Monthly Archives: September 2017


નમનીય નોરતા – હર્ષદ દવે 1

નોરતાની નવરાત્રીઓ શરુ થઇ ગઈ છે. આ શારદીય તહેવાર ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં લોકપ્રિય છે. તેમાં આપણી ધાર્મિક ભાવના અને હિંદુ સંસ્કૃતિ વણાયેલી છે. તેમાં શક્તિને પ્રણામ કરવામાં આવે છે. એના જ એક ભાગ રૂપે ગર્ભદીપ શબ્દ ‘ગરબે’ ઘૂમતો થયો. તેમાં ભાળ્યો રાસ જેમાં લહેકાવીને લાસ્ય સાથે અંગમરોડનું લચકદાર લાલિત્ય પ્રકટતું હોય છે. સ્ત્રીપ્રધાન ગરબામાં લાસ્ય-લચક અને સૌન્દર્ય વધારે હોય છે.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૮) 2

ચા નો અધુરો કપ છોડીને ગયેલી અનુરાધાના અધૂરા કપ સામે જોઈ અનુષા વિચારતી રહી… ‘મારી જિંદગી આમ જ આ કપ જેમ અધૂરી રહેશે કે શું! શા માટે, શા માટે મારી સાથે જ આવું થયું, ડોક્ટરે પહેલા મને એબનોર્મલ કહી અને હવે નોર્મલ, જીવન શું આવું અસમંજસમાં જ જીવવાનું! મને મારી ખોડ ખબર હતી એટલે મેં નિલયને સ્વીકાર્યો. મારી ઉમરની કોઈપણ છોકરીને શમણાંમાં એક સુંદર રાજકુમાર જ હોય તો પણ મેં નિલય પર પસંદગીની મહોર મારી.. તો ય એનો મેલ ઈગો તો જો.. મેં એક વાક્ય શું કહ્યું મારી પર ચડી જ બેઠો… મારી ખોડ અને એમની દેખીતી ખોડ.. એ બંને છે તો શરીરમાં રહેલી એક કમી જ. પરંતુ હું જો કોઈને કહું જ નહિ તો મારી કમી ખબર પડત? એ તો ‘નબળો ધણી બૈરી પર શૂરો’ જેવું વર્તન કરી બેઠો. છોકરી એટલે શું સહન જ કરવાનું! માફી પણ જો એની મિત્ર અનુરાધા દ્વારા માંગી. મેં મેસેજના જવાબ ન આપ્યા તો પોતાનાથી મારી પાસે નહોતું અવાતું?’


રાષ્ટ્રીય સંગ્રહાલય : ઈન્ડિયા ગેટની બાજુમાં ઉભેલો આપણા ઈતિહાસનો દરવાજો – જીજ્ઞેશ અધ્યારૂ 3

નવી દિલ્હીના કેન્દ્રિય સચિવાલય અથવા ઉદ્યોગ ભવન મેટ્રો સ્ટેશનેથી પાંચેક મિનિટમાં ચાલીને પહોંચી શકાય એટલું નજીક આવેલું રાષ્ટ્રીય સંગ્રહાલય અનેક મહત્વના સ્થળોની વચ્ચે જાણે ભૂલાયેલી મિરાંત જેવું ઉભુ છે. ખૂબ સરસ જાળવણી સાથે સચવાયેલ આજનું આ સંગ્રહાલય પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં હતું. ૧૫ ઑગસ્ટ ૧૯૪૯ના દિવસે સી. રાજગોપાલાચારીના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થયેલા સંગ્રહાલયની અત્યારની ઈમારતનો પાયાનો પથ્થર પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૫૫માં મૂક્યો અને તેનું ઉદઘાટન ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણને ૧૯૬૦માં કર્યું. ભારતની ૫૦૦૦ વર્ષથી વધુ સમયની સભ્યતા, સંસ્કૃતિ, લોકજીવન, કળા અને યુદ્ધકૌશલ્યને લગતી બે લાખથી વધુ ઐતિહાસિક વસ્તુઓ અહીં ભારે જહેમતથી સચવાઈ છે.


ડાઉનલોડ માટે આઠ નવા ઈ-પુસ્તકો 7

આજે અક્ષરનાદના ડાઉનલોડ વિભાગમાં આઠ નવા ઈ-પુસ્તકો ઉમેર્યા છે, આ સાથે લાંબા સમયથી અધૂરો એવો ડાઉનલોડ વિભાગ પણ પૂરો કર્યો છે અને કેટલાક પહેલા મૂકેલા અને ઈ-પુસ્તકોની આ નવી વ્યવસ્થામાં બાકી રહેલા પુસ્તકો પણ ફરી મૂકી દીધા છે.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૭) 1

બીજા દિવસે સવારે અનુષા ઉઠી ત્યારે પણ એના હોઠમાં ગઈકાલવાળો મનગમતો ચચરાટ રહી ગયો હતો… અને એ યાદ આવતાં એકલામાં ય શરમથી શરબત-શરબત થઇ ગઇ. પણ જેવી પથારીમાંથી ઊભી થઈ ત્યારે.. ગ્રીષ્મ ઋતુમાં આવતા માવઠા આમ પણ ગભરાવી મૂકે એવા જ હોય છે ને એ એટલી ગભરાઈ ગઈ કે ન પૂછો વાત. પાંચ મિનીટ તો એને શું કરવું એ જ ખબર ન પડી.. ’હે ભગવાન… એવું તો કંઈ હતું નહિ ને… શું કરું? મમ્મીને વાત કરું? મમ્મી શું વિચારશે?’ મમ્મી સિવાય અનુષા બીજા કોની નજીક હતી? એની કોઈ ખાસ સહેલી પણ નહોતી. જે હતી એ કોમન ગ્રુપને લીધે એમનામાં ભળી ગઈ હતી… નીલિમા સાથે એને સારું બનતું પણ એની મિત્રતા પણ એક હદ સુધી હતી. એ ઔપચારીકતાથી આગળ નહોતી વધી. અને બેય ભાઈઓ અમન-મિહિરની એ લાડકી.. પણ આવી વાત એને થોડી કહેવાય? તકલીફ ઝાઝી નહોતી.પણ મમ્મીને કહેવું કેમ? આખરે મમ્મીને ડરતાં ડરતાં વાત કરી. મમ્મી એને રગરગથી ઓળખતી હતી. એની હાલત એમને બરાબર ખબર હતી. એમણે ‘ક્યારેક થાય એવું.’ કહી સધિયારો આપ્યો છતાં અનુષાનો અજંપો ઓછો ન કરી શક્યાં. અંતે કલાકેક પછી મમ્મીએ કહ્યું કે તારા મનનું સમાધાન થઇ જાય. ચાલ આપણે ડોક્ટરને બતાવી દઈએ. ડૉ.વિપુલ શહેરમાં નવા જ આવેલા ગાયનેકોલોજીસ્ટ હતા. અનેક ઈન્ટરનેશનલ જર્નલોમાં એમના અભ્યાસલેખ છપાયેલા. મીરાબેનની મોટી બહેનની સારવાર એમને ત્યાં કરાવેલી.