સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : અક્ષરનાદ વિશેષ


૨૬ જાન્યુઆરીની ભારતીયોમાં પરિભાષા… 8

આટલા વિશાળ દેશની વિવિધતાઓમાં એક દુઃખની વાત એ પણ છે કે ભારતીય હોવા કરતા આપણે ગુજરાતી, તમિલ, મલિયાલી, બિહારી, કાશ્મીરી જેવા અનેક વિભાગોમાં વહેંચાયેલા છીએ. પ્રસાશનની સરળતા માટે બનાવાયેલ વિભાગો માણસથી માણસને અલગ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરો તો એમાં પણ કાઠીયાવાડી, અમદાવાદી, સૂરતી, કચ્છી… આપણને ગમે તેટલો મોટો સમુદ્ર મળે – ખાબોચીયું જ આપણું સ્વર્ગ હોય એમ લાગે છે. અને ખાબોચીયાના રાજા સમુદ્રને કદી સન્માન બક્ષી શકે એવી આશા કે અપેક્ષા રાખવી અસ્થાને છે. સ્વાર્થમાં લિપ્ત અને કૂપમંડુક રાજનેતાઓ, સતત પૈસાદાર અને સમૃદ્ધ થવા ગરીબોને વધુ ગરીબ કરી રહેલ ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ તંત્ર અને સ્વકેન્દ્રિત મનોસ્થિતિવાળા સમાજથી આગળ વધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયેલ સ્વપ્નના ભારતની આપણે પ્રાપ્તિ કરી શકીએ એવી અપેક્ષા આજે વ્યક્ત કરવાની જરૂર સૌથી વધુ છે.


શ્રી હરેશ ધોળકીયા ની લઘુ નવલ “આફ્ટરશૉક” – અશોક વૈષ્ણવ 1

એક મહા ‘આંચકો’ ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ વહેલી સવારે વિનાશક ભૂકંપ કચ્છને ભાગે ભોગવવાનો આવ્યો. લોકજીવન અને ભૌતિક સંપત્તિને એવી મરણતોલ માર પડ્યો જણાતો હતો કે કચ્છ સદાય માટે ખતમ થઇ ગયું એવું બહારનાં જગતે થોડા સમય સુધી તો માની લીધું હશે. પરંતુ તે પછીના દાયકામાં આવું કચ્છ સ્મશાનની રાખમાંથી કોઇ અદ્ભૂત પ્રેરણા મેળવીને ફરીથી ધબકતું થયું. ભૂકંપ પછી ફરીથી બેઠા થવાની પ્રક્રિયા અંગે દસ્તાવેજી વૃતાંતો કે લેખો સમયોચિત થતાં રહ્યાં હશે. પરંતુ ભાઇશ્રી હરેશ ધોળકિયાના માનવા મુજબ એ બધાંમાં ક્યાંય માનવ જીવનની વેદના કે પીડા તેમ જ માનવ જીવન સાથે વિધિએ ખેલેલા આટાપાટા લાગણીનાં અને સંબંધોને સ્તરે પ્રતિબિંબીત થતાં જોવા નથી મળતાં. પુસ્તકની પ્રસ્તાવનામાં ઝલકતી લેખકની વિષયની ‘આંચકો-આપવાની-શક્યતા’ જ આગંતુક ‘આંચકા’નો રણરણાટ તો આપણાં મનમાં કુતૂહલનાં બીજ રોપી દેવામાં, જાણ્યે અજાણ્યે કારણભૂત બને છે. આમ “આફ્ટરશૉક’ જેવું શિર્ષક, હરેશ ધોળકિયાનું ચિંતન-લેખન, લેખકને બદલે એક નવલકથાના લેખક તરીકેની પ્રસ્તુતિ અને પ્રસ્તાવનામાં ઝલકતું રહસ્ય એ બધાને કારણે બહુ જ ઉત્સુકતાના, ‘હવે શું થશે’ના ભાવથી જ આપણે પુસ્તકની શરૂઆત કરીએ છીએ. પ્રસ્તુત છે આ લઘુનવલ “આફ્ટરશૉક”નો શ્રી અશોકભાઈ વૈષ્ણવ દ્વારા સુંદર પરિચય.


ચિંતનકણિકાઓ.. – સંકલિત 9

વિચારકણિકાઓ એ અનેક બાબતોમાં, વિચારોમાં અટવાયેલા મનને ક્ષણિક યોગ આપતી માનસિક રિફ્રેશમેન્ટ છે, પરંતુ સાથે સાથે એ મનને એક નવા અને અર્થસભર વિચાર સાથે હકારાત્મક ઉર્જા પૂરી પાડે છે. આજે પ્રસ્તુત છે વિવિધ સંકલનો અને પુસ્તકોમાંથી એકત્રીત કરેલી કેટલીક સુંદર વિચારકણિકાઓ, આપના વિચારતંતુને છેડવા માટે આ ચોક્કસ સક્ષમ થઈ રહેશે એવી આશા છે.


