સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : લોકમત – ભેટ યોજના


અક્ષરનાદ ભેટ યોજના ૨ – “ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)” ના વિજેતાઓ 6

ગંગાસતીના ભજનોની ટી-સીરીઝ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ઑડીયો સી.ડી અક્ષરનાદ દ્વારા તદ્દન મફત ભેટ સ્વરૂપે આપવા ઉપલબ્ધ છે. આ માટે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર આપવા કહેવાયેલું. આ પ્રશ્નોત્તરી ઉત્તરો સહિત તૈયાર કરી આપવા માટે શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરૂનો આભાર. આ સ્પર્ધામાં બધા પ્રશ્નોના ઉત્તરો આપવા ફરજીયાત હતા. સ્પર્ધાને સરસ પ્રતિસાદ મળ્યો તે બદલ સર્વે વાચકમિત્રોનો આભાર માનવાની આ તક ઝડપી લઉં છું. પ્રશ્નોના સાચા જવાબ તથા વિજેતા મિત્રોના નામ દર્શાવ્યા છે.


અક્ષરનાદ લોકમત – ભેટ યોજના ૨ : ગંગાસતીના ભજનો (ઑડીયો સી.ડી)

ગંગાસતીને નામે બાવન જેટલી ભજન રચનાઓ મળે છે. એમાં સદ્દગુરુ મહિમા‚ નવધા ભક્તિ‚ યોગસાધના‚ નામ અને વચનની સાધના‚ ક્રિયાયોગ‚ શીલવંત સાધુના લક્ષણો‚ સંતના લક્ષણો‚ આત્મસમર્પણ‚ ભક્તિનો માર્ગ‚ નાડીશુદ્ધિ‚ મનની સ્થિરતા‚ સાધુની સંગત‚ વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ‚ જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે. ગંગાસતીના ભજનોનું ઈ-પુસ્તક તો અક્ષરનાદ પર ડાઊનલોડ માટે તદ્દન નિઃશુલ્ક ઉપલબ્ધ છે જ, પરંતુ આજે એથી પણ વધુ આનંદની વહેંચણીના સમાચાર છે…
તો અક્ષરનાદ ફરી એક વખત આપના માટે લઈને આવ્યું છે અનેરી ભેટ જીતવાનો સુંદર અવસર, ટી સીરીઝ તરફથી હાલમાં જ પ્રસ્તુત થયેલી ગંગાસતીના ભજનોની ઓડીયો સીડી આપ જીતી શકો છો, એ માટે આપે શું કરવાનું છે? વધુ વિગતો માટે સમગ્ર પોસ્ટ જુઓ…