Daily Archives: January 31, 2018


એક અપીલ – ધ્રુવ ભટ્ટ 9

૯૨ વર્ષે મેડિકલ કારણોસર બ્રેઈનસ્ટ્રોક આવે તે શક્યતા છે, છાપાએ અને અહેવાલ તૈયાર કરનારાઓએ આટલા નીચા ન ઉતરવું જોઈએ. ભગત સાહેબની માંદગીને વિવાદમાં ઘસેડનારાઓને સાહિત્યકાર ગણવાથી પણ હું દૂર રહીશ. ભગત સાહેબ પીડામુક્ત થાય તેવી પ્રાર્થના. હું સાહિત્યની ગણાતી હોય તેવી બધી જ સંસ્થા વિખેરીને સાહિત્યને સ્વાયત્ત અને મુક્ત કરી દેવા ભલામણ કરું છું. નવયુવાનોને વિનંતિ કરું છું કે ક્યાંય સંસ્થા સાથે જોડાય નહીં.

– ધ્રુવ ભટ્ટ