલબ્ધીઓ – અપેક્ષાઓ અને ભૂલો વિશે વિચારીને, તેમને વધુ સુસંગત અને યોગ્ય બનાવી નવા સમયને માટે આયોજન તથા વિચાર કરવાનો સમય છે. અક્ષરનાદ વિશેની કેટલીક આંકડાકીય માહિતિ અને અન્ય વિગતો સાથે આજે ઉપસ્થિત થયો છું.


નિયમિત અનિયમિતતા… – જીજ્ઞેશ અધ્યારૂ 18

સૌપ્રથમ તો છેલ્લા થોડાક સમયથી અક્ષરનાદની પોસ્ટ અનિયમિત થઈ રહી છે એ બાબતે આપ સૌની ક્ષમા માંગી લઉં. વારંવાર આ અનિયમિતતાનું પુનરાવર્તન થતું રહ્યું છે એ ખૂબ ખેદજનક પણ નિવારી ન શકાય એવી વાત બની ગઈ હતી.