Daily Archives: July 25, 2016


ગાંધી, નેહરૂ અને સરદાર – પી. કે. દાવડા 5

૧૯૪૦ સુધી આઝાદીની લડતના ત્રણ મુખ્ય નાયક હતા ગાંધી, નેહરૂ અને સુભાષ. ૧૯૩૯માં સુભાષબાબુને કોંગ્રેસ સાથે મતભેદ થતાં તેમને કોંગ્રેસ પ્રમુખપદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા, અને ૧૯૪૧ માં તો એ છૂપી રીતે દેશ છોડીને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ટોચના ત્રણ નેતાઓમાં ગાંધી, નેહરૂ અને સરદારના નામ હતા. સ્વભાવે નહેરૂ સ્વપનશીલ અને આદર્શવાદી હતા, જ્યારે સરદાર પરિસ્થિતિનો તાગકાઢવામાં પાવરધા અને વાસ્તવવાદી હતા. ગાંધીજી બન્નેના સ્વભાવથી સારી રીતે વાકેફ હતા, અને એમને બન્નેની મદદની જરૂર હતી.