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 7

વાચકોની પદ્યકૃતિઓ મૂકવાનો અવસર લાંબા સમયથી મળ્યો નહોતો અને મોટી સંખ્યામાં કૃતિઓ અક્ષરનાદને મળે છે એ જોતા આજે વાચકોની કાવ્ય રચનાઓમાંથી પસંદ કરીને ચાર કૃતિઓ અહીં મૂકી છે. શ્રી બાલકૃષ્ણ સોનેજી, શ્રી સુરેશ લાલન, શ્રી કિંજલ્ક વૈદ્ય અને શ્રી રાજેશ ભટની કૃતિઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે આ પ્રથમ કૃતિઓને આપનો પ્રેમ તથા પ્રોત્સાહન મળશે અને આ મિત્રો હજુ વધુ સુગ્રથિત તથા સચોટ સાહિત્યસર્જન કરી શક્શે. આ ચારેય મિત્રોનો અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ આભાર.


પાંચ ઝેન કથાઓ – સંકલિત 15

ઝેન-બૌદ્ધ કથાઓ નાની પરંતુ ચમત્કૃતિપૂર્ણ સાર ધરાવતી પ્રેરણાદાયક અને બોધપ્રદ ટૂંકી વાર્તાઓ હોય છે. મનને દુન્યવી બંધનો અને મોહથી છોડાવીને અધ્યાત્મિકતા તરફ દોરી જવાનો તેનો મુખ્ય હેતુ હોય છે. વેબવિશ્વ પર ઉપલબ્ધ કેટલીક હ્રદયસ્પર્શી અને ગહન ચિંતન માંગી લેતી આવી જ પાંચ સુંદર ઝેનકથાઓનો અનુવાદ કરીને અહીં પ્રસ્તુત કરી છે. ગહન શબ્દોની મોહજાળમાં પડ્યા વગર સહજ પ્રસંગોના માધ્યમથી કેટલીક સમજદાર વાતો મૂકવાનો પ્રયત્ન આપને ગમશે એવી આશા છે.


‘સુશીલા’ પુસ્તક પરિચય – નિમિષા દલાલ 8

પુસ્તક પરિચય લખવાનો નિમિષાબેન દલાલનો આ પ્રથમ પ્રયત્ન છે. વાત છે અમેરિકા સ્થિત ગુજરાતી લેખક શ્રી હરનિશભાઈ જાની ની હાસ્યરચનાઓ ના સંગ્રહ ‘સુશીલા’ ની જેને પરિષદનું પ્રથમ ઈનામ શ્રી જ્યોતિન્દ્ર દવે પરિતોષિક અને ગુ. અકાદમી ગાંધીનગરનું શ્રેષ્ઠ હાસ્યના પુસ્તકનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. આ પહેલાં શ્રી હરનિશભાઈ જાની નો એક સંગ્રહ ‘સુધન’ બહાર પડ્યો છે તેને પણ સાહિત્ય અકદમી ગાંધીનગર તરફ થી હાસ્ય/વ્યંગ વિભાગમાં બીજું ઈનામ પ્રાપ્ત થયું છે. સુધન એમના પિતાનું નામ છે અને સુશીલા એમના માતા નું નામ છે. આ બે સંગ્રહો દ્વારા એમણે એમના માતા-પિતાને સ્મરણાંજલિ અર્પી છે. અક્ષરનાદને આ પરિચય પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ ખૂબ આભાર.


પક્ષીરાજનું પ્રેરક પરિવર્તન – હર્ષદ દવે 4

આકાશમાં ઉડવાનું કોને ન ગમે? પણ ઉડવું શી રીતે? હનુમાન અને સુપરમેન ઉડી શકે પણ આપણે કેવી રીતે ઉડવું? ભલે આપણે ન ઉડી શકીએ પણ ઉડવામાં જેને ગોલ્ડ મેડલ મળી શકે તેવાં ગોલ્ડન ગરુડના વિશ્વમાં તો આપણે વિહરી શકીએ ને ! જેને પાંખ હોય તેને પંખી કહેવાય. પંખીઓમાં જેને રાજા ગણવામાં આવે છે તેને પંખીરાજ કહે છે. પંખીરાજ એટલે ગરુડ! એટલે જ તો તે ગરુડગામીનું એટલે કે વિષ્ણુનું વાહન છે. ધજા પર ગરુડના ચિન્હવાળા વિષ્ણુને ગરુડધ્વજ કહ્યા છે.


સૌને માટે રાજકારણનું સામાન્ય જ્ઞાન (ઈ-પુસ્તક) 3

રાજકારણનું પાયાનું જ્ઞાન સૌને મળે તે જાતનું શિક્ષણ પ્રજાને આપવાનું કામ આપણેકરવાનું છે. તેમાં સૌથી પહેલી વાત એ છે કે આપણે લોકશાહી સમાજ રચવાનો છે. આ લોકશાહી આપણા દેશ માટેછ-સાત દાયકા જેટલી જ નવી વાત છે. આપણે ત્યાં એ આવી છે બ્રિટન અને અમેરીકામાંથી. ત્યાંની પ્રજાને એનો સૈકાઓનો અનુભવ છે. ત્યાંનાં શાણાં નરનારીઓએ લોકશાહી સમાજને માર્ગદર્શક એવા કેટલાક વિચારો જગત સામે મૂકેલા છે. તેમાંથી સાવ થોડાક વિચારોને સંકલીત કરીને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાયેલ ટચૂકડી પુસ્તિકામાં મૂકાયા છે. આ ઈ-પુસ્તક આજથી અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.


