Daily Archives: September 19, 2018


શ્રી મહેન્દ્ર મહેતાને સ્મરણાંજલી – પી. કે. દાવડા 4

મીરાંબહેનની વિદાયના થોડા સમયબાદ મહેન્દ્રભાઈ કેન્સરગ્રસ્ત થયા. જે દિવસે એમનું નિદાન થયું ત્યારથી જ એમણે નિર્ણય કરી લીધો કે જે સમય બચ્યો છે એ સમયમાં સમાજને વધારેમાં વધારે આપી જવું. એમના ઘરના પ્રવેશદ્વારની બહાર એક ટેબલ ઉપર અનેક મોંધા મોંઘા પુસ્તકો મૂકી રાખતા. એમને મળવા આવનાર એમાંથી જે ગમે તે પુસ્તક ભેટ તરીકે લઈ જઈ શકે. છેલ્લા છ મહિના જ્યારે એ પથારીવશ હતા, ત્યારે ચેકબુક અને પેન તકીયા પાસે રાખતા. મન ભરીને યોગ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓને નાણાકીય મદદ આપતા ગયા. એમને મળવા આવનાર વ્યક્તિઓમાંથી એક્પણ વ્યક્તિ એવી ન હતી, જેમણે મહેન્દ્રભાઈની આ બિમાર હાલત ઉપર આંસુ ન સાર્યા હોય.

૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સૌને આપનાર આ માણસ, સાહિત્યપ્રેમીઓ અને સર્જકોના ભરપૂર પ્રેમ અને માન સાથે, એમના માનસમાં અમીટ છાપ છોડીને આ દુનિયામાંથી વિદાય થઈ ગયા.