સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : અક્ષરનાદ વિશેષ


છઠ્ઠી અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા (૨૦૨૪)

ચાર વર્ષના અંતરાલ પછી પ્રસ્તુત છે અક્ષરનાદની આગવી ઓળખ એવી માઇક્રોફિક્શન સ્પર્ધા – છઠ્ઠો મણકો.. વિગતો સાથેની કડીમાં ક્લિક કરીને વાંચી શક્શો.


સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી વૃષાલીની ગાથા : પ્રવેશ 2

કર્ણના જીવનની અધૂરપને પૂર્ણ કરનારી, એના વિષાદનું શમન કરનારી, એની પીડા, અપમાન, ક્રોધ અને શોકના દરેક પ્રસંગે પડછાયો બનીને ઉભી હતી એની પત્ની વૃષાલી.


બીજાનાં સુખમાં આપણું સુખ.. – પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દિ વિશેષ

આપણે સૌ હાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યાં છીએ! અસંખ્ય લોકોના જીવન પર તેમની સામાજિક-આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃતિઓનો પ્રભાવ પડ્યો છે. મૃદુભાષી અને સદાય પ્રસન્નચિત્ત રહેતાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્ત્વ તદ્દન સરળ, સાત્વિક અને સંવેદનાસભર હોવાને કારણે તેમના શબ્દોની જાદુઈ અસર થતી.


માઇક્રોફિક્શન બાઈટ્સ – ધન ઘડી ધન ભાગ,. 1

આ પુસ્તકનું વિમોચન નહીં, વર્ષોથી આદરેલ સર્જનયજ્ઞમાં પરિશ્રમનું શ્રીફળ હોમી સર્જનાત્મકતાના પરમેશ્વરની આરાધના કરવાનો અનેરો ઉત્સવ હતો.


અક્ષરનાદનો સોળમા વર્ષમાં પ્રવેશ.. 21

અક્ષરનાદ.કોમ નામની ગુજરાતી સાહિત્યને સમર્પિત નાનકડી વેબસાઈટ આજે પોતાના અસ્તિત્વના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમાં વર્ષમાં પ્રવેશે છે.


માઇક્રોફિક્શન શૉટ્સ – પુસ્તક વિમોચન; તા. ૪ ઑક્ટોબર ૨૦૨૦ 1

સર્જનના નવા પુસ્તક ‘માઇક્રોફિક્શન શૉટ્સ’ નું વિમોચન આવતીકાલે તા. ૪ ઑક્ટોબર ૨૦૨૦ સાંજે પાંચ વાગ્યાથી સર્જનના ફેસબુક પેજ પર લાઇવ..


સીધી વાત – જીતુભાઈ પંડ્યા (ઇ-પુસ્તક)

બન્યું એવુું કે જેલમાં રહેલા એક એંસી વર્ષના ગરીબ આરોપીની જામીન અરજી મફત લડવા જેલરે મને વિનંતી ક્રરેલી. એંસી વર્ષનો બાપ અને ત્રીસ વર્ષનો પુત્ર, હત્યાના આરોપમાં જેલમાં હતા. ચાર્જશીટ જોતાં સમજાતું હતું કે આ હત્યા પુત્રએ કરેલી છે પણ બાપને ખોટો ફસાવી દેવાયો છે, આ અરજી પર હું દલીલ શરૂ કરું તે પહેલા જજ સાહેબે મને કહ્યું, જીતુભાઈ, જેટલી લાંબી દલીલો કરવી હોય એટલી કરો, હું હત્યાના કેસમાં જામીન આપતો જ નથી.


અક્ષરનાદનો ચૌદમાં વર્ષમાં પ્રવેશ.. સતત ગૂંજતો શબ્દ.. 18

આજે અક્ષરનાદ વેબસાઇટ તેની આ સાહિત્યયાત્રાના તેર વર્ષ પૂર્ણ કરી ચૌદમાં વર્ષમાં પ્રવેશી. મે ૨૭, ૨૦૦૭ના દિવસે વર્ડપ્રેસમાં ખાતું ખોલાવીને અક્ષરનાદની શરૂઆત કરેલી અને પડતા આખડતા, ભૂલો કરતા અને સુધારતા, શીખતા અને અનેક મિત્રોને સાથે જોડી આ સાહિત્યયાત્રામાં સહયાત્રી બનાવતા મારા ગુજરાતી બ્લોગિંગમાં પા પા પગલી કરતાં તેર વર્ષ પૂર્ણ થયા એ વાતનો અનેરો સંતોષ છે.