એકવીસમી સદીનો ટપાલી (લઘુકથા) – ઋત્વિ વ્યાસ મહેતા 15

ટપાલી નામ પડતાં જ આપણી મનોસ્મૃતિ પર વૃદ્ધ, સાયકલ પર આવતા ટપાલીકાકાનું ચિત્ર ઊપસી આવે. ગાત્રો થીજાવતી ઠંડી હોય, શ્રાવણીયાના સરવડા કે દેહ દઝાડતો જેઠ મહિનો હોય – ટપાલી કાકા તેમનો પોટલો લઈને ચારેબાજુ ફરી વળતા, એકબીજાથી દૂર વસતા આપ્તજનો માટે પરોક્ષ રીતે સેતુબંધ બનતા અને એકલદશા ભોગવતા વૃદ્ધજનોની શૂન્યતા ઘડીક પૂરી દેતા ટપાલીકાકા ધીરે ધીરે આપણાં ઘરના એક સદસ્યની જેમ આપણી ચિઠ્ઠી પર આપણી સાથે હસતા અને આપણી સાથે રડતા. વર્ષોથી કાંઈ આવું જ આપણે સાંભળતા આવ્યા છીએ અને કાંઈ આવી જ છબી તરવરી ઉઠે, પણ એ છબીમાં અહીં થોડો નહીં – ઘણો બધો ફેરફાર છે. હવે આપણે એકવીસમી સદીના ટપાલીની વાત કરીએ….


માતા પિતા પોતાનો ગ્રેડ નક્કી કરે ! 8

‘કિલ્લોલ’ એક એવું શૈક્ષણિક સંકુલ કે જ્યાં બાળક કોળાઈ શકે – ખીલી શકે – મહેકી શકે – ઉંચી ઉડાન ભરી શકે તે માટેની બધી જ સુવિધાઓ અને સ્વતંત્રતાઓ આપવાનો એક આદર્શ પ્રયત્ન થાય છે. સૂક્ષ્મ સુચારુ અને છતાં ધારદાર મનોવૈજ્ઞાનિક અભિગમ સાથે બાળકોને તમામ પ્રકારની સજ્જતા અપાવવા પુરુષાર્થ કરતી ગુજરાતની એક અનોખી શાળા એટલે ‘કિલ્લોલ’ બાળશિક્ષણની એક સમાજશાળા એટલે કિલ્લોલ. ‘કિલ્લોલ’ સંસ્થાનું મુખપત્ર એટલે ‘સખ્યમ’, ગત મહીને શ્રી ગોપાલભાઈ ભરાડ મહુવા આવ્યા ત્યારે તેમને મારા ઘરે અલપઝલપ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો. તેમણે મને ‘કિલ્લોલ’ નામની નાનકડી પુસ્તિકા અને ‘સખ્યમ’ ના થોડાક અંકો ભેટ કરેલા. કિલ્લોલ પુસ્તિકામાંથી માતા પિતા પોતાને ગુણ આપી શકે તેવી એક પ્રાથમિક નાનકડી પ્રશ્નોત્તરી આજે અહીં મૂકી છે.


મને શું થવું ગમે? – દેવયાની બારૈયા (પ્રથમ સ્થાન – અભિવ્યક્તિ) 16

મહુવાની શ્રી માનસ પ્રાથમિક શાળામાં, અક્ષરનાદ દ્વારા અને શાળાના શિક્ષકોના સહયોગથી થોડાક વખત પહેલા એક નિબંધ સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીમિત્રોની જાહેરાત અને આ સમગ્ર આયોજન વિશે “અક્ષરનાદનું ગ્રાઉન્ડવર્ક – “અભિવ્યક્તિ” નિબંધ સ્પર્ધા …” અંતર્ગત સૂચવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીની કુમારીશ્રી બારૈયા દેવયાની રમેશભાઈ (ધોરણ 6)ની વિષય – મને શું થવું ગમે (શિક્ષક) પર લખાયેલ નિબંધ આજે પ્રસ્તુત કર્યો છે. આશા છે આ કૃતિને વાંચકો વધાવશે અને આ નાનકડી લેખિકાને આપના પ્રેરણા અને પ્રોત્સાહન તથા શુભેચ્છાઓ મળશે.


“સવાઈબેટ” ગુજરાતના દરિયાકાંઠાનું અનેરું મોતી – જીજ્ઞેશ અધ્યારૂ 13

ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટરથીય વધુ લાબો દરિયાકાંઠો છે અને તેથી જ બીજા કોઈ પણ રાજ્યની સરખામણીએ ગુજરાતમાં દરિયાનું મહત્વ અદકેરું છે, પરાપૂર્વથી ગુજરાતીઓને દરિયા સાથે અનેરો સંબંધ રહ્યો છે. આવી લાંબી દરિયાઈ પટ્ટી પર પ્રાચીનકાળથી અનેક ધાર્મિક, વ્યાપારીક અને પ્રવાસન સ્થળો વિકસ્યા છે અને ભારતીય પ્રવાસન નકશામાં તેમનું અગત્યનું સ્થાન છે. પરંતુ આવા જાણીતા સ્થળો સિવાય પણ આ દરિયા કિનારે ઘણાંય અપ્રસિદ્ધ પણ મોતી સમાન મૂલ્યવાન સ્થળો આવેલાં છે. કદાચિત તેમની ઉપેક્ષા અને અવગણના થઈ છે, એટલે આવા સ્થળો વિશે ખૂબ ઓછી જાણકારી ઉપલબ્ધ છે. ગુજરાતના દક્ષિણ પશ્ચિમ કિનારે દરિયાની વચ્ચે આવેલા એક નાનકડા ટાપુ એવા શિયાળબેટ વિશે આ પહેલાં એક લેખમાં અક્ષરનાદ પર લખ્યું જ હતું. આજે વાત કરવી છે તેની તદ્દન નજીક આવેલા એવા બીજા નાનકડા ટાપુની.


