Daily Archives: February 12, 2016


આદર્શ શિક્ષક કેવો હોય? – ડૉ. સંતોષ દેવકર 5

કૈલાસ ગુરુકુળ ખાતે પૂ. મોરારિબાપુએ સદ્ભાવના પર્વમાં માસ્તરનો અર્થ આ રીતે આપેલો : ‘જે મા ના સ્તર સુધી જઈને ભણાવે તે માસ્તર.’ મા જેવું વાત્સલ્ય, મા જેવો પ્રેમ અને મા જેવું વર્તન જે શિક્ષકનું હોય તેને માસ્તર કહી શકાય. ખરેખર તો આ ત્રણેય પૈકી એક પણ ગુણ જે શિક્ષકમાં ન હોય તેને ‘ માસ્તર ‘ કહેવો અપરાધ ગણાવો જોઈએ. પીટીસી કે બી.એડ્. નું ર્સિટફિકેટ મળી જવા માત્રથી શિક્ષક થઈ જવાતું નથી. “બાળકને જોઈ જે રિઝે, રિઝે બાળક જોઈ તેને, હૃદય-હૃદયના વંદન તેને.” આવું સાબરકાંઠા જિલ્લાના જ્ઞાાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકાર ઉમાશંકર જોશી લખીને ગયા. માત્ર ડીગ્રી ધારી શિક્ષકો નહિ પણ પ્રેમ, લાગણી અને સહાનુભૂતિથી છલકાતાં હૃદયવાળા શિક્ષકોની આવશ્યકતા છે.