Daily Archives: October 14, 2018


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૨)

૧૯૬૩માં એમેલિયાના એક ભૂતપૂર્વ કેદીએ ન્યુયોર્કથી ‘માર્ટિન બબર સોસાયટી’ને લખેલો એક દુઃખદ પત્ર મળ્યો. પત્રમાં એણે લખેલું, કે એમેલિયાના બધા જ કેદીઓને મુક્તિ અપાવવાનું વચન ઓસ્કરે આપ્યું હતું. બદલામાં લોકોએ પોતાના શ્રમ વડે તેનું ઋણ ચૂકવી તેને સમૃદ્ધ બનાવ્યો હતો. અને છતાં પણ અમુક લોકોને તેના લિસ્ટમાં સામેલ કરાયા ન હતા. એ માણસને એવું લાગતું હતું, કે એ લિસ્ટમાં ન સમાવીને તેની સાથે દગાબાજી કરવામાં આવી હતી. કોઈ બીજા જ માણસે કહેલા જુઠ્ઠાણાને કારણે પોતાને આગ પરથી પસાર થવું પડ્યું હોય તેવા રોષ સાથે તેણે એ પછી જે કંઈ બન્યું તેને માટે ઓસ્કરને જવાબદાર ઠેરવ્યો હતો. ગ્રોસ રોસનની ઘતનાઓ, મોથેસનની ટેકરી પરથી કેદીઓને જે રીતે ફેંકી દેવામાં આવ્યા હતા તે, અને જે ભયાનક મૃત્યુકૂચ સાથે વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો… એ બધા માટે તેણે ઓસ્કરને જ જવાબદાર ઠેરવ્યો હતો! એ પત્રમાં સહજ ગુસ્સાને વશ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું હતું, કે એ લિસ્ટમાં પોતાનું હોવું એ કેટલી રાહતદાયક બાબત હતી, અને એ લિસ્ટમાંથી નીકળી જવું એ કેવી દૂર્ભાગ્યપૂર્ણ બાબત હતી!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૧)

શિન્ડલર વિશે કોઈપણ ચર્ચા નીકળે, યુદ્ધમાં બચી ગયેલા હેર ડાયરેક્ટર ઓસ્કર શિન્ડલરના મિત્રો આંખનું મટકું મારીને માથું ધુણાવીને ઓસ્કરના શુભ આશયોનો સરવાળો કરવાનો લગભગ ગાણિતિક પ્રયત્ન કરવાનું શરુ કરી દેતા હતા! શિન્ડલરના યહૂદીઓમાં ભાઈચારાની જે લાગણી હજુ પણ જોવા મળે છે તેની પાછળ તેમની એક જ દલીલ હોય છે, કે “મને તો સમજાતું જ નથી કે ઓસ્કરે આવું શા માટે કર્યું હશે!” વાતની માંડણી કરવા માટે એવું કહી શકાય ખરું, કે ઓસ્કર એક જુગારી હતો, લાગણીપ્રધાન વ્યક્તિ હતો, વગેરે. સંબંધોમાં પારદર્શિતા અને કંઈક સારું કામ કરવા માટેની સ્વભાવગત સરળતા તેને પસંદ હતી. ઓસ્કર પ્રકૃતિએ એક એવો ક્રાંતિકારી હતો જેને વ્યવસ્થાતંત્રનો ઉપહાસ કરવો ગમતો હતો; તેના સ્વભાવમાં ઉપર-ઉપર દેખાતી આંતરિક શાંતિની ઓથે, જરર પડ્યે આક્રમક બની શકવાની, કોઈનો પણ પ્રતિકાર કરવાની અને કોઈનાથી દબાઈ ન જવાની એક પ્રચંડ શક્તિ છુપાયેલી હતી! પરંતુ અહીં વાપરવામાં આવેલો એક પણ શબ્દ, જ્યાં-ત્યાંથી એકઠા કરીને નોંધેલા કે પછી ઉમેરેલા આ બધા જ શબ્દો, ઓસ્કરના એ સાતત્યભર્યા દૃઢનિશ્ચયનું વર્ણન કરી શકે તેમ નથી, જેના આધારે ૧૯૪૪ની પાનખરમાં એમેલિયાના તેના સાથિદારો માટે ઓસ્કરે એક અંતિમ સ્વર્ગ ઊભું કરી આપ્યું હતું.