સત્કાર્યની ધૂપસળી “ગાંડાઓનો આશ્રમ…” – જીજ્ઞેશ અધ્યારૂ 13

આપણાં આદ્ય કવિ નરસિંહ મહેતાએ પાંચ સદી પહેલા વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો આજના સમયમાં પણ કોઈ એક માણસમાં જોવા મળી શકે એવી વાત જો હું કહું તો કેટલા માનશે? અત્યારના સમયમાં જ્યારે લોભ, લાલચ અને સ્વાર્થનો ભરડો સર્વત્ર જોવા મળે છે અને માણસ જ માણસનો શત્રુ છે, બીજાની નબળાઈનો લાભ લઈ ફાયદો ઉઠાવતા લોકોનો આ વખત છે ત્યારે પરાઈ પીડને જાણતા, પરદુઃખે ઉપકાર કરતાં અને તોય મનમાં લેશ પણ અભિમાન ન લાવતાં, અને એ આખીય પ્રક્રિયાનો મૂળ ભાગ હોવા છતાં તેનાથી સાવ અલિપ્ત જાણે કે એક દ્રઢ વૈરાગી હોય તેવા એક વ્યક્તિ વિશેની આ આખીય વાત કહેવી છે.


માનવતાની માવજત – જીજ્ઞેશ અધ્યારૂ 9

વણસંતોષાયેલી ભૂખનો ચહેરો ખૂબ ભયાનક હોય છે. માનસિક વિકલાંગ લોકો વિશે વિચારો જેમને આ ભૂખનો માર રોજ સહન કરવો પડે છે. રસ્તાની કોરે બેઠેલા, લઘરવઘર આવા લોકોને ક્યારેય નિહાળ્યા છે? મદુરાઇથી એક એવો મજબૂત પ્રયત્ન થઇ રહ્યો છે, જે આવા લોકોને તેમની ભૂખ સંતોષવાનો, તેમને તેમનું સ્વમાન પાછું અપાવવાનો એક જીવનભરનો પ્રયત્ન છે. આ ઉમદા કાર્ય વિશે, એ માનવતાના યજ્ઞ વિશે આજે જાણો.


Act of Oblation to humanity – Jignesh Adhyaru 10

Hunger has a very horrible face, if not satisfied. Think about the mentally unfit people, have you ever observed them on roadside footpaths or such places? One strong effort from Madurai, to help them get their hunger satisfied, to grant them their respect and life, a person is trying die hard. Know about the Noble cause, Act of oblation to humanity.


માનવ સેવાનો મહાયજ્ઞ – જીગ્નેશ અધ્યારૂ 8

અક્ષરનાદ વેબસાઇટના વિષય વૈવિધ્યમાં આજથી મુલાકાતોના એક નવા વિભાગની શરૂઆત થઇ રહી છે. અને મને આનંદ છે કે ડો. પ્રફુલ્લભાઇ શાહ જેવા માનવ સેવાના સાક્ષાત મહાયજ્ઞ જેવી વ્યક્તિ સાથેની મુલાકાત તથા તેમની પ્રવૃત્તિઓ વિશેની જાણકારી સાથે આજે આ વિભાગ શરૂ થઇ રહ્યો છે. સાવરકુંડલાથી ઉઠેલી આ સેવા અને પરોપકારની અખંડ જ્યોત આજે ખૂબ મોટા સ્તરે વિસ્તરી છે. આજે અનુભવો આ સુંદર, હ્રદયંગમ અને પ્રેરણાદાયી મુલાકાતને.


નરસિંહ મહેતા (એક ચરિત્રાત્મક નિબંધ) – તરૂણ મહેતા 10

આજથી સાડાપાંચસો વર્ષ પૂર્વે ભાવનગર મુકામે એક દિવ્ય ચેતનાનો પ્રાદુર્ભાવ થયો. સામાન્ય બ્રાહ્મણ કુંટુંબમાં જન્મેલાં નરસિંહ મહેતા જુદાજુદા સ્વરૂપે આપણી વચ્ચે વિદ્યમાન હતાં. જીવનના સંદર્ભે તો નરસિંહ સાથે અનેક કિવદંતીઓ જોડાયેલી છે પરંતુ ખરા અર્થમાં નરસિંહ તો ભક્ત- કવિ તરીકે પોતાની અમર છાપ મૂકી ગયા છે. શ્રી તરૂણ મહેતા દ્વારા રચાયેલ “નરસૈયાં” નરસિંહ મહેતા વિશેનો આ ચરિત્રાત્મક નિબંધ આજે આપ સૌ માટે પ્રસ્તુત છે.


એક હિંદુને પત્ર – લીઓ ટોલ્સટોય (અનુ. જીગ્નેશ અધ્યારૂ) 2

શ્રી લિઓ ટોલ્સટોય દ્વારા લખાયેલ પુસ્તક ” લેટર ટુ અ હિન્દુ ” નો ગુજરાતી અનુવાદ કરી રહ્યો છું. તેની પ્રસ્તાવના શ્રી ગાંધીજી દ્વારા લખાઇ છે, ભારતની પરાઘીનતા – તેન કારણો અને ઉપાય વિષયને કેન્દ્રમાં રાખીને શ્રી મોહનદાસ કરમચંદ ગાંઘીના વિચારોનો ગુજરાતી અનુવાદ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે. અને તેમના ટોલ્સટોયના લેખન વિશેના વિચારો વાંચીને ખૂબ પ્રભાવિત થવાયું. આજે તે પુસ્તકની પ્રસ્તાવના આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


સવાલ મુઠ્ઠીભર અજવાળાનો – તરૂણ મહેતા 12

તરુણભાઇ મહેતાની કલમે આજે માણો કવિ શ્રી ગૌરાંગ ઠાકરના ગઝલ સંગ્રહ ‘મારા હિસ્સાનો સૂરજ’ નો આસ્વાદ. શ્રી ગૌરાંગ ઠાકર વ્યવસાયે સિવિલ ઇજનેર છે, પરંતુ એક ઇજનેરના વ્યવસાય સાથે તેમણે જે રીતે ગઝલના બાંધકામ કર્યા છે તે કાબિલેદાદ છે. માણો આજે આ સૂરજની પ્રતિભા.


એલફેલ પ્રિપેઇડ કસ્ટમર કેર – જીગ્નેશ અધ્યારૂ 23

ગામડાનો એક વ્યક્તિ ફોન કરે છે “એલફેલ” મોબાઇલ કંપનીના કસ્ટમરકેર વિભાગમાં અને તેની ગ્રાહક સુવિધા અધિકારી સાથે થયેલી થોડીક અસામાન્ય પણ મલકાવતી વાતચીતના અંશો માણો અહીં…. માણો થોડી મરકતી, હસતી, હળવી પળો ….


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 3) 10

ગીરયાત્રાના અનુભવો ભાગ ૧ અને ભાગ ૨ આપે અહીં વાંચ્યા. આજે વાંચો તુલસીશ્યામ પાસે આવેલી દોઢી નેસ અને આસનઢાળી નેસની મુલાકાતો સાથેનો ત્રીજો અને અંતિમ ભાગ.


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં (ભાગ 2) 2

ગીરના જસાધાર પાસે ચીખલકૂબા નેસથી થોડેક દૂર જંગવડ ની અગણિત વડવાઇઓ નીચે વનભોજન અને તે પછી આધ્યાત્મિક રંગે રંગાયેલી એ યાદગાર રાત્રી, ગઇકાલે આપે માણ્યો પ્રથમ પરિચય, આજે માણો આ અધ્યાત્મ યાત્રાનો બીજો ભાગ


ગીર – મન લાગ્યો મેરો યાર ફકીરીમેં… ( ભાગ 1 ) 8

ગરવા ગીરના એક તદન નવા સ્વરૂપનો પરિચય. આ ગીરના સિંહ કે હરણાં, કે ગીરની હરીયાળીની વાત નથી. આ વાત છે ગીરમાં અફાટ પાંગરેલા અધ્યાત્મની, તેની સંત પરંપરાઓ અને ગીરની સ્વાભાવિક ફકીરીની. માણો અમારો ગીરનો અનોખો અનુભવ.


શેખર સેન દ્વારા ભક્તિ સંગીત સંધ્યા 9

મહુવા ખાતે યોજાયેલ શ્રી શેખર સેનનો ભક્તિ સંગીત સંધ્યાનો કાર્યક્રમ અને તેમણે પ્રસ્તુત કરેલ કેટલીક ખૂબ સુંદર અને ભાવવહી રચનાઓનો અનોખો સંગ્રહ. એક માણવાલાયક પ્રસ્તુતિ.


એક પ્રભાવી બાળપ્રતિભા ( રિધ્ધિ જોશી) – જીગ્નેશ અધ્યારૂ 20

આપણામાં કહેવત છે, મન હોય તો માળવે જવાય, અને કદાચ એક ૧૧ વર્ષની છોકરી આ કહેવતને આપણાથી વધુ સારી રીતે ચરિતાર્થ કરી શકે છે. તમારા શોખ માટે તમે શું કરી શકો? વાત શોખને પ્રોફેશન બનાવવાની નથી, કે વાત શોખ માટે પોતાના રોજીંદા જીવનને ખલેલ પહોંચાડવાની પણ નથી. શોખ માટે માણસ શું કરી શકે તેનું જીવતું જાગતું પ્રેરણાદાયક ઉદાહરણ મહુવાની આ દીકરી સુપેરે પૂરું પાડે છે. નામ : રિધ્ધિ અશ્વિનભાઈ જોશી, ઉં વર્ષ ૧૧, અભ્યાસ ધોરણ ૬ માં, મહુવાની રાધેશ્યામ શાળા, અંગ્રેજી માધ્યમમાં. રિધ્ધિએ ઘોરણ ચાર સુધીનો અભ્યાસ CBSE માં કર્યો છે. સેન્ટ્રલ બોર્ડમાં અંગ્રેજી માધ્યમમાં ઘોરણ ચાર સુધી ભણ્યા પછી તેણે રાધેશ્યામ શાંળામાં પ્રવેશ લીધો. ગાયનમાં અને ગુજરાતી સંગીતમાં તેને અનેરો રસ છે, અને કુદરતની તેના પર જાણે મહેર હોય તેમ તેને સુંદર કંઠ મળ્યો છે. રિધ્ધિ તેના ગુરૂ પ્રકાશભાઈ સિધ્ધપુરા પાસેથી હાર્મોનિયમ અને તબલાની તાલીમ લઈ રહી છે, અને પોતાની મેળે તથા માતાપિતાની પ્રેરણા અને પ્રોત્સાહનની મદદથી તે ગુજરાતી ગીતોના ગાયન પ્રભુત્વ મેળવી રહી છે. તેની આ સુંદર ગાયન વાદન કળાનો લાભ અમને પણ થોડા દિવસ પહેલા મળ્યો. તેના પિતા શ્રી અશ્વિનભાઈ જેઓ દાતરડી ગ્રામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે, અને માતા શ્રીમતી ઈલાબેન જોશી જેઓ માનસ પ્રાથમિક શાળા, મહુવાના સંચાલક છે, તેમણે પોતાની પુત્રીને આ શોખને આગળ વધારવા બધી સગવડ કરી આપી છે. સાથે સાથે તેઓ એ પણ ધ્યાન રાખે છે કે તેનો અભ્યાસ ન બગડે કે આ શોખને પૂરો કરવા તેનું ધ્યાન તેની બાળ સહજ રમતોમાંથી હટી જાય. તે પોતાના વર્ગમાં કાયમ અગ્રસ્થાને રહે છે. અંગ્રેજી માધ્યમમાં ભણતરને લીધે ગુજરાતી ગીતો તેને સર્વપ્રથમ સમજવા પડે છે, તે દરેક ગીતનો મતલબ સમજવાનો પ્રયત્ન કરે છે, […]


મોબાઈલ ખોવાની કળા – જીગ્નેશ અધ્યારૂ 5

હમણાં થોડાક દિવસ પહેલા પીપાવાવ થી મહુવા આવતા મારો મોબાઈલ બસ માં ખોવાઈ ગયો.  બન્યું એવું કે પીપાવાવ થી કંપનીની બસમાં બેઠો, કે ઘરે થી તરત ફોન આવ્યો, “ક્યારે આવશો?” મેં કહ્યું “બસ હવે એક દોઢ કલાક માં”. લાઈન કપાઈ ગઈ અને મોબાઈલ હાથમાં રાખી હું બારીની બહાર મીઠાના અગરો જોતો હતો. ઠંડી હવા આવતી હતી, અને એક સરસ ભજન વાગતું હતું. હું ક્યારે ઉંઘમાં સરી પડ્યો તે ખબર જ ન પડી. સરસ સુંદર પરીઓના સ્વપ્ન જોતાં જોતાં હું સ્વર્ગની મજા માણી રહ્યો હતો કે અચાનક બસની બારીની આડે રહેલો પડદો મારા મોં પર હવાને લીધે પડ્યો. પડદો હટાવ્યો તો પાછો ઉડીને આવ્યો. મારી ઉંઘમાં ખલેલ પડી એટલે આંખો ચોળતો હું ઉભો થયો. માઢીયા ચેકપોસ્ટ જતી રહી હતી એટલે હવે મહુવા આવવાને ફક્ત દસ મિનિટ બાકી હતી. અચાનક મારું ધ્યાન પડ્યું તો હાથમાં મોબાઈલ ન હતો. મેં ખીસ્સા ફંફોસ્યા, તો મોબાઈલ ન મળે. ઉભો થઈ જોયું કે ક્યાંક ખીસ્સા માંથી સરીને સીટ પર ન પડ્યો હોય, પણ ત્યાં પણ ન હતો, સીટની નીચે જોયું, આગળની સીટ નીચે, પાછળની સીટ નીચે બધે જોયું. ક્યાંય ન મળે, આસપાસ વાળા બધા ઉંઘતા હતા. આગળની સીટ પરના એક મિત્રને ઉઠાડ્યો, તેનો મોબાઈલ લઈ મારા મોબાઈલ પર રીંગ કરી, રીંગ જઈ રહી હતી પણ મારો મોબાઈલ ક્યાંય ન ધણધણ્યો, એક બે ત્રણ એમ ઘણી વાર નંબર ડાયલ કર્યો, આખી રીંગ પૂરી થઈ ગઈ પણ ન મોબાઈલ દેખાયો કે ન એનો અવાજ આવ્યો. બસમાં આગળ પાછળ વાળાઓને પૂછ્યું કે મોબાઈલ જોયો છે? ધીમે ધીમે કરતા આખી બસમાં વાત ફેલાઈ. મહુવા આવી ગયું હતું અને બધાં પોતપોતાના સ્ટેન્ડ […]


મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ 8

ઓગસ્ટ ૧૯૩૨માં થોમસ એ ડોર્સી (૧૮૯૯ – ૧૯૯૩) એ આ ગોસ્ફેલ ગીત ( ખ્રિસ્તિઓનું પ્રાર્થના ગીત) લખ્યું હતું. આ ગીતને અત્યાર સુધીના ગોસ્ફેલ ગીતોમાં સહુથી મહાન સર્જનોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વભરના લોકો તે ગાય છે, જાણે છે અને પ્રેમ કરે છે કારણ છે તેનો ઉંડો સંદેશ, શાંતિનો, આશાનો અને શ્રધ્ધાનો. યુવાન આફ્રીકન અમેરીકન પિયાનીસ્ટ વડે લખાયેલું આ ગીત માર્ટીન લ્યૂથર કીંગને ખૂબ ગમતું અને તેમનું અંતિમ વાક્ય પણ એ જ હતું કે આ ગીત તેમના મરણોપરાંત વગાડવામાં આવે અને તેમની એ ઈચ્છા મુજબ મહાલીયા જેક્સને એપ્રિલ ૧૯૬૮માં તેમની અંતિમ વિધિમાં આ ગીત ગાયું હતું. ૧૯૨૫માં ડોર્સી ના લગ્ન નેટલી હાર્પર સાથે થયા હતાં, લગ્નના એક વર્ષ પછી તેને નર્વસ બ્રેકડાઉન થયું અને તે બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ હતો. તેની પત્ની તેને મદદ કરવા કપડા ધોવાનું કાર્ય કરતી. તેની સાળીના કહેવાથી ડોર્સીએ ચર્ચમાં ગીતો ગાવાનું શરૂ કર્યુ અને ત્યાં તેને આધ્યાત્મિક આનંદ મળવા માંડ્યો. તેને આંતરીક શાંતિના અનુભવો થવા લાગ્યા હતાં. ૧૯૩૨માં તેણે શિકાગોના પિલગીમ બાપ્ટીસ્ટ ચર્ચના દિગ્દર્શક ગીતકાર તરીકેનું કામ સ્વીકાર્યું. એક ખૂબ મોટા મેળાવડામાં તેણે ગાવાનું હતું. તેની પત્ની ગર્ભવતી હતી. તેણે પત્નીના કપાળે ચુંબન કર્યું અને મેળાવડામાં ગાવા માટે જવા નીકળ્યો. ગીત હજી પૂરું જ થયું હતું ત્યારે તેને ખબર મળી કે તેની પત્નીનું પુત્રને જન્મ આપતા મૃત્યુ થયું છે. તે રડી પડ્યો, લોકોને લાગ્યું કે તે ખુશીના આંસુ છે… તે દોડતો ઘરે આવ્યો અને બાળકને ખોળામાં લઈ લીધો, ખુશી અને દુઃખ વચ્ચે તે ઝુલતો હતો. પણ તે રાત્રે તે બાળક પણ મરી ગયું. ડોર્સી ભાંગી પડ્યો, અને તે પછી જગતથી અલગ થઈ ગયો. […]


ગીરનાં નેસ અને ગુજરાતી સંસ્કૃતિ – જીગ્નેશ અધ્યારૂ 20

કનકાઈ અને ગીર વિસ્તાર જંગલ ભ્રમણ દરમ્યાન આ વખતે અમે થોડાક મૂળભૂત મુદ્દાઓ સાથે નીકળ્યા હતાં. અમારા પ્રયત્નોની સફળતા વિશે કોઈ ખાત્રી ન હોવા છતાં અમે એ કરી જોવા વિચાર્યું. એક રેન્જ ફોરેસ્ટ ઓફીસર સાહેબ પણ અમારી સાથે હતાં અને તેમનો અમને ખૂબ સહયોગ મળ્યો જેમના વગર આ કરવું અશક્ય થઈ જાત. મૂળ મુદ્દા હતા : ગીર વિસ્તારમાં વસતા માલધારીઓ (નેસમાં રહેતા) ની તકલીફો જાણવી નેસમાં રહેતા લોકોની સંસ્કૃતિની આછી પાતળી ઝલક મેળવવી, અને રહેણી કરણી જાણવી કનકાઈ મંદિરમાં રાત્રી રોકાણનો પ્રતિબંધ છે, તેના કારણો શોધવા અને જંગલ તથા કુદરતી સૌંદર્ય અને સિંહ જોવા આ અંતર્ગત પ્રથમ બે મુદ્દાઓની ચર્ચા અત્રે કરી રહ્યો છું. અમરેલીના વાઈલ્ડ લાઈફ વોર્ડન શ્રી વિપુલભાઈ લહેરી અમારી સાથે હતાં. તેમના અને આર.એફ.ઓ સાહેબના સહયોગથી નેસ વિશે, માલધારીઓ વિશે અને તેમની સંસ્કૃતિ વિશે ઘણુંય જાણવા મળ્યું. ધારી તરફથી વન વિભાગની રેન્જમાં દાખલ થઈએ તેવા તરતજ જમણી તરફ એક વૃધ્ધ યુવાનનું ઘર આવે છે. વૃધ્ધ યુવાન એટલા માટે કે બોંતેર વર્ષની ઉંમરના એ વડીલના બત્રીસેય દાંત હજી સલામત છે, તેમની સ્ફૂર્તી ભલભલા યુવાનોનેય શરમાવે તેવી છે અને તેમની મહેમાનગતીમાં કાઠીયાવાડી સંસ્કૃતિનું અનેરૂં પ્રતિબિંબ પડે છે. નેસની શરૂઆત હોવાને લીધે અને વનમાં હોવાને લીધે તે વડીલનું ઘર જંગલના મુલાકાતીઓ અને વન વિભાગના કર્મચારીઓની અવરજવરથી ઘમઘમતું હોય છે. તે રસ્તેથી પસાર થતાં કોઈ પણ મુલાકાતીને એ ચા પાયા વગર જવા દેતાં નથી. અને એકલા દૂધની એ ચા ક્યાંય પણ પીધેલી ચ્હા કરતા અનેરા સ્વાદની છે જેનું વર્ણન કેમ કરવું? અમને સાત જણાને આવેલા જોઈ તે ખુશ થઈ ગયા. વિપુલભાઈ એ પૂછ્યું કે વસ્તારમાં શું છે? તો તે વડીલે કહ્યું કે તેમના દીકરાને […]


પહેલી ઉત્તરાયણ – જીગ્નેશ અધ્યારૂ 12

ઘણાંય વર્ષો પહેલા એક ઉત્તરાયણે મિત્રોના ટોળાં વચ્ચે બધાને અવગણીને વડીલો અને સંબંધીઓને છોડીને ફક્ત પ્રેમને ખાતર મારી ફીરકી પકડીને તું ઉભી હતી, એ તારી પહેલી હિંમત આપણો પ્રેમ પતંગ ખૂબ ચગ્યો બે હાથ અને એક દોરી બે પંખી અને એક આકાશ બે હૈયા અને એક શ્વાસ એ યાદ છે? હું જીવનભર તારી દોરી સાચવીશ એ તારૂં કહેલું વાક્ય મને હજીય યાદ છે અને મારા જીવનની દોરીને તેં કદી ગૂંચવાવા નથી દીધી કપાવા નથી દીધી ” WELL MANAGE ” કરી છે તે બદલ મારા જીવનસાથી, આ ઉત્તરાયણે “થેન્ક્યુ” કહી દઊં તો તને ખોટું તો નહીં લાગે ને?  – જીગ્નેશ અધ્યારૂ


ગીર જંગલમાં એક રવિવાર (ફોટોગ્રાફ્સ) – Jignesh Adhyaru 22

ઘણા વખત પહેલા ગુજરાત ની આંતરીક સુંદરતા – Photographs   એ શીર્ષક અંતર્ગત મારી કન્સ્ટ્રક્શન સાઈટના કેટલાક ફોટોગ્રાફ્સ મૂક્યા હતાં. વાચકોનો બહોળો પ્રતિભાવ ત્યારે મળ્યો હતો. આજે ફરીથી ફોટોગ્રાફ્સ મૂકી રહ્યો છું. અમારી તારીખ ૧૧-૦૧-૨૦૦૯ની ગીર – પાણીયા રેન્જ – છડવડી રેન્જ – કનકાઈ – ધારી વનભ્રમણના કેટલાક ફોટોગ્રાફ્સ તેના ટૂંકા વર્ણન સાથે મૂકી રહ્યો છું. Click on the photograph for full view. ગીર ની અમારી મુલાકાતો, કહો કે જંગલમાં ભટકવા અને તીર્થ સ્થાનોમાં ફરવાના અનુભવો ઘણી વખત મૂક્યા છે.  જંગલ સફારી – ગીરના યાત્રાધામ, સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ વગેરે પણ આજે ફક્ત થોડીક વાતો અને વધુ ફોટોગ્રાફ્સ. પૂજ્ય શ્રી દાન બાપુનું સમાધિ સ્થાન અને મુખ્ય ગુરૂ ગાદી, ચલાલા. અહીં શ્રી દાનબાપુની જગ્યામાં અન્નક્ષેત્ર, સદાવ્રત, છાશ કેન્દ્ર, ગૌશાળા તથા પાંજરાપોળ વગેરે પ્રવૃત્તિઓ થાય છે. સાથે દર્દી સહાય, અનાજ સહાય, વસ્ત્ર સહાય વગેરે પણ થાય છે. ગીરના જંગલનો એક અદભૂત નઝારો. આવા દ્રશ્યોની કદાચ ગીરના નેસમાં રહેતા લોકોને નવાઈ નહીં હોય પણ આપણા માટે તો જાણે લોટરી જ લાગી. સૂકા પાંદડા વચ્ચે થઈ જતા રસ્તાઓ જેમાં ફક્ત ફોરેસ્ટ રેન્જર્સને જ ફરવાની પરવાનગી છે. આ સિવાય ફક્ત અહીં પરવાનગી લઈ આવેલા મુસાફરો જ આવી શકે છે. વાનરમાતા અને તેનું બાળ, માતા તેના બાળકને ભોજન કરાવી ચૂકી છે, અને હવે આરામ ફરમાવી રહ્યા છે. કનકાઈ મંદિર પાસે, આવનારા યાત્રાળુઓની જાગૃતિ માટે જંગલખાતાએ આવા સરસ જાહેરાતના બોર્ડ મૂક્યા છે. નેસમાં જઈને જેનાં અમે ફોટા પાડ્યા છે તે ગીર ગાયના વાછરડા, જેને નેસની ભાષામાં બદૂડી કહેવાય છે. જંગલની રાણી, વનકેસરીની બેટરહાફ, સિંહણ, જેને જોવા અમે બે વખત નિષ્ફળ પ્રયત્ન કર્યા હતાં તેણે આ વખતે અમને અડધો કલાકથી વધુ […]