એકાગ્રતા – સંત રાજિન્દરસિંહજી મહારાજ
કોઈપણ ક્ષેત્રમાં સફળતા માટે આપણું એકાગ્ર હોવું જરૂરી છે. એ પછી આપણે ડૉક્ટર બનવા ઈચ્છતા હોઈએ, સર્વોત્તમ એથલિટ, મહાન ગાયક કે કલાકાર બનવા ઈચ્છીએ કે પછી એક અમીર વેપારી બનવા ઈચ્છીએ. આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પૂરેપૂરી રીતે એકાગ્ર થવું પડશે. જે કોઈએ પણ પોતાના જીવનમાં એક પણ મોટી સિદ્ધિ મેળવી છે એના જીવનને જુઓ. એ જોતા આપણને જણાશે કે એનામાં એ લક્ષ્યને પ્રાપ્ત કરવાની અનન્ય લગન હતી.
અધ્યાત્મિક વિકાસના ક્ષેત્રમાં પણ કંઈ જુદું નથી. એ મહત્વપૂર્ણ છે કે જ્યારે આપણે અધ્યાત્મિકઆભ્યાસ કરીએ, પૂરી એકાગ્રતાથી કરીએ. પોતાની જાતને જાણવાના લક્ષ્ય ઉપર આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ.
મહાન સૂફી સંત બાયજીદ બુસ્તામીની જિંદગીનો એક કિસ્સો છે. એકવાર એ પોતાના રૂહાની ગુરુ પાસે બેઠા હતાં. ગુરુએ તેમને બારી પાસે રાખેલું પુસ્તક લાવવા કહ્યું.