રામાયણ ધારાવાહિકમાં ઋષિ અગત્સ્ય અને માલ્યવાન જેવી ભૂમિકાઓ ભજવનાર રમેશભાઈ ચાંપાનેરીના અનુભવો.. 16

રામાયણ ધારાવાહિકમાં ઋષિ અગત્સ્ય અને માલ્યવાન જેવી ભૂમિકાઓ ભજવનાર રમેશભાઈ ચાંપાનેરીના અનુભવો.. એમની કલમે જાણીએ શૂટિંગ વખતની વાતો..


સુનંદા વશિષ્ઠ : ધ વૉરિઅર – ચેતન ઠાકર 11

કહેવાય છે કે ‘હિસ્ટ્રી નેવર રીપીટ’ પરંતુ હંમેશા ઇતિહાસ સમયાંતરે પુનરાવર્તન કરતો જ હોય છે તેના સ્વરૂપ અને માર્ગમાં ચોક્કસ ફેરફાર હોઈ શકે. આજે મારે કંઈક આવી જ ખુશીથી તરબતર કરી દે અને ગર્વ થાય એવી એક વાત કરવી છે જેમાં ઇતિહાસ કેવી રીતે પુનરાવર્તિત થાય છે તેનું સચોટ ઉદાહરણ છે. અહીંયા વાત છે વર્તમાન ભારતની એક લોખંડી સ્ત્રીની કે દીકરીની જેનું નામ છે સુનંદા વશિષ્ઠ. તેમને ટીવી ઉપર કે યુ-ટ્યુબ ઉપર બોલતા જોવા અને સાંભળવા તે દરેક ભારતીય માટે ગૌરવ આપનારી ઘટના છે. તેના વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી.


દિવાળી : तमसो मा ज्योतिर्गमय – ગોપાલ ખેતાણી 14

અક્ષરનાદનો અવાજ અને ઓળખાણ છે એવા સર્જક સહયોગી મિત્રો જેઓ આ વેબસરનામાને એક એવુંં પોતીકું આંગણું ગણે છે જ્યાં તેઓ ઉલ્લાસપૂર્વક અને નિખાલસપણે પોતાના વિચારો, સર્જન અને પ્રયોગો મૂકી શકે છે. અક્ષરનાદ વિક્રમ સંવત્ત ૨૦૭૫ના આજના અંતિમ દિવસની સંધ્યાએ, જ્યારે ચોતરફ ચોપડા પૂજનનો ઉત્સાહ છે ત્યારે ગોપાલભાઈના આજના આ વિચારપૂર્ણ લેખ દ્વારા અક્ષરની આ ઓનલાઈન પરબમાં શ્રી સવા લખી નવા ખાતાની શરૂઆત કરીએ છીએ. સર્વે મિત્રોને દિપોત્સવી પર્વની અનેક શુભકામનાઓ..


પાંચમી અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૯)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4

સતત પાંચમા વર્ષે પ્રસ્તુત છે અક્ષરનાદની ખૂબ જાણીતી, આગવી અને અદ્વિતિય માઇક્રોફિક્શન સ્પર્ધા. ૨૦૧૫થી શરૂ થયેલી આ સ્પર્ધાને સતત બહોળો પ્રતિસાદ મળતો રહ્યો છે, અનેક નવોદિત સર્જકોને અહીં મંચ અને પુરસ્કાર મળ્યા છે, તેમની કલમને એક આગવો અવસર આ સ્પર્ધા દ્વારા મળી રહ્યો છે. આ વર્ષે સ્પર્ધામાં ઓછામા ઓછી ત્રણ માઇક્રોફિક્શનને બદલે ફક્ત એક માઇક્રોફિક્શનનો નિયમ કર્યો છે.


કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો – મનન ભટ્ટ 1

સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા રાજકોટ તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પહોંચ્યો. એ જ દિવસે એક વિશેષ પુસ્તક વિમોચનના સાક્ષી બનવાનો અવસર મળ્યો. ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત પેટ્ટી ઓફિસર શ્રી મનન ભટ્ટ દ્વારા લિખિત પુસ્તક ‘કારગીલ યુદ્ધ : ગુજરાતના શહીદો’ નું વિમોચન આર્ષ વિદ્યામંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી દ્વારા કરવામાં આવ્યું. કારગીલ યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ૧૨ ગુજરાતી શહીદ જવાનોની યુદ્ધ ક્ષેત્રે સર્વોચ્ચ બલિદાનની એમના જ મિત્રો દ્વારા કહેવાયેલી અને એમના જ એક સાથી ઓફિસર દ્વારા શબ્દસ્થ કરાયેલી ગાથા એટલે આ પુસ્તક. ગુજરાતીઓ વેપારી પ્રજા છે અને તેઓ સૈન્યમાં નથી એવા મેણાંંનો આ પુસ્તક સજ્જડ જવાબ છે. વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર એવા કારગીલના પર્વતો પર, ૧૮૦૦૦ ફૂટની ઉંચાઈએ જ્યાં અત્યંત પાતળી હવાને લીધે શ્વાસ લેવો મુશ્કેલ છે, કાતિલ ઠંડી છે અને બર્ફીલા તોફાન વચ્ચે દુશ્મન વિરુદ્ધની જીવસટોસટની લડાઈમાં આપણા વીર જવાનોએ દાખવેલા અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનોની અમર સત્ય કથાઓ આ પુસ્તકમાં છે.


પચાસ કલાકમાં શોર્ટફિલ્મ બનાવવાનો અનુભવ – જીજ્ઞેશ અધ્યારૂ 8

૨૭ સપ્ટેમ્બરને ગુરુવારે સવારે સાડા દસની આસપાસ ઓફિસમાં ચા પીતા પીતા ફેસબુક જોતો હતો ત્યાં ઈન્ડિઆ ફિલ્મ પ્રોજેક્ટ્સનો મેસેજ ઝબક્યો, પચાસ કલાકમાં ફિલ્મ બનાવવાનો પડકાર હતો. પહેલા થયું કે કોણ સતત પચાસ કલાક આ કરી શકે? એને માટે એક પ્રોફેશનલ ટીમ જોઈએ, આયોજન જોઈએ, જરૂરી સાધનો જોઈએ. પછી થયું સર્જનના મિત્રો આવા પડકાર લેવા તો કાયમ તૈયાર હોય છે જ! ગૃપમાં વાત તો કરી જોઉં. એટલે સર્જનના અમદાવાદ ગૃપમાં એ અંગેનો મેસેજ મૂક્યો. બાર વાગતા સુધીમાં ચાર મિત્રોની ઉત્સાહસભર હા આવી ગઈ.


પાંચ નવા ઈ-પુસ્તકો 2

રેશનલ વિચારોને અભિવ્યક્ત કરતો, અનેક લેખકોના વિચારોને સ્થાન આપતો સરસ મજાનો બ્લોગ ચલાવતા શ્રી ગોવિંદભાઈ મારુએ પાઠવેલ પાંચ નવા ઈ-પુસ્તકો અક્ષરનાદ પર આજથી ઉપલબ્ધ છે. આ ઈ-પુસ્તકો અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી ગોવિંદભાઈ મારુનો ખૂબ આભાર. આ ઈ-પુસ્તકો છે..

૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે
૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી
૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ
૪. દેતે હૈ ભગવાનકો ધોખા – દિનેશ સવાણી
૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ


સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ.. – જૂથ ચર્ચા 5

‘સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ’ એ વિષય પર વિચારો વ્યક્ત કરવા અને જૂથ ચર્ચા માટે સૂરત મહાનગરપાલિકા આયોજીત ‘૧૫મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો ૨૦૧૬’માં મને આમંત્રણ મળ્યું હતું. જેમાં ‘સાહિત્યનો ચોતરો’ અંતર્ગત મારી સાથે આ ક્ષેત્રના – વિષયના અનુભવી અને વિષય વિદ્વાનો, નવગુજરાત સમયના એડિટર શ્રી અજય ઉમટ, દિવ્યભાસ્કરના મેગેઝીન એડિટર શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, ચિત્રલેખાના શ્રી જ્વલંત છાયા અને કવિમિત્ર ડૉ. વિવેક ટેલર પેનલમાં હતા. કાર્યક્રમનું સંચાલન કવિમિત્ર શ્રી ગૌરાંગ ઠાકરનું હતું.


અક્ષરનાદનાં ઈ-પુસ્તકો… 9

અક્ષરનાદનો ઈ-પુસ્તક વિભાગ શરૂ થયો ત્યારથી આજ સુધી તેને સતત વાચકોનો અલભ્ય પ્રેમ અને પ્રોત્સાહન મળ્યા છે. અનેક વિટંબણાઓ પસાર કરીને તથા એક એક ઈ-પુસ્તક પાછળ ટાઈપીંગ, બબ્બે વખત પ્રૂફ રીડીંગ, ગોઠવણી અને પ્રસિદ્ધિ સુધીની સમગ્ર યાત્રામાં પૂરાયેલી અથાગ મહેનતને અંતે મળેલા ૫૦૦થી વધુ પ્રતિભાવ એ જ સૂચવે છે કે વાચકમિત્રોએ આ વિભાગને વધાવ્યો છે, માણ્યો છે અને પ્રસરાવ્યો છે.

અક્ષરનાદ પર ઉપલબ્ધ ૪૪ ઈ-પુસ્તકોના અત્યાર સુધી કુલ ૩,૨૫,૦૦૦ થી વધુ ડાઊનલોડ પૂર્ણ થયાં છે.


વિલક્ષણ ‘વોલી’ની પસંદગી…! – કેન બ્લન્ચાર્ડ અને બાર્બરા ગ્લેન્ઝ, અનુ. હર્ષદ દવે. 7

શ્રી હર્ષદભાઈ દવેને તેમના એક મિત્ર પાસેથી મળેલા અલગ અને વિચારતંત્રને વેગ આપે એવા ઇ-મેલનો અનુવાદ તેમણે અક્ષરનાદને પાઠવ્યો છે, તે અહીં પ્રસ્તુત કર્યો છે. મુદ્દાની વાત એ છે કે એક ‘સર્વિસ પ્રોવાઈડર’ એટલે કે ‘સેવાઓ ઉપલબ્ધ કરાવતા વ્યક્તિ’ તરીકે તમને ગમે તો જ તમે ગ્રાહકોને સારી સેવા આપી શકો, તે માટે કોઈ તમને પરાણે રાજી કરી ન શકે. કારણ કે ઉત્કૃષ્ટ સેવા આપવી એ આપણી પસંદગીની વાત છે. અહીં ‘વોલી’ નામના એક વિલક્ષણ ડ્રાઈવરની અને તેણે કરેલ આગવી પહેલની વાત મૂકાઈ છે. નાનકડો ફેરફાર પણ સફળતામાં કેવડું મોટું યોગદાન આપી શકે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અક્ષરનાદને આ કૃતિ પાઠવવા બદલ શ્રી હર્ષદભાઈનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.


Between the Assassinations (પુસ્તક સમીક્ષા) – અશોક વૈષ્ણવ 1

Between the Assassinations ‘બે હત્યાઓ વચ્ચે’ જેવું આકર્ષક શિર્ષક અને અરવિંદ અડીગા જેવું જાણીતા લેખકનું નામ વાંચ્યા પછી, તે પુસ્તકને ઉઠાવી અને તેનાં આગળ પાછળનાં પાનાં વચ્ચે પુસ્તકનાં કવરની વચ્ચે શું છૂપાયું હશે તેટલું જાણવાની ઇંતેજારી તો ભાગ્યે જ કોઇ રોકી શકે.
હવે જેવું તેનું પહેલું જ પરિચયાત્મક પાનું વાંચીએ એટલે જાણે કોઇ પર્યટનસ્થળની ચટપટી જાહેરાત વાંચતા હોઇએ તેવું લાગે. – “શહેરના ઇતિહાસ અને કુદરતી સૌંદર્ય તેમ જ ધર્મ, જાતિ અને ભાષાનાં વૈવિધ્યને ધ્યાનમાં લેતાં ઓછામાં ઓછું એક અઠવાડિયાંનું રોકાણ કરવાની ભલામણ છે.”- હા, આ વાત થઇ રહી છે આ પુસ્તકનું કથાફલક જે શહેરને કેન્દ્રમાં રાખી રહ્યું છે તે, ભારતના દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર કિનારા પર, ગોવા અને કાલીકટની વચ્ચે વસેલાં એક નાનાં, સાવ સાધારણ, સાવ જ સરેરાશ , એવાં “કિટ્ટુર”ની.


તક.. (ટૂંકી વાર્તા) – ચિરાગ વિઠલાણી 20

ગવર્મેન્ટ પોલિટેકનીક, આંબાવાડી, અમદાવાદના મિકેનીકલ એન્જીનીયરીંગ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત શ્રી ચિરાગભાઈની અક્ષરનાદ પર આ બીજી કૃતિ છે, સત્વસભર અને અનેકવિધ સમાજોપયોગી મુદ્દાઓને સાંકળી લઈને હકારાત્મક સંદેશ આપતી પ્રસ્તુત કૃતિ વાર્તા સ્વરૂપમાં એક આગવો પ્રયત્ન કહી શકાય. આજના બે વિદ્યાર્થીઓની પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવાની ધગશ અને એ માટે ખપ પૂરતા બધાજ પ્રયત્ન કરી છૂટવાની વાત છે જે ચિરાગભાઈ ખૂબ સરસ રીતે મૂકી શક્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શુભેચ્છાઓ.


એક અદભુત વર્કશોપ… (ઉત્પાદન ખર્ચમાં ઘટાડો…જાપાની રીત !) – અનુ. હર્ષદ દવે. 18

તાજ હોટેલ ગ્રૂપે શ્રી માસાઈ ઇમાઇને જાપાનથી પોતાના સ્ટાફ માટે આયોજિત એક કાર્યશાળા (વર્કશોપ) માટે આમંત્રિત કર્યા હતા.

આ હોટેલ ખૂબ જ સારી રીતે ચાલતી હતી. સ્ટાફ સભ્યોના મનમાં આશંકા હતી કે જાપાનથી આવતા આ માણસને હોટેલ ઇન્ડસ્ટ્રીનો બિલકુલ અનુભવ ન હતો તેથી તે આ વિષયમાં આપણને શું શીખવશે?
પરંતુ નક્કી થયા મુજબ બધા વર્કશોપ માટે કોન્ફરન્સ હોલમાં સવારે નવના ટકોરે આવી ગયા…..


શ્રી પથિકભાઈ પટેલ વાઘના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન.. 8

ગત તા. ૧૬ અને ૧૭ માર્ચના રોજ અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં પથિકભાઈ દ્વારા લેવાયેલી વાઘને લગતી તસવીરોનું પ્રદર્શન યોજાયું હતું. અનેક મહાનુભાવોની હાજરીમાં ખુલ્લા મૂકાયેલા આ પ્રદર્શનને ઘણાંય લોકોએ માણ્યું હતું. અહીં મુખ્યત્વે કાન્હા નેશનલ પાર્કમાં લેવાયેલ વાઘની તસવીરો મૂકાઈ હતી. અક્ષરનાદના વાચકો માટે રાજુલા નેચર ક્લબના શ્રી વિપુલભાઈ લહેરી તથા શ્રી પથિકભાઈ પટેલની પરવાનગીથી આ પ્રદર્શનની કેટલીક સુંદર અને અલભ્ય તસવીરો અહીં ઉપલબ્ધ કરાવી છે.


પ્રણવબોધ.. (ઈ-પુસ્તક ડાઉનલોડ) – પ્રસ્તુતિ મહેન્દ્ર નાયક 4

જગદગુરુ આદ્યશઙ્કરાચાર્ય ભગવાને મુમુક્ષુઓ માટે એક સૂત્રરૂપ નિબંધ લખ્યો છે. આ નિબંધ માણ્ડૂક્ય ઉપનિષદ્ ને આધારે લખાયો છે.

“माण्डूक्यमात्रमेवालं मुमुक्षुणां विमुक्तये” અર્થાત એકમાત્ર માણ્ડૂક્ય ઉપનિષદ જ મુમુક્ષુઓની મુક્તિ માટે પર્યાપ્ત છે તેમ જ એ મુક્તિના સાધન, બ્રહ્મ અને આત્માના ભેદનું જ્ઞાન છે. તેથી આ નિબંધ સૂત્રરૂપ હોવા છતાં અધિકારીના બ્રહ્માત્મૈક્ય બોધ માટેનું પૂર્ણ સાધન છે. આ જ કારણે મુમુક્ષુ પરમહંસ સંન્યાસીઓ આનો નિત્ય નિયમથી અભ્યાસ કરે છે, અને એના અભ્યાસના ફળ સ્વરૂપ આત્મસાક્ષાત્કાર કરીને કૃતાર્થ થઈ જાય છે.

માણ્ડૂક્ય ઉપનિષદમાં ઓઙ્કાર (પ્રણવ)ની વ્યાખ્યા વડે બોધ કરાવવામાં આવ્યો છે. પ્રસ્તુત નિબંધ પણ એ જ સ્વરૂપે હોવાને કારણે પ્રણવની મદદથીજ બોધનું સાધન બને છે. આજથી અક્ષરનાદ પર આ પુસ્તક ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. એ માટે જાઓ અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં


એક અસંભવિત સાહિત્યિક ઘટના.. – કુમાર ભટ્ટ 10

કુમારભાઈ ભટ્ટની પ્રસ્તુત કૃતિ પ્રયોગશીલ કહી શકો એ પ્રકારની રચના છે. તેઓ કહે છે, “શરૂઆતમાં બે ત્રણ પેરેગ્રાફ જેટલી સૂઝેલી વાત લખાવા માંડી પછી એને જ્યાં જવું હોય એમ એની પાછળ પાછળ હું ગયો. કોમિક તો છે જ, આમ જુઓ તો લંબાઈના પ્રમાણમાં ‘વાત’ ખાસ ન પણ લાગે, પણ વાક્યે વાક્યે સંભવિત વાર્તાઓની કુંપળો દેખાય છે એની મને મજા પડી. ઘણા વાર્તા વાચકોને વાર્તામાં શું વાત છે એ તરત સમજાય જાય છે અને પછી એમને ‘વાર્તા’માં રસ નથી રહેતો એવા વાચકો માટે આ ‘કથા’ નો સાર એટલો જ છે કે … પણ એમને તો તરત ખબર પડી જ જાય પછી શું કે’વું?

પંચાણું ટકા વાત સંવાદ ઉપર જ ચાલે છે અને લગભગ એટલી જ વાત એક જ નિરીક્ષકની દૃષ્ટિથી જોવાઈ છે. રચના થોડી વિચિત્ર છે. જાણકારને ‘ચાલુ રાખો, સરસ છે’ એટલું કે’તાં ય કદાચ ઉદાર હોવાનો ભાવ થાય. તો પણ કોમેન્ટ્સ આર વેલકમ – જેવી હોય એવી. લંબાઈ વધારે છે એટલે શક્ય હોય તો વાત ક્યારે પૂરી થાય એની રાહ જોયા વગર વાંચશો તો થાક ઓછો લાગશે. વાતને ‘વાર્તા’ બનાવે એવું એક પણ વાક્ય રચનામાં નથી. અને એને ‘વાર્તા’ બનતાં રોકે એટલાં એમાં પાત્રો છે. એને ‘નાટક’ બનાવે એવો કોઈ ક્લાઈમેક્સ નથી. શરૂઆતમાં હ્યુમર છે. બીજા ભાગમાં તો એ પણ નથી. તો પણ જોઈ જુઓ ! Who knows? કદાચ મજા આવે પણ ખરી!”

અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના – ડૉ. મહેબૂબ દેસાઈ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 4

‘મઝહબ હમેં સિખાતા, આપસમેં પ્યાર કરના’ – આજે આ અનોખા પુસ્તકને અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવી રહ્યો છું, હિન્દુ અને ઈસ્લામ – બંને ધર્મોનું રસદર્શન, મનન અને ચિંતન તથા તેના જીવનમાં અનુભવેલા ઉદાહરણોને ટાંકીને શ્રી ડૉ. મહેબૂબ દેસાઈએ આ સુંદર ઈ-પુસ્તક તૈયાર કર્યું છે. અક્ષરનાદને આ પુસ્તક નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર અને ડૉ. મહેબૂબભાઈને અનેક શુભકામનાઓ.


ગીતાબોધ.. – મહેન્દ્ર નાયક 5

દરેક માનવીનું કુરુક્ષેત્ર તેના પોતાના મનમાં જ રહેલું છે, જ્યાં મહાભારતનું યુદ્ધ સતત ચાલ્યા કરતું હોય છે. ત્યાં યુદ્ધિષ્ઠિર છે, દુર્યોધન અને અર્જુન પણ છે અને સાથે કૃષ્ણ પણ, આવશ્યકતા છે કેવળ એ સૌને ઓળખવાની. કામ છે તો કપરું પરંતુ અસંભવ નથી જ. આ અંદરની ઓળખ માટે એક માત્ર શરત એ છે કે માનવી બહારની દુનિયાની નિરર્થકતાને સમજે. જે રીતે ઠોકર વાગ્યા બાદ જ માનવી સજગ બની સાવધાની વર્તે છે, તે જ રીતે બહારની આ દુનિયા એને જ્યારે કોઈ પાઠ ભણાવે, ત્યાર બાદ જ એને માટે અંદર દ્વાર ખૂલે છે. એ એને શરણે જાય છે અને ત્યારે જ એને માટે કૃષ્ણ સારથી બનીને આવે છે, એને વિરાટના દર્શન કરાવે છે. આવી ઠોકર વાગે ત્યાં સુધી રાહ ન જોવી હોય તો આસપાસ નજર કરો, આંખો ખુલ્લી રાખો, કોઈ ને કોઈ જરૂર દેખાશે જેણે ઠોકર ખાધી હોય, એમાંથી શીખ લો, તેનો આભાર માનો અને સાવધાન થાઓ. તમારી અંદરના પાત્રને ઓળખો અને તેની પાસે એવી રીતે કામ લો કે તમારૂં જીવન સરળ બને અને તમને તમારા કર્મોથી મુક્તિ મળે. કેવી રીતે? તે માટે અર્જુનને કૃષ્ણએ આપેલો ઉપદેશ એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે, તો ચાલો જોઈએ એ આપણને કેટલું ઉપયોગી થાય છે.


શ્રી વિશાલ મોણપરા સાથે એક મુલાકાત.. 13

શ્રી વિશાલ મોણપરા ગુજરાતી નેટજગતનું એક જાણીતું નામ છે, ભાષાના ઓનલાઈન વિકાસ માટે ફક્ત ભાષાવિદોનો ખપ નથી, એ સાથે સાથે નવીન ટેકનોલોજી સાથે તેની કદમતાલ મેળવવી સતત જરૂરી છે. અને વેબવિશ્વમાં ગુજરાતીના વિકાસમાં અનેક નાવિન્યસભર સુવિધાઓ સાથે વિકલ્પો ઉપલબ્ધ કરાવનાર વિશાલભાઈ એક એવા ભાષાપ્રેમી છે જેમની પદ્યરચના જેટલી જ સબળ તેમના દ્વારા વિકસાવાયેલી સુવિધાઓ છે. વિશાલભાઈ સાથે થયેલ એક ઈ-મુલાકાત આજે વાચકો સાથે વહેંચી રહ્યો છું, આશા છે આપણે સૌ તેમના અને તેમના જેવા માતૃભાષાના સેવકોને યોગ્ય સન્માન આપી શકીશું. પ્રસ્તુત છે વિશાલભાઈ સાથેની પ્રશ્નોત્તરી. આ મુલાકાત બદલ વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર.


પ્રભાવશાળી નેતૃત્વ માટેના ૧૦૧ ગુણો – તન્મય વોરા, અનુ. અશોક વૈષ્ણવ 9

નેતૃત્વના ગુણો કેળવવા એ આજના સંઘર્ષભર્યા જાહેર જીવનની એક આગવી અને અનોખી જરૂરીયાત છે, સમાજજીવનમાં હોય કે વ્યવસાય ક્ષેત્રે, દરેક સ્થળે તેની જરૂરત રહે છે, અને આ ગુણો દરેક ક્ષેત્રમાં પ્રગતિના માપદંડ નક્કી કરી શકવાની ક્ષમતા ધરાવે છે. પ્રભાવશાળી નેતૃત્વ માટેના આવા જ ૧૦૧ ગુણો શ્રી તન્મય વોરાએ તેમના બ્લોગ qaspire.com પર મૂક્યા છે જેનો ગુજરાતી અનુવાદ શ્રી અશોક વૈષ્ણવે કરીને અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા ઉપલબ્ધ કરાવ્યો છે. આશા છે સર્વે વાચકમિત્રોને એ ઉપયોગી થઈ રહેશે.


વિપિન પરીખના કાવ્યકોડીયાં – (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ની શ્રેણી સર્જક અનુસાર હવે એક પછી એક પ્રસ્તુત થશે. આ શ્રેણીમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આશા છે આ ઈ-પુસ્તક અક્ષરનાદના વાચકોની ક્ષુધાને સુંદર રીતે પરીતૃપ્ત કરી શક્શે.