Daily Archives: July 17, 2016


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા પરિચય) – નીલમ દોશી 5

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ અક્ષરનાદ પર શરૂ થઈ રહી છે ત્યારે આ સુંંદર કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો આભાર માનવાની મારી હિંમત નથી, કારણ નીલમબેન સદાય મને તેમના નાના ભાઈની જેમ વહાલ કરે છે, સાહિત્ય વહેંચવાની આ અક્ષરનાદી યાત્રામાં સતત પ્રોત્સાહન આપે છે. આવતા રવિવારથી દર રવિવારે અક્ષરનાદ પર આ નવલકથા હપ્તાવાર પ્રસ્તુત થશે.