Daily Archives: March 17, 2016


સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ.. – જૂથ ચર્ચા 5

‘સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ’ એ વિષય પર વિચારો વ્યક્ત કરવા અને જૂથ ચર્ચા માટે સૂરત મહાનગરપાલિકા આયોજીત ‘૧૫મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો ૨૦૧૬’માં મને આમંત્રણ મળ્યું હતું. જેમાં ‘સાહિત્યનો ચોતરો’ અંતર્ગત મારી સાથે આ ક્ષેત્રના – વિષયના અનુભવી અને વિષય વિદ્વાનો, નવગુજરાત સમયના એડિટર શ્રી અજય ઉમટ, દિવ્યભાસ્કરના મેગેઝીન એડિટર શ્રી કૃષ્ણકાંત ઉનડકટ, ચિત્રલેખાના શ્રી જ્વલંત છાયા અને કવિમિત્ર ડૉ. વિવેક ટેલર પેનલમાં હતા. કાર્યક્રમનું સંચાલન કવિમિત્ર શ્રી ગૌરાંગ ઠાકરનું હતું.