Daily Archives: September 6, 2017


રાષ્ટ્રીય સંગ્રહાલય : ઈન્ડિયા ગેટની બાજુમાં ઉભેલો આપણા ઈતિહાસનો દરવાજો – જીજ્ઞેશ અધ્યારૂ 3

નવી દિલ્હીના કેન્દ્રિય સચિવાલય અથવા ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનેથી પાંચેક મિનિટમાં ચાલીને પહોંચી શકાય એટલું નજીક આવેલું રાષ્ટ્રીય સંગ્રહાલય અનેક મહત્વના સ્થળોની વચ્ચે જાણે ભૂલાયેલી મિરાંત જેવું ઉભુ છે. ખૂબ સરસ જાળવણી સાથે સચવાયેલ આજનું આ સંગ્રહાલય પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં હતું. ૧૫ ઑગસ્ટ ૧૯૪૯ના દિવસે સી. રાજગોપાલાચારીના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થયેલા સંગ્રહાલયની અત્યારની ઈમારતનો પાયાનો પથ્થર પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૫૫માં મૂક્યો અને તેનું ઉદઘાટન ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણને ૧૯૬૦માં કર્યું. ભારતની ૫૦૦૦ વર્ષથી વધુ સમયની સભ્યતા, સંસ્કૃતિ, લોકજીવન, કળા અને યુદ્ધકૌશલ્યને લગતી બે લાખથી વધુ ઐતિહાસિક વસ્તુઓ અહીં ભારે જહેમતથી સચવાઈ